Parliamentમાં બોલ્યા Rahul Gandhi, ભાષણમાં મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ, અંબાણી તેમજ અદાણી મુદ્દે સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2024-07-29 17:40:45

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું.. સૌ કોઈની નજર બજેટ પર રહેલી હતી. બજેટને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે આજે સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી બોલ્યા હતા. સંસદમાં તેમણે બજેટને લઈ વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી. બજેટને લઈ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક સવાલો ઉઠાવ્યા હતા. 

ભાષણ દરમિયાન ચક્રવ્યુહની કરી વાત   

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન અનેક બાબતોને લઈ વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે બજેટની તુલના ચક્રવ્યુહ સાથે કરી હતી. તેમણે કહ્યું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને 6 લોકોએ ચક્રવ્યુહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યુહનું બીજું નામ પદ્મવ્યુહ છે, જે કમળના ફૂલના આકારમાં છે. તેની અંદર ભય અને હિંસા છે. 



"આજે પણ ચક્રવ્યુહની રચનામાં..."

21મી સદીમાં એક નવું 'ચક્રવ્યુહ' બન્યું છે - તે પણ કમળના ફૂલના રૂપમાં. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આજે પણ ચક્રવ્યુહની મધ્યમાં 6 લોકો છે. આ 6 લોકો છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અદાણી અને અંબાણી.

મધ્યમ વર્ગને લઈ રાહુલ ગાંધીએ કરી વાત

તે સિવાય તેમણે મધ્યમ પરિવારને લઈ વાત કરી હતી.. તેમણે કોરોના કાળ દરમિયાનનો સમય યાદ કરાવ્યો અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં મધ્યમ વર્ગ બજેટ પહેલા કદાચ પીએમ મોદીને સપોર્ટ કરતો હતો, જ્યારે કોરોનામાં પીએમ મોદીએ થાળી વગાડવાની વાત કરી, મોબાઈલમાં લાઈટ કરવાની વાત કરી તે બધું કર્યું પરંતુ આ બજેટમાં પીએમ મોદીએ Indexation અને Capital Gain Tax વધારીને મધ્યમ વર્ગ પર પ્રહાર કર્યા છે. તે સિવાય તેમણે પોતાના ભાષણ દરમિયાન અગ્નિવીરને લઈ વાત કરી હતી.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.