રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર 'ચૂંટણી બોન્ડ મોદી સરકારની ભ્રષ્ટ નિતીઓનો વધુ એક પુરાવો'


  • Published By :
  • Published Date : 2024-02-15 15:58:52

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ તમામ રાજકીય પક્ષો ભાજપને નિશાન બનાવી આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાજપ સરકાર ઈલેક્ટ્રોરલ બોન્ડનું બિલ લાવી હતી. વર્ષ 2017માં આ બિલને સંસદમાં મની બિલ તરીકે સંસદમાંથી પસાર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ તેનો જોરદાર વિરોધ થયો હતો. મોદી સરકાર મની બિલ તરીકે એટલા માટે લાવી હતી કારણ કે તેને રાજ્ય સભાની મંજુરીની જરૂર ન રહે. તે માટે અનેક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમાં આરબીઆઈ એક્ટ, ઈન્કમટેક્સ એક્ટ, અને જનપ્રતિનિધિત્વ કાનુનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે ત્યારે ભાજપ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા.   


PM મોદીની ભ્રષ્ટ નિતીઓનો વધુ એક પુરાવો-રાહુલ ગાંધી


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડ સ્કીમ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી બિજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે નરેન્દ્ર મોદીની ભ્ર્ષ્ટ નિતીઓનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. બીજેપીએ ઈલેક્ટ્રોરલ બોન્ડને લાંચ અને કમિશન લેવાનું એક માધ્યમ બનાવી દીધું હતું. આજે તેના પર મોહર લાગી ગઈ છે. 


અરૂણ જેટલીના મગજની ઉપજ- કપિલ સિબ્બલ


રાજ્ય સભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણપણે અરૂણ જેટલીના મગજની ઉપજ હતી. આ સ્કિમ ભાજપને ફાયદો કરાવવા માટે લાવવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી સત્તામાં છે અને ઈલેક્શન બોન્ડનો સૌથી વધુ ફાયદો તેને જ પહોંચશે. સિબ્બલે કહ્યું કે આ માત્ર ઉદ્યોગ જગત અને બિજેપી વચ્ચેની ડીલ હતી. આ જ કારણે બિજેપીને સૌથી વધુ ફંડ મળ્યું છે. ગત કેટલાક વર્ષોમાં બિજેપીને લગભગ 5-6 હજાર કરોડ રૂપિયાનું ફંડ મળી ચુક્યું છે. સિબ્બલે કહ્યું કે જો તમારી પાસે આટલું મોટું ફંડ હોય તો તમે તમારી પાર્ટીને ઘણી મજબુત બનાવી શકો છો. RSSના માળખાને પણ મજબુત કરી શકો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.