Rahul Gandhiની વધી શકે છે મુશ્કેલી, BJPએ આ ટ્વિટને લઈ ચૂંટણી આયોગને કરી ફરિયાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-25 17:04:44

રાજસ્થાનની 199 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર જોરોશોરથી કર્યો છે. પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદન વિશે તો ખબર જ છે. જનસભામાં પનોતી સહિતના અનેક શબ્દો રાહુલ ગાંધીએ બોલ્યા હતા જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે કારણ કે ભાજપે ચૂંટણી પંચને અરજી લખી છે. એવામાં BJPએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે, સોશિયલ મીડિયા હેન્ડલ Xના ઉપયોગ દ્વારા તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 

રાહુલ ગાંધી વિરૂદ્ધ એક્શન લેવા કરાઈ અપીલ 

ચૂંટણી શરૂ થાય તેની પહેલા આચાર સંહિતા લાગી જતી હોય છે. આ સમય દરમિયાન ચૂંટણી પ્રચાર નથી કરવામાં આવતો. આ બધા વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી આયોગને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ આચાર સંહિતાનો ભંગ કર્યો છે. ભાજપે ચૂંટણી પંચને સોશિયલ મીડિયા કંપની પાસે રાહુલ ગાંધીના એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ વાંધાજનક કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા માટેની અપીલ કરી છે. વાત એમ હતી કે સવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે મતદાન કરવા અપીલ કરી હતી જેને કારણે આ વિવાદ હંગામો થયો છે. મતદાન કરવા માટે રાહુલે અપીલ તો કરી પરંતુ તેમણે કોંગ્રેસને મતદાન કરવા અપીલ કરી હતી.



ભાજપે શેની કરી માગણી?  

ભારતીય જનતા પાર્ટી દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીનું એક્સ એકાઉન્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ રાહુલ ગાંધીના તે ટ્વીટને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપવામાં આવે. તે જ સમયે, પાર્ટીએ પંચને વિનંતી કરી છે કે તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી રાજસ્થાનને રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને ફોજદારી કેસ શરૂ કરવા માટે નિર્દેશ આપે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની મુશ્કેલી પ્રતિદિન વધી રહી છે



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .