Rahul Gandhiની બસ સવારી, DTC બસમાં કરી મુસાફરી, જાણી કર્મચાઓની સમસ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-02 17:47:20

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજકાલ ચર્ચામાં રહે છે.. થોડા સમય પહેલા કોંગ્રેસે ભારત જોડો યાત્રા કરી હતી જે દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ.. તે બાદ ભારત જોડો યાત્રાનો બીજો દોર શરૂ થયો. રાહુલ ગાંધી અનેક લોકોને મળી રહ્યા છે.. મધ્યમ અથવા તો ગરીબ પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની બસમાં તેમણે મુસાફરી કરી હતી અને તેનો વીડિયો શેર કર્યો હતો. બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે વાત કરી..

અનેક લોકો સાથે રાહુલ ગાંધી કરી રહ્યા છે મુલાકાત  

એક સમય હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ પર દેખાતા નથી.. વોટ માટે જ જનતાની વચ્ચે જાય છે.. પરંતુ લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં પરિવર્તન જોવા મળ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..કોંગ્રેસ ફરીથી દેશમાં બેઠી થવાની કોશિશ કરી રહી છે. રાહુલ ગાંધી આજકાલ અનેક લોકોને મળી રહ્યા છે, અનેક લોકોની મુશ્કેલીને જાણવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં મુસાફરી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. રાહુલે બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી. તેમના પગાર વિશે પૂછ્યું અને તેમની સમસ્યા જાણવાની પણ કોશિશ કરી...



રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીએ લખ્યું કે 'થોડા દિવસો પહેલા દિલ્હીમાં બસની મુસાફરી કરી હતી. મેં  દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની દિનચર્યા અને સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ન તો સામાજિક સુરક્ષા, ન સ્થિર આવક, ન કાયમી નોકરી. કોન્ટ્રાક્ટ મજૂરીએ એક મોટી જવાબદારી ઘટાડીને ફરજિયાત બનાવી દીધી છે. ડ્રાઈવર અને કંડક્ટરોને અનિશ્ચિતતાના અંધકારમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે અને મુસાફરોની સુરક્ષા માટે હોમગાર્ડ સતત તહેનાત છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી.' બસ ડ્રાઈવર અને કંડક્ટરે પોતાની વ્યથા પણ જણાવી હતી. મહત્વનું છે કે આની પહેલા પણ તે અનેક સામાન્ય લોકોને મળ્યા છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.