Hindenburg Reportને લઈ Rahul Gandhiએ આપી પ્રતિક્રિયા, ઉઠાવ્યા અનેક સવાલ, પીએમ પર સાધ્યું નિશાન?


  • Published By :
  • Published Date : 2024-08-12 14:03:15

શનિવારે હિંડનબર્ગ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી હતી. તે બાદ અનેક તર્ક ઉભા થયા હતા, સવાલો ઉભા થયા હતા કે હવે કોનો વારો. હિંડનબર્ગના નવા રિપોર્ટે તો હાહાકાર મચાવી દીધો છે જેમાં સેબીના ચેરપર્સન માધાવી પુરી બુચ અને તેમના પતિ પર મોટા આરોપો લગાવ્યા છે. હવે આ મામલે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અને પ્રશ્નો કર્યા છે.  

રાહુલ ગાંધીએ હિંડનબર્ગને લઈ આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીએ માધવી પુરીના રાજીનામાની માંગ કરી છે . રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે 'દેશભરના પ્રમાણિક રોકાણકારો પાસે સરકાર માટે મહત્ત્વના પ્રશ્નો છે. પહેલું- સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? બીજું- જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે તો તેના માટે કોણ જવાબદાર હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબીના ચેરમેન કે ગૌતમ અદાણી? ત્રીજું - જે નવા અને અત્યંત ગંભીર આરોપો સામે આવ્યા છે તે જોતાં શું સુપ્રીમ કોર્ટ આ મામલાની ફરીથી પોતાની રીતે તપાસ કરશે?


વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે...

વીડિયોમાં રાહુલ ગાંધીએ સમજાવતા કહ્યું  કે 'કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને મેચ જોનાર અને મેચ રમનાર દરેક વ્યક્તિ જાણે છે કે અમ્પાયરો ન્યાયી નથી. આવી સ્થિતિમાં મેચનું શું થશે? મેચની નિષ્પક્ષતા અને પરિણામનું શું થશે? મેચમાં હાજરી આપનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે? ભારતીય શેરબજારમાં આવું જ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના શેરબજારમાં મોટી સંખ્યામાં લોકો રોકાણ કરી રહ્યા છે. 


વડાપ્રધાન પર સાધ્યું રાહુલ ગાંધીએ નિશાન! 

વધુમાં તેમણે કહ્યું કે તેઓ તેમની મહેનતની, પ્રમાણિકતાથી કમાયેલી બચતને શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. વિપક્ષના નેતા તરીકે, તમારા ધ્યાન પર લાવવાની મારી ફરજ છે કે ભારતીય શેરબજાર જોખમમાં છે કારણ કે શેરબજારનું નિયમન કરતી સંસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે.‘હવે એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી જેપીસી તપાસથી કેમ આટલા ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે.’



શેરમાર્કેટ પર હજી કોઈ અસર નથી દેખાઈ રહી 

જોકે સેબીના અધ્યક્ષે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે તો રાહુલ ગાંધીના સવાલના જવાબ મળે છે કે કેમ એ જોવાનું રહ્યું.. મહત્વનું છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ શેર માર્કેટમાં કડાકો આવશે તેવું લાગતું હતું પરંતુ આ રિપોર્ટની કોઈ અસર શેરમાર્કેટ પર હજી સુધી પડી હોય તેવું લાગી રહ્યું નથી. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.