રાહુલ ગાંધીના આકરા પ્રહાર, 'PM મોદી OBC નહીં પણ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે, તે લોકોને મુર્ખ બનાવે છે'


  • Published By :
  • Published Date : 2024-02-08 19:24:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ પર જોરદાર પ્રહારો કર્યા છે. ઓડિશામાં 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ OBC જાતિમાં નથી થયો, તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે. પરંતુ વડાપ્રધાનનો જન્મ ઓબીસી જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી ઓબીસીમાં જન્મ્યા નથી. તે ઘાંચી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને  OBC બનાવી હતી. મતલબ કે મોદી OBC નથી જન્મ્યા, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યો છે કે તેમનો જન્મ  OBCમાં થયો હતો.

મોદી રોજ નવા કપડા પહેરે છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું 'મને ખબર છે કે તે (PM મોદી) OBC નથી. કેમ કે તે કોઈ  OBCને ગળે નથી લગાવતા. તે વસ્તી ગણતરી નથી કરાવતા, કેમ કે તે OBCના છે જ નહીં. કરોડોના સૂટ પહેરે છે, અને ખુદને ગરીબ અને ફકીર કહે છે. રોજ સવારે નવા વસ્રો અને સાંજે રોજ નવા-નવા કપડા પહેરે છે અને ખુદને OBC તરીકે ઓળખાવે છે.'


માત્ર અદાણીને લાભ કરાવે છે


તેમને મોદીને નિશાન બનાવીને આકરા પ્રહાર કરતા કહ્યું કે 'મારે મોદીના બર્થ સર્ટિફિકેટની જરૂર નથી. હું એટલા માટે જાણું છું કે તે કોઈ ઓબીસીને ગળે નથી લગાવતા. તે ખેડૂતો અને મજુરોનો હાથ નથી પકડતા, તે માત્ર અદાણીનો જ હાથ પકડે છે. આ કારણે જ તે તેમની આખી જિંદગીમાં ક્યારેય પણ જાતિ આધારીત સર્વે નહીં કરાવ દે, જાતિ આધારીત વસ્તી ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરી બતાવશે.'



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.