રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલું દેખાતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:25:06

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોથી પસાર થઈ આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. ત્યારે હાલ આ યાત્રા કર્ણાટક પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક વખત ભાજપે યાત્રા પર પ્રહાર તેમજ કટાક્ષ કર્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. મુદ્દાની વાત એ છે કે રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલુ દેખાતા રાજકારણ ગરમાયું છે. યાત્રા કર્ણાટક પહોંચે તે પહેલા રાહુલ ગાંધીનું પોસ્ટર ફાટેલું દેખાતા કોંગ્રેસે ટ્વિટ કરી ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે ભારત જોડો યાત્રામાં કોંગ્રેસને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપ ઘબરાઈ ગયું છે.  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..