રાહુલ ગાંધીના આકરા પ્રહાર, 'PM મોદી OBC નહીં પણ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે, તે લોકોને મુર્ખ બનાવે છે'


  • Published By :
  • Published Date : 2024-02-08 19:24:11

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ પર જોરદાર પ્રહારો કર્યા છે. ઓડિશામાં 'ભારત જોડો ન્યાય યાત્રા' દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ OBC જાતિમાં નથી થયો, તેઓ જનરલ કાસ્ટમાં જન્મ્યા છે. પરંતુ વડાપ્રધાનનો જન્મ ઓબીસી જાતિમાં થયો હોવાનું કહીને ભાજપ લોકોને મૂર્ખ બનાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી ઓબીસીમાં જન્મ્યા નથી. તે ઘાંચી સમુદાયમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને  OBC બનાવી હતી. મતલબ કે મોદી OBC નથી જન્મ્યા, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યો છે કે તેમનો જન્મ  OBCમાં થયો હતો.

મોદી રોજ નવા કપડા પહેરે છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું 'મને ખબર છે કે તે (PM મોદી) OBC નથી. કેમ કે તે કોઈ  OBCને ગળે નથી લગાવતા. તે વસ્તી ગણતરી નથી કરાવતા, કેમ કે તે OBCના છે જ નહીં. કરોડોના સૂટ પહેરે છે, અને ખુદને ગરીબ અને ફકીર કહે છે. રોજ સવારે નવા વસ્રો અને સાંજે રોજ નવા-નવા કપડા પહેરે છે અને ખુદને OBC તરીકે ઓળખાવે છે.'


માત્ર અદાણીને લાભ કરાવે છે


તેમને મોદીને નિશાન બનાવીને આકરા પ્રહાર કરતા કહ્યું કે 'મારે મોદીના બર્થ સર્ટિફિકેટની જરૂર નથી. હું એટલા માટે જાણું છું કે તે કોઈ ઓબીસીને ગળે નથી લગાવતા. તે ખેડૂતો અને મજુરોનો હાથ નથી પકડતા, તે માત્ર અદાણીનો જ હાથ પકડે છે. આ કારણે જ તે તેમની આખી જિંદગીમાં ક્યારેય પણ જાતિ આધારીત સર્વે નહીં કરાવ દે, જાતિ આધારીત વસ્તી ગણતરીનું કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરી બતાવશે.'



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.