Loksabha Election પહેલા 7 માર્ચે Rahul Gandhiની Bharat Jodo Nyay Yatra Gujaratમાં કરશે પ્રવેશ, આ જિલ્લાઓ પર કોંગ્રેસનું ફોક્સ!


  • Published By :
  • Published Date : 2024-03-02 17:40:12

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કાઢી હતી. ત્યારે લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી  દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે જેમાં અનેક રાજ્યોની લોકસભા સીટ કવર થઈ જાય. આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે. 7મી માર્ચથી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. 7થી 10 માર્ચ સુધી રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં રહેશે. દાહોદથી આ યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે તેવી માહિતી સામે આવી છે.   



થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કાઢી હતી ભારત જોડો યાત્રા!  

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ રણનીતિ સાથે પાર્ટીઓ આગળ વધી રહી છે. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે તે આપણે જાણીએ છીએ. થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી તે બાદ હવે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. 



દક્ષિણ અને મધ્ય ગુજરાતની બેઠકો પર કોંગ્રેસનું ફોક્સ!

ભારત જોડો ન્યાય યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. અનેક બેઠકો પરથી આ યાત્રા પસાર થાય તેવી રણનીતિ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે. દક્ષિણ ગુજરાતમાં આવતી લોકસભા બેઠકો પર કોંગ્રેસ વધારે ધ્યાન આપી રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના 7 જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની છે. 7 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશ કરવાની છે અને પાંચ દિવસ આ યાત્રા ગુજરાતમાં રહેશે. ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને ત્યાં આવતી બેઠકો પર વધારે ધ્યાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવી રહ્યું છે.



ગઠબંધન થતા ચૈતર વસાવા જોડાઈ શકે છે ભારત જોડો ન્યાય યાત્રામાં!

મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. સીટોને લઈ વહેંચણી થઈ ગઈ છે જે અંતર્ગત આપ ભરૂચ તેમજ ભાવનગર સીટ પરથી પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે કોંગ્રેસ બાકીના 24 સીટો પર  ઉમેદવાર ઉતારશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધન થયા બાદ આપના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા આ યાત્રામાં સામેલ થઈ શકે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.