રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર 'ચૂંટણી બોન્ડ મોદી સરકારની ભ્રષ્ટ નિતીઓનો વધુ એક પુરાવો'


  • Published By :
  • Published Date : 2024-02-15 15:58:52

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ તમામ રાજકીય પક્ષો ભાજપને નિશાન બનાવી આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાજપ સરકાર ઈલેક્ટ્રોરલ બોન્ડનું બિલ લાવી હતી. વર્ષ 2017માં આ બિલને સંસદમાં મની બિલ તરીકે સંસદમાંથી પસાર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ તેનો જોરદાર વિરોધ થયો હતો. મોદી સરકાર મની બિલ તરીકે એટલા માટે લાવી હતી કારણ કે તેને રાજ્ય સભાની મંજુરીની જરૂર ન રહે. તે માટે અનેક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમાં આરબીઆઈ એક્ટ, ઈન્કમટેક્સ એક્ટ, અને જનપ્રતિનિધિત્વ કાનુનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે ત્યારે ભાજપ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા.   


PM મોદીની ભ્રષ્ટ નિતીઓનો વધુ એક પુરાવો-રાહુલ ગાંધી


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડ સ્કીમ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી બિજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે નરેન્દ્ર મોદીની ભ્ર્ષ્ટ નિતીઓનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. બીજેપીએ ઈલેક્ટ્રોરલ બોન્ડને લાંચ અને કમિશન લેવાનું એક માધ્યમ બનાવી દીધું હતું. આજે તેના પર મોહર લાગી ગઈ છે. 


અરૂણ જેટલીના મગજની ઉપજ- કપિલ સિબ્બલ


રાજ્ય સભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણપણે અરૂણ જેટલીના મગજની ઉપજ હતી. આ સ્કિમ ભાજપને ફાયદો કરાવવા માટે લાવવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી સત્તામાં છે અને ઈલેક્શન બોન્ડનો સૌથી વધુ ફાયદો તેને જ પહોંચશે. સિબ્બલે કહ્યું કે આ માત્ર ઉદ્યોગ જગત અને બિજેપી વચ્ચેની ડીલ હતી. આ જ કારણે બિજેપીને સૌથી વધુ ફંડ મળ્યું છે. ગત કેટલાક વર્ષોમાં બિજેપીને લગભગ 5-6 હજાર કરોડ રૂપિયાનું ફંડ મળી ચુક્યું છે. સિબ્બલે કહ્યું કે જો તમારી પાસે આટલું મોટું ફંડ હોય તો તમે તમારી પાર્ટીને ઘણી મજબુત બનાવી શકો છો. RSSના માળખાને પણ મજબુત કરી શકો છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .