સામાન્ય લોકો સાથે જોડાવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ, આ વખતે શાકમાર્કેટ પહોંચ્યા Rahul Gandhi


  • Published By :
  • Published Date : 2023-08-01 10:54:01

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સામાન્ય લોકોની વચ્ચે અનેક વખત જોવા મળી રહ્યા છે. કોઈ વખત તે મિકેનિકની દુકાને પહોંચે છે તો કોઈ વખત ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાત કરતા દેખાય છે. ત્યારે આજે એટલે કે મંગળવારે સવારે તેઓ શાક માર્કેટ પહોંચ્યા હતા અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ સાથે વાત કરી હતી. દિલ્હીના આજાદપુર શાકમાર્કેટ પહોંચ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક શાક વેંચતા વેપારી ટામેટા ખરીદવા માર્કેટ ગયા હતા પરંતુ ભાવ સાંભળી તે પાછા ફર્યા હતા અને દુખી થઈ ગયા હતા.  

સામાન્ય જનતા સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાહુલ ગાંધી   

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક વખત એવી જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં તેઓ સામાન્ય માણસને પડતી મુશ્કેલી વિશે સમજી શકે. થોડા સમય પહેલા તેમણે ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને ખેતી પણ કરતા દેખાયા હતા. તે પહેલા પણ મિકેનિકના ગેરેજે અચાનક પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ગાડી રિપેર કરતા નજરે પડ્યા હતા.


રાહુલ ગાંધીએ શેર કર્યો એક વીડિયો 

મહત્વનું છે કે થોડા સમય પહેલા એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં વેપારી દુખી થઈ રડી રહ્યા હતા. જે વીડિયો તેમણે શેર કર્યો હતો તેમાં શાકમાર્કેટમાં એક વેપારી ટામેટા ખરીદવા માટે આવે છે. ટામેટા ખરીદવા માટે આવેલા વેપારી રડતા દેખાય છે કારણ કે ટામેટા ખરીદી શકાય તેટલા પૈસા તેમની પાસે ન હતા મહત્વનું છે કે ટામેટાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 150-200 વચ્ચે ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. વધતા શાકભાજીના ભાવ સામાન્ય જનતા માટે મોંઘવારી લઈને આવ્યું છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.