Parliamentમાં જોવા મળ્યો Rahul Gandhiનો આક્રામક અંદાજ, Manipur વિશે રાહુલ ગાંધીએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-08-09 13:39:23

અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં હાલ ચર્ચા ચાલી છે. રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. મણિપુર મુદ્દે રાહુલ ગાંધી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સૌથી પહેલા હું ધન્યવાદ કરવા માગું છું કે લોકસભામાં પાછો બોલાવ્યો. આજે ગભરાવવાની જરૂર નથી. આજે હું અદાણી મુદ્દે નહીં બોલી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત એક અવાજ છે. આ અવાજને સાભળવા માગતા હોઈએ તો આપણે અહંકારને દૂર કરવો પડશે. કેટલાક દિવસો પહેલાં હું મણિપુર ગયો. આપણા પ્રધાનમંત્રી મણિપુર ગયા નથી, કારણ કે એમના માટે મણિપુર ભારતમાં નથી. સચ્ચાઈ એ છે કે મણિપુર તૂટ્યું છે, મણિપુર બચ્યું નથી. હું ત્યાં રિલિફ કેમ્પમાં ગયો. વધુમાં તેમણે કહ્યું કે ભારત માતા મારી મા છે અને તેની હત્યા થઈ છે. જો નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા, તો બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ પણ બે લોકોની જ વાત સાંભળતા. નરેન્દ્ર મોદી બે લોકોની જ વાત સાંભળે છે. એક અમિત શાહ અને બીજા અદાણી.


મણિપુર દેશનો જ અંગ છે - સ્મૃતિ ઈરાની 

રાહુલ ગાંધી બાદ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઈરાની પણ એકદમ આક્રામક દેખાયા હતા. રાહુલ ગાંધી જે મુદ્દે બોલ્યા હતા તેનો સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહી. દેશને સંકેત ગયો કે મનમાં ગદ્દારી કોની છે. મણિપુર વિભાજિત નથી, દેશનું અંગ છે.       


કલમ 370 વિશે સ્મૃતિ ઈરાનીએ કરી વાત 

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યોની વાત કરી હતી.  તેમણે કહ્યું કે કાશ્મીરની વાદીઓમાં રોજ ગોળીનો અવાજ સંભળાય છે. પ્રધાનમંત્રી મોદીએ 370 હટાવ્યા પછી આ બધું બંધ થઈ ગયું છે. પંડિતોને ધમકી આપનારું કોઈ નહીં બચે. મેં મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત કરી. સીબીઆઈ ઈન્કવાયરી ચાલી રહી છે. 1984ના શીખ તોફાનો પછી ગિરિજા ટિક્કુના ટુકડા કર્યા. વધુમાં તેમણે કહ્યું કે મણિપુર વિશે અમિત શાહે ચર્ચા માટે કહ્યું, રક્ષામંત્રી રાજનાથસિંહે અનેક વખત મણિપુરમાં હિંસા અંગે ચર્ચા કરવા માટે કહ્યું. સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી જાય છે.   



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .