Parliamentમાં જોવા મળ્યો Rahul Gandhiનો આક્રામક અંદાજ, Manipur વિશે રાહુલ ગાંધીએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-08-09 13:39:23

અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં હાલ ચર્ચા ચાલી છે. રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. મણિપુર મુદ્દે રાહુલ ગાંધી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સૌથી પહેલા હું ધન્યવાદ કરવા માગું છું કે લોકસભામાં પાછો બોલાવ્યો. આજે ગભરાવવાની જરૂર નથી. આજે હું અદાણી મુદ્દે નહીં બોલી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત એક અવાજ છે. આ અવાજને સાભળવા માગતા હોઈએ તો આપણે અહંકારને દૂર કરવો પડશે. કેટલાક દિવસો પહેલાં હું મણિપુર ગયો. આપણા પ્રધાનમંત્રી મણિપુર ગયા નથી, કારણ કે એમના માટે મણિપુર ભારતમાં નથી. સચ્ચાઈ એ છે કે મણિપુર તૂટ્યું છે, મણિપુર બચ્યું નથી. હું ત્યાં રિલિફ કેમ્પમાં ગયો. વધુમાં તેમણે કહ્યું કે ભારત માતા મારી મા છે અને તેની હત્યા થઈ છે. જો નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા, તો બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ પણ બે લોકોની જ વાત સાંભળતા. નરેન્દ્ર મોદી બે લોકોની જ વાત સાંભળે છે. એક અમિત શાહ અને બીજા અદાણી.


મણિપુર દેશનો જ અંગ છે - સ્મૃતિ ઈરાની 

રાહુલ ગાંધી બાદ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઈરાની પણ એકદમ આક્રામક દેખાયા હતા. રાહુલ ગાંધી જે મુદ્દે બોલ્યા હતા તેનો સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહી. દેશને સંકેત ગયો કે મનમાં ગદ્દારી કોની છે. મણિપુર વિભાજિત નથી, દેશનું અંગ છે.       


કલમ 370 વિશે સ્મૃતિ ઈરાનીએ કરી વાત 

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યોની વાત કરી હતી.  તેમણે કહ્યું કે કાશ્મીરની વાદીઓમાં રોજ ગોળીનો અવાજ સંભળાય છે. પ્રધાનમંત્રી મોદીએ 370 હટાવ્યા પછી આ બધું બંધ થઈ ગયું છે. પંડિતોને ધમકી આપનારું કોઈ નહીં બચે. મેં મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત કરી. સીબીઆઈ ઈન્કવાયરી ચાલી રહી છે. 1984ના શીખ તોફાનો પછી ગિરિજા ટિક્કુના ટુકડા કર્યા. વધુમાં તેમણે કહ્યું કે મણિપુર વિશે અમિત શાહે ચર્ચા માટે કહ્યું, રક્ષામંત્રી રાજનાથસિંહે અનેક વખત મણિપુરમાં હિંસા અંગે ચર્ચા કરવા માટે કહ્યું. સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી જાય છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.