Rahul Gandhiની બસ સવારી, DTC બસમાં કરી મુસાફરી, જાણી કર્મચાઓની સમસ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-02 17:47:20

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજકાલ ચર્ચામાં રહે છે.. થોડા સમય પહેલા કોંગ્રેસે ભારત જોડો યાત્રા કરી હતી જે દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ.. તે બાદ ભારત જોડો યાત્રાનો બીજો દોર શરૂ થયો. રાહુલ ગાંધી અનેક લોકોને મળી રહ્યા છે.. મધ્યમ અથવા તો ગરીબ પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની બસમાં તેમણે મુસાફરી કરી હતી અને તેનો વીડિયો શેર કર્યો હતો. બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે વાત કરી..

અનેક લોકો સાથે રાહુલ ગાંધી કરી રહ્યા છે મુલાકાત  

એક સમય હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ પર દેખાતા નથી.. વોટ માટે જ જનતાની વચ્ચે જાય છે.. પરંતુ લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં પરિવર્તન જોવા મળ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..કોંગ્રેસ ફરીથી દેશમાં બેઠી થવાની કોશિશ કરી રહી છે. રાહુલ ગાંધી આજકાલ અનેક લોકોને મળી રહ્યા છે, અનેક લોકોની મુશ્કેલીને જાણવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં મુસાફરી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. રાહુલે બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી. તેમના પગાર વિશે પૂછ્યું અને તેમની સમસ્યા જાણવાની પણ કોશિશ કરી...



રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીએ લખ્યું કે 'થોડા દિવસો પહેલા દિલ્હીમાં બસની મુસાફરી કરી હતી. મેં  દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની દિનચર્યા અને સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ન તો સામાજિક સુરક્ષા, ન સ્થિર આવક, ન કાયમી નોકરી. કોન્ટ્રાક્ટ મજૂરીએ એક મોટી જવાબદારી ઘટાડીને ફરજિયાત બનાવી દીધી છે. ડ્રાઈવર અને કંડક્ટરોને અનિશ્ચિતતાના અંધકારમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે અને મુસાફરોની સુરક્ષા માટે હોમગાર્ડ સતત તહેનાત છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી.' બસ ડ્રાઈવર અને કંડક્ટરે પોતાની વ્યથા પણ જણાવી હતી. મહત્વનું છે કે આની પહેલા પણ તે અનેક સામાન્ય લોકોને મળ્યા છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.