રાહુલ ગાંધીના આકરા પ્રહાર, 'PM મોદી OBC નહીં પણ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે, તે લોકોને મુર્ખ બનાવે છે'


  • Published By :
  • Published Date : 2024-02-08 19:24:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ પર જોરદાર પ્રહારો કર્યા છે. ઓડિશામાં 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ OBC જાતિમાં નથી થયો, તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે. પરંતુ વડાપ્રધાનનો જન્મ ઓબીસી જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી ઓબીસીમાં જન્મ્યા નથી. તે ઘાંચી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને  OBC બનાવી હતી. મતલબ કે મોદી OBC નથી જન્મ્યા, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યો છે કે તેમનો જન્મ  OBCમાં થયો હતો.

મોદી રોજ નવા કપડા પહેરે છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું 'મને ખબર છે કે તે (PM મોદી) OBC નથી. કેમ કે તે કોઈ  OBCને ગળે નથી લગાવતા. તે વસ્તી ગણતરી નથી કરાવતા, કેમ કે તે OBCના છે જ નહીં. કરોડોના સૂટ પહેરે છે, અને ખુદને ગરીબ અને ફકીર કહે છે. રોજ સવારે નવા વસ્રો અને સાંજે રોજ નવા-નવા કપડા પહેરે છે અને ખુદને OBC તરીકે ઓળખાવે છે.'


માત્ર અદાણીને લાભ કરાવે છે


તેમને મોદીને નિશાન બનાવીને આકરા પ્રહાર કરતા કહ્યું કે 'મારે મોદીના બર્થ સર્ટિફિકેટની જરૂર નથી. હું એટલા માટે જાણું છું કે તે કોઈ ઓબીસીને ગળે નથી લગાવતા. તે ખેડૂતો અને મજુરોનો હાથ નથી પકડતા, તે માત્ર અદાણીનો જ હાથ પકડે છે. આ કારણે જ તે તેમની આખી જિંદગીમાં ક્યારેય પણ જાતિ આધારીત સર્વે નહીં કરાવ દે, જાતિ આધારીત વસ્તી ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરી બતાવશે.'



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.