Rahul Gandhiની બસ સવારી, DTC બસમાં કરી મુસાફરી, જાણી કર્મચાઓની સમસ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-02 17:47:20

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજકાલ ચર્ચામાં રહે છે.. થોડા સમય પહેલા કોંગ્રેસે ભારત જોડો યાત્રા કરી હતી જે દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ.. તે બાદ ભારત જોડો યાત્રાનો બીજો દોર શરૂ થયો. રાહુલ ગાંધી અનેક લોકોને મળી રહ્યા છે.. મધ્યમ અથવા તો ગરીબ પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની બસમાં તેમણે મુસાફરી કરી હતી અને તેનો વીડિયો શેર કર્યો હતો. બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે વાત કરી..

અનેક લોકો સાથે રાહુલ ગાંધી કરી રહ્યા છે મુલાકાત  

એક સમય હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ પર દેખાતા નથી.. વોટ માટે જ જનતાની વચ્ચે જાય છે.. પરંતુ લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં પરિવર્તન જોવા મળ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..કોંગ્રેસ ફરીથી દેશમાં બેઠી થવાની કોશિશ કરી રહી છે. રાહુલ ગાંધી આજકાલ અનેક લોકોને મળી રહ્યા છે, અનેક લોકોની મુશ્કેલીને જાણવાની કોશિશ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં મુસાફરી કરી તેનો વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. રાહુલે બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી. તેમના પગાર વિશે પૂછ્યું અને તેમની સમસ્યા જાણવાની પણ કોશિશ કરી...



રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું કે... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલ ગાંધીએ લખ્યું કે 'થોડા દિવસો પહેલા દિલ્હીમાં બસની મુસાફરી કરી હતી. મેં  દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની દિનચર્યા અને સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ન તો સામાજિક સુરક્ષા, ન સ્થિર આવક, ન કાયમી નોકરી. કોન્ટ્રાક્ટ મજૂરીએ એક મોટી જવાબદારી ઘટાડીને ફરજિયાત બનાવી દીધી છે. ડ્રાઈવર અને કંડક્ટરોને અનિશ્ચિતતાના અંધકારમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે અને મુસાફરોની સુરક્ષા માટે હોમગાર્ડ સતત તહેનાત છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી.' બસ ડ્રાઈવર અને કંડક્ટરે પોતાની વ્યથા પણ જણાવી હતી. મહત્વનું છે કે આની પહેલા પણ તે અનેક સામાન્ય લોકોને મળ્યા છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.