રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર 'ચૂંટણી બોન્ડ મોદી સરકારની ભ્રષ્ટ નિતીઓનો વધુ એક પુરાવો'


  • Published By :
  • Published Date : 2024-02-15 15:58:52

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ તમામ રાજકીય પક્ષો ભાજપને નિશાન બનાવી આકરા પ્રહાર કરી રહ્યા છે. ભાજપ સરકાર ઈલેક્ટ્રોરલ બોન્ડનું બિલ લાવી હતી. વર્ષ 2017માં આ બિલને સંસદમાં મની બિલ તરીકે સંસદમાંથી પસાર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ તેનો જોરદાર વિરોધ થયો હતો. મોદી સરકાર મની બિલ તરીકે એટલા માટે લાવી હતી કારણ કે તેને રાજ્ય સભાની મંજુરીની જરૂર ન રહે. તે માટે અનેક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમાં આરબીઆઈ એક્ટ, ઈન્કમટેક્સ એક્ટ, અને જનપ્રતિનિધિત્વ કાનુનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે ત્યારે ભાજપ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા.   


PM મોદીની ભ્રષ્ટ નિતીઓનો વધુ એક પુરાવો-રાહુલ ગાંધી


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડ સ્કીમ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી બિજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે નરેન્દ્ર મોદીની ભ્ર્ષ્ટ નિતીઓનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. બીજેપીએ ઈલેક્ટ્રોરલ બોન્ડને લાંચ અને કમિશન લેવાનું એક માધ્યમ બનાવી દીધું હતું. આજે તેના પર મોહર લાગી ગઈ છે. 


અરૂણ જેટલીના મગજની ઉપજ- કપિલ સિબ્બલ


રાજ્ય સભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણપણે અરૂણ જેટલીના મગજની ઉપજ હતી. આ સ્કિમ ભાજપને ફાયદો કરાવવા માટે લાવવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી સત્તામાં છે અને ઈલેક્શન બોન્ડનો સૌથી વધુ ફાયદો તેને જ પહોંચશે. સિબ્બલે કહ્યું કે આ માત્ર ઉદ્યોગ જગત અને બિજેપી વચ્ચેની ડીલ હતી. આ જ કારણે બિજેપીને સૌથી વધુ ફંડ મળ્યું છે. ગત કેટલાક વર્ષોમાં બિજેપીને લગભગ 5-6 હજાર કરોડ રૂપિયાનું ફંડ મળી ચુક્યું છે. સિબ્બલે કહ્યું કે જો તમારી પાસે આટલું મોટું ફંડ હોય તો તમે તમારી પાર્ટીને ઘણી મજબુત બનાવી શકો છો. RSSના માળખાને પણ મજબુત કરી શકો છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.