Parliamentમાં બોલ્યા Rahul Gandhi, ભાષણમાં મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ, અંબાણી તેમજ અદાણી મુદ્દે સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2024-07-29 17:40:45

સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું.. સૌ કોઈની નજર બજેટ પર રહેલી હતી. બજેટને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે આજે સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી બોલ્યા હતા. સંસદમાં તેમણે બજેટને લઈ વાત કરી હતી. પોતાના ભાષણમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી. બજેટને લઈ મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક સવાલો ઉઠાવ્યા હતા. 

ભાષણ દરમિયાન ચક્રવ્યુહની કરી વાત   

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન અનેક બાબતોને લઈ વાત કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે બજેટની તુલના ચક્રવ્યુહ સાથે કરી હતી. તેમણે કહ્યું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને 6 લોકોએ ચક્રવ્યુહમાં ફસાવીને મારી નાખ્યો હતો. ચક્રવ્યુહનું બીજું નામ પદ્મવ્યુહ છે, જે કમળના ફૂલના આકારમાં છે. તેની અંદર ભય અને હિંસા છે. 



"આજે પણ ચક્રવ્યુહની રચનામાં..."

21મી સદીમાં એક નવું 'ચક્રવ્યુહ' બન્યું છે - તે પણ કમળના ફૂલના રૂપમાં. જે અભિમન્યુ સાથે કરવામાં આવ્યું હતું તે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આજે પણ ચક્રવ્યુહની મધ્યમાં 6 લોકો છે. આ 6 લોકો છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અદાણી અને અંબાણી.

મધ્યમ વર્ગને લઈ રાહુલ ગાંધીએ કરી વાત

તે સિવાય તેમણે મધ્યમ પરિવારને લઈ વાત કરી હતી.. તેમણે કોરોના કાળ દરમિયાનનો સમય યાદ કરાવ્યો અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં મધ્યમ વર્ગ બજેટ પહેલા કદાચ પીએમ મોદીને સપોર્ટ કરતો હતો, જ્યારે કોરોનામાં પીએમ મોદીએ થાળી વગાડવાની વાત કરી, મોબાઈલમાં લાઈટ કરવાની વાત કરી તે બધું કર્યું પરંતુ આ બજેટમાં પીએમ મોદીએ Indexation અને Capital Gain Tax વધારીને મધ્યમ વર્ગ પર પ્રહાર કર્યા છે. તે સિવાય તેમણે પોતાના ભાષણ દરમિયાન અગ્નિવીરને લઈ વાત કરી હતી.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.