Parliamentમાં જોવા મળ્યો Rahul Gandhiનો આક્રામક અંદાજ, Manipur વિશે રાહુલ ગાંધીએ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-08-09 13:39:23

અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં હાલ ચર્ચા ચાલી છે. રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે. મણિપુર મુદ્દે રાહુલ ગાંધી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સૌથી પહેલા હું ધન્યવાદ કરવા માગું છું કે લોકસભામાં પાછો બોલાવ્યો. આજે ગભરાવવાની જરૂર નથી. આજે હું અદાણી મુદ્દે નહીં બોલી. મણિપુર અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત એક અવાજ છે. આ અવાજને સાભળવા માગતા હોઈએ તો આપણે અહંકારને દૂર કરવો પડશે. કેટલાક દિવસો પહેલાં હું મણિપુર ગયો. આપણા પ્રધાનમંત્રી મણિપુર ગયા નથી, કારણ કે એમના માટે મણિપુર ભારતમાં નથી. સચ્ચાઈ એ છે કે મણિપુર તૂટ્યું છે, મણિપુર બચ્યું નથી. હું ત્યાં રિલિફ કેમ્પમાં ગયો. વધુમાં તેમણે કહ્યું કે ભારત માતા મારી મા છે અને તેની હત્યા થઈ છે. જો નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા, તો બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ પણ બે લોકોની જ વાત સાંભળતા. નરેન્દ્ર મોદી બે લોકોની જ વાત સાંભળે છે. એક અમિત શાહ અને બીજા અદાણી.


મણિપુર દેશનો જ અંગ છે - સ્મૃતિ ઈરાની 

રાહુલ ગાંધી બાદ સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઈરાની પણ એકદમ આક્રામક દેખાયા હતા. રાહુલ ગાંધી જે મુદ્દે બોલ્યા હતા તેનો સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો. જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહી. દેશને સંકેત ગયો કે મનમાં ગદ્દારી કોની છે. મણિપુર વિભાજિત નથી, દેશનું અંગ છે.       


કલમ 370 વિશે સ્મૃતિ ઈરાનીએ કરી વાત 

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજ્યોની વાત કરી હતી.  તેમણે કહ્યું કે કાશ્મીરની વાદીઓમાં રોજ ગોળીનો અવાજ સંભળાય છે. પ્રધાનમંત્રી મોદીએ 370 હટાવ્યા પછી આ બધું બંધ થઈ ગયું છે. પંડિતોને ધમકી આપનારું કોઈ નહીં બચે. મેં મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત કરી. સીબીઆઈ ઈન્કવાયરી ચાલી રહી છે. 1984ના શીખ તોફાનો પછી ગિરિજા ટિક્કુના ટુકડા કર્યા. વધુમાં તેમણે કહ્યું કે મણિપુર વિશે અમિત શાહે ચર્ચા માટે કહ્યું, રક્ષામંત્રી રાજનાથસિંહે અનેક વખત મણિપુરમાં હિંસા અંગે ચર્ચા કરવા માટે કહ્યું. સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી જાય છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.