World Cupમાં મળેલી હાર પર બોલ્યા Rahul Gandhi, રેલીમાં કહ્યું ‘આપણે વર્લ્ડકપ સરળતાથી જીત્યા હોત પણ… !


  • Published By :
  • Published Date : 2023-11-22 10:54:01

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને મળેલી હાર બાદ સોશિયલ મીડિયા પર પનોતી ટ્રેન્ડ થઈ રહ્યું હતું. સોશિયલ મીડિયા પર તો આ શબ્દ ટ્રેન્ડ થયો હતો પરંતુ આજે પનોતી શબ્દનો ઉપયોગ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનના જાલોર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે, આપણા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત તો સારું થાત, પરંતુ પનોતીએ હરાવી દીધા.


ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વર્લ્ડ કપની મેચનો કર્યો ઉલ્લેખ 

રાજસ્થાનમાં થોડા દિવસો બાદ ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપના પ્રચારની કમાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઑએ સંભાળી છે. પહેલા ચૂંટણી પ્રચારમાં માત્ર રાજનીતિને લઈ પ્રહારો કરવામાં આવતા હતા પરંતુ હવે તો મેચના ઉદાહરણો પણ ચૂંટણી પ્રચારમાં લાવવામાં આવી રહ્યા છે. 


નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું...

જાલોર ખાતે પહોંચેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. જાહેર સભામાં તેમણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે, આપણા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત તો સારું થાત, પરંતુ પનોતીએ હરાવી દીધા. જાહેર સભામાં જ્યારે રાહુલ ગાંધી સંબોધી રહ્યા હતા તે વખતે સભામાં કેટલાક લોકોએ પનૌતીનો સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આના પર રાહુલ ગાંધીએ આવું નિવેદન આપ્યું હતું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે