World Cupમાં મળેલી હાર પર બોલ્યા Rahul Gandhi, રેલીમાં કહ્યું ‘આપણે વર્લ્ડકપ સરળતાથી જીત્યા હોત પણ… !


  • Published By :
  • Published Date : 2023-11-22 10:54:01

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને મળેલી હાર બાદ સોશિયલ મીડિયા પર પનોતી ટ્રેન્ડ થઈ રહ્યું હતું. સોશિયલ મીડિયા પર તો આ શબ્દ ટ્રેન્ડ થયો હતો પરંતુ આજે પનોતી શબ્દનો ઉપયોગ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનના જાલોર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે, આપણા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત તો સારું થાત, પરંતુ પનોતીએ હરાવી દીધા.


ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વર્લ્ડ કપની મેચનો કર્યો ઉલ્લેખ 

રાજસ્થાનમાં થોડા દિવસો બાદ ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપના પ્રચારની કમાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઑએ સંભાળી છે. પહેલા ચૂંટણી પ્રચારમાં માત્ર રાજનીતિને લઈ પ્રહારો કરવામાં આવતા હતા પરંતુ હવે તો મેચના ઉદાહરણો પણ ચૂંટણી પ્રચારમાં લાવવામાં આવી રહ્યા છે. 


નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું...

જાલોર ખાતે પહોંચેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. જાહેર સભામાં તેમણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે, આપણા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત તો સારું થાત, પરંતુ પનોતીએ હરાવી દીધા. જાહેર સભામાં જ્યારે રાહુલ ગાંધી સંબોધી રહ્યા હતા તે વખતે સભામાં કેટલાક લોકોએ પનૌતીનો સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આના પર રાહુલ ગાંધીએ આવું નિવેદન આપ્યું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.