સામાન્ય લોકો સાથે જોડાવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ, આ વખતે શાકમાર્કેટ પહોંચ્યા Rahul Gandhi


  • Published By :
  • Published Date : 2023-08-01 10:54:01

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સામાન્ય લોકોની વચ્ચે અનેક વખત જોવા મળી રહ્યા છે. કોઈ વખત તે મિકેનિકની દુકાને પહોંચે છે તો કોઈ વખત ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાત કરતા દેખાય છે. ત્યારે આજે એટલે કે મંગળવારે સવારે તેઓ શાક માર્કેટ પહોંચ્યા હતા અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ સાથે વાત કરી હતી. દિલ્હીના આજાદપુર શાકમાર્કેટ પહોંચ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક શાક વેંચતા વેપારી ટામેટા ખરીદવા માર્કેટ ગયા હતા પરંતુ ભાવ સાંભળી તે પાછા ફર્યા હતા અને દુખી થઈ ગયા હતા.  

સામાન્ય જનતા સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાહુલ ગાંધી   

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક વખત એવી જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં તેઓ સામાન્ય માણસને પડતી મુશ્કેલી વિશે સમજી શકે. થોડા સમય પહેલા તેમણે ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને ખેતી પણ કરતા દેખાયા હતા. તે પહેલા પણ મિકેનિકના ગેરેજે અચાનક પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ગાડી રિપેર કરતા નજરે પડ્યા હતા.


રાહુલ ગાંધીએ શેર કર્યો એક વીડિયો 

મહત્વનું છે કે થોડા સમય પહેલા એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં વેપારી દુખી થઈ રડી રહ્યા હતા. જે વીડિયો તેમણે શેર કર્યો હતો તેમાં શાકમાર્કેટમાં એક વેપારી ટામેટા ખરીદવા માટે આવે છે. ટામેટા ખરીદવા માટે આવેલા વેપારી રડતા દેખાય છે કારણ કે ટામેટા ખરીદી શકાય તેટલા પૈસા તેમની પાસે ન હતા મહત્વનું છે કે ટામેટાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 150-200 વચ્ચે ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. વધતા શાકભાજીના ભાવ સામાન્ય જનતા માટે મોંઘવારી લઈને આવ્યું છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.