Rahul Gandhiની વધી શકે છે મુશ્કેલી, BJPએ આ ટ્વિટને લઈ ચૂંટણી આયોગને કરી ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 17:04:44

રાજસ્થાનની 199 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર જોરોશોરથી કર્યો છે. પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદન વિશે તો ખબર જ છે. જનસભામાં પનોતી સહિતના અનેક શબ્દો રાહુલ ગાંધીએ બોલ્યા હતા જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે કારણ કે ભાજપે ચૂંટણી પંચને અરજી લખી છે. એવામાં BJPએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે, સોશિયલ મીડિયા હેન્ડલ Xના ઉપયોગ દ્વારા તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 

રાહુલ ગાંધી વિરૂદ્ધ એક્શન લેવા કરાઈ અપીલ 

ચૂંટણી શરૂ થાય તેની પહેલા આચાર સંહિતા લાગી જતી હોય છે. આ સમય દરમિયાન ચૂંટણી પ્રચાર નથી કરવામાં આવતો. આ બધા વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી આયોગને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે. ભાજપે ચૂંટણી પંચને સોશિયલ મીડિયા કંપની પાસે રાહુલ ગાંધીના એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ વાંધાજનક કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટેની અપીલ કરી છે. વાત એમ હતી કે સવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે મતદાન કરવા અપીલ કરી હતી જેને કારણે આ વિવાદ હંગામો થયો છે. મતદાન કરવા માટે રાહુલે અપીલ તો કરી પરંતુ તેમણે કોંગ્રેસને મતદાન કરવા અપીલ કરી હતી.



ભાજપે શેની કરી માગણી?  

ભારતીય જનતા પાર્ટી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીનું એક્સ એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ રાહુલ ગાંધીના તે ટ્વીટને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપવામાં આવે. તે જ સમયે, પાર્ટીએ પંચને વિનંતી કરી છે કે તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી રાજસ્થાનને રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને ફોજદારી કેસ શરૂ કરવા માટે નિર્દેશ આપે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની મુશ્કેલી પ્રતિદિન વધી રહી છે



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.