સામાન્ય લોકો સાથે જોડાવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ, આ વખતે શાકમાર્કેટ પહોંચ્યા Rahul Gandhi


  • Published By :
  • Published Date : 2023-08-01 10:54:01

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સામાન્ય લોકોની વચ્ચે અનેક વખત જોવા મળી રહ્યા છે. કોઈ વખત તે મિકેનિકની દુકાને પહોંચે છે તો કોઈ વખત ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાત કરતા દેખાય છે. ત્યારે આજે એટલે કે મંગળવારે સવારે તેઓ શાક માર્કેટ પહોંચ્યા હતા અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ સાથે વાત કરી હતી. દિલ્હીના આજાદપુર શાકમાર્કેટ પહોંચ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક શાક વેંચતા વેપારી ટામેટા ખરીદવા માર્કેટ ગયા હતા પરંતુ ભાવ સાંભળી તે પાછા ફર્યા હતા અને દુખી થઈ ગયા હતા.  

સામાન્ય જનતા સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાહુલ ગાંધી   

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક વખત એવી જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં તેઓ સામાન્ય માણસને પડતી મુશ્કેલી વિશે સમજી શકે. થોડા સમય પહેલા તેમણે ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને ખેતી પણ કરતા દેખાયા હતા. તે પહેલા પણ મિકેનિકના ગેરેજે અચાનક પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ગાડી રિપેર કરતા નજરે પડ્યા હતા.


રાહુલ ગાંધીએ શેર કર્યો એક વીડિયો 

મહત્વનું છે કે થોડા સમય પહેલા એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં વેપારી દુખી થઈ રડી રહ્યા હતા. જે વીડિયો તેમણે શેર કર્યો હતો તેમાં શાકમાર્કેટમાં એક વેપારી ટામેટા ખરીદવા માટે આવે છે. ટામેટા ખરીદવા માટે આવેલા વેપારી રડતા દેખાય છે કારણ કે ટામેટા ખરીદી શકાય તેટલા પૈસા તેમની પાસે ન હતા મહત્વનું છે કે ટામેટાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 150-200 વચ્ચે ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. વધતા શાકભાજીના ભાવ સામાન્ય જનતા માટે મોંઘવારી લઈને આવ્યું છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .