સામાન્ય લોકો સાથે જોડાવાનો રાહુલ ગાંધીનો પ્રયાસ, આ વખતે શાકમાર્કેટ પહોંચ્યા Rahul Gandhi


  • Published By :
  • Published Date : 2023-08-01 10:54:01

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી સામાન્ય લોકોની વચ્ચે અનેક વખત જોવા મળી રહ્યા છે. કોઈ વખત તે મિકેનિકની દુકાને પહોંચે છે તો કોઈ વખત ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાત કરતા દેખાય છે. ત્યારે આજે એટલે કે મંગળવારે સવારે તેઓ શાક માર્કેટ પહોંચ્યા હતા અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ સાથે વાત કરી હતી. દિલ્હીના આજાદપુર શાકમાર્કેટ પહોંચ્યા હતા. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં એક શાક વેંચતા વેપારી ટામેટા ખરીદવા માર્કેટ ગયા હતા પરંતુ ભાવ સાંભળી તે પાછા ફર્યા હતા અને દુખી થઈ ગયા હતા.  

સામાન્ય જનતા સાથે જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાહુલ ગાંધી   

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અનેક વખત એવી જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં તેઓ સામાન્ય માણસને પડતી મુશ્કેલી વિશે સમજી શકે. થોડા સમય પહેલા તેમણે ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને ખેતી પણ કરતા દેખાયા હતા. તે પહેલા પણ મિકેનિકના ગેરેજે અચાનક પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ગાડી રિપેર કરતા નજરે પડ્યા હતા.


રાહુલ ગાંધીએ શેર કર્યો એક વીડિયો 

મહત્વનું છે કે થોડા સમય પહેલા એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં વેપારી દુખી થઈ રડી રહ્યા હતા. જે વીડિયો તેમણે શેર કર્યો હતો તેમાં શાકમાર્કેટમાં એક વેપારી ટામેટા ખરીદવા માટે આવે છે. ટામેટા ખરીદવા માટે આવેલા વેપારી રડતા દેખાય છે કારણ કે ટામેટા ખરીદી શકાય તેટલા પૈસા તેમની પાસે ન હતા મહત્વનું છે કે ટામેટાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 150-200 વચ્ચે ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. વધતા શાકભાજીના ભાવ સામાન્ય જનતા માટે મોંઘવારી લઈને આવ્યું છે. ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.