Hindenburg Reportને લઈ Rahul Gandhiએ આપી પ્રતિક્રિયા, ઉઠાવ્યા અનેક સવાલ, પીએમ પર સાધ્યું નિશાન?


  • Published By :
  • Published Date : 2024-08-12 14:03:15

શનિવારે હિંડનબર્ગ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી હતી. તે બાદ અનેક તર્ક ઉભા થયા હતા, સવાલો ઉભા થયા હતા કે હવે કોનો વારો. હિંડનબર્ગના નવા રિપોર્ટે તો હાહાકાર મચાવી દીધો છે જેમાં સેબીના ચેરપર્સન માધાવી પુરી બુચ અને તેમના પતિ પર મોટા આરોપો લગાવ્યા છે. હવે આ મામલે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અને પ્રશ્નો કર્યા છે.  

રાહુલ ગાંધીએ હિંડનબર્ગને લઈ આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ માધવી પુરીના રાજીનામાની માંગ કરી છે . રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે 'દેશભરના પ્રમાણિક રોકાણકારો પાસે સરકાર માટે મહત્ત્વના પ્રશ્નો છે. પહેલું- સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? બીજું- જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે તો તેના માટે કોણ જવાબદાર હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી? ત્રીજું - જે નવા અને અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે?


વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે...

વીડિયોમાં રાહુલ ગાંધીએ સમજાવતા કહ્યું  કે 'કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને મેચ જોનાર અને મેચ રમનાર દરેક વ્યક્તિ જાણે છે કે અમ્પાયરો ન્યાયી નથી. આવી સ્થિતિમાં મેચનું શું થશે? મેચની નિષ્પક્ષતા અને પરિણામનું શું થશે? મેચમાં હાજરી આપનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે? ભારતીય શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના શેરબજારમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરી રહ્યા છે. 


વડાપ્રધાન પર સાધ્યું રાહુલ ગાંધીએ નિશાન! 

વધુમાં તેમણે કહ્યું કે તેઓ તેમની મહેનતની, પ્રમાણિકતાથી કમાયેલી બચતને શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. વિપક્ષના નેતા તરીકે, તમારા ધ્યાન પર લાવવાની મારી ફરજ છે કે ભારતીય શેરબજાર જોખમમાં છે કારણ કે શેરબજારનું નિયમન કરતી સંસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે.‘હવે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી જેપીસી તપાસથી કેમ આટલા ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે.’



શેરમાર્કેટ પર હજી કોઈ અસર નથી દેખાઈ રહી 

જોકે સેબીના અધ્યક્ષે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે તો રાહુલ ગાંધીના સવાલના જવાબ મળે છે કે કેમ એ જોવાનું રહ્યું.. મહત્વનું છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ શેર માર્કેટમાં કડાકો આવશે તેવું લાગતું હતું પરંતુ આ રિપોર્ટની કોઈ અસર શેરમાર્કેટ પર હજી સુધી પડી હોય તેવું લાગી રહ્યું નથી. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.