Parliamentમાં બોલ્યા Rahul Gandhi, ભાષણમાં મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ, અંબાણી તેમજ અદાણી મુદ્દે સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2024-07-29 17:40:45

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું.. સૌ કોઈની નજર બજેટ પર રહેલી હતી. બજેટને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે આજે સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી બોલ્યા હતા. સંસદમાં તેમણે બજેટને લઈ વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી. બજેટને લઈ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક સવાલો ઉઠાવ્યા હતા. 

ભાષણ દરમિયાન ચક્રવ્યુહની કરી વાત   

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન અનેક બાબતોને લઈ વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે બજેટની તુલના ચક્રવ્યુહ સાથે કરી હતી. તેમણે કહ્યું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને 6 લોકોએ ચક્રવ્યુહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યુહનું બીજું નામ પદ્મવ્યુહ છે, જે કમળના ફૂલના આકારમાં છે. તેની અંદર ભય અને હિંસા છે. 



"આજે પણ ચક્રવ્યુહની રચનામાં..."

21મી સદીમાં એક નવું 'ચક્રવ્યુહ' બન્યું છે - તે પણ કમળના ફૂલના રૂપમાં. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આજે પણ ચક્રવ્યુહની મધ્યમાં 6 લોકો છે. આ 6 લોકો છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અદાણી અને અંબાણી.

મધ્યમ વર્ગને લઈ રાહુલ ગાંધીએ કરી વાત

તે સિવાય તેમણે મધ્યમ પરિવારને લઈ વાત કરી હતી.. તેમણે કોરોના કાળ દરમિયાનનો સમય યાદ કરાવ્યો અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં મધ્યમ વર્ગ બજેટ પહેલા કદાચ પીએમ મોદીને સપોર્ટ કરતો હતો, જ્યારે કોરોનામાં પીએમ મોદીએ થાળી વગાડવાની વાત કરી, મોબાઈલમાં લાઈટ કરવાની વાત કરી તે બધું કર્યું પરંતુ આ બજેટમાં પીએમ મોદીએ Indexation અને Capital Gain Tax વધારીને મધ્યમ વર્ગ પર પ્રહાર કર્યા છે. તે સિવાય તેમણે પોતાના ભાષણ દરમિયાન અગ્નિવીરને લઈ વાત કરી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.