Rahul Gandhiએ કરી રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાત, 25 તારીખે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન..


  • Published By :
  • Published Date : 2024-06-22 18:24:26

રાજકોટ અગ્નિકાંડ દૂર્ઘટનાને એક મહિનો થવા આવ્યો... અનેક નાની માછલીઓને પકડી લેવામાં આવ્યા છે પરંતુ મોટા માછલાઓને નથી પકડવામાં આવી રહ્યા... નાના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા અધિકારીઓ બચીને જતા રહે છે. પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે. મૃતકોને ન્યાય મળે તેવી આશા છે પીડિત પરિવારોને.. ગુજરાતમાં વિપક્ષ એકદમ નબળું પડી ગયું હોય તેવું લાગતું પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવી છે. રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વાત કરી છે.  

પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 25મી તારીખે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે.... આ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પણ તેમની વહારે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ પીડિત પરિવારો સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પાસેથી વિગત મેળવી હતી.... આ ઘટનામાં ભાજપના નેતાઓની ચુપ્પી હજુ જનતાને અકળાવી રહી છે... 



માત્ર કહેવાથી કામ નથી થતું પરંતુ પગલા લેવા પડે..! 

મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઇક ભૂલ થઇ ગઇ છે.. મુખ્યમંત્રીએ કહી તો દીધું કે આપણી ભુલ છે પણ માત્ર બોલવાથી ભૂલ સુધરી જાય તો સારુ પણ એવુ થતુ નથી..... સવાલ એ છે કે શું માત્ર મુખ્યમંત્રીના બોલવાથી આ ઘટનાઓ અટકી જશે... હાઈકોર્ટ પણ કહી રહી છે કે આટલી બધી ઘટનાઓ બની પ્રશાસન યોગ્ય રીતે કામ કરતું જ નથી.. માત્ર કહેવાથી કામ નથી થતા પરંતુ તે પ્રમાણે કાર્યવાહી પણ કરવી પડે જેને લઈ ઉદાહરણ બેસે કે તપાસ સાચી દિશામાં આગળ વધી રહી છે. 



25 તારીખે કોંગ્રેસે આપ્યું છે બંધનું એલાન 

પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. રાજકોટ પોલીસ કમિશનર કચેરીને જ્યારે ઘેરવાનો પ્લાન કોંગ્રેસે કર્યો હતો તે દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ ત્યાં હાજર હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં પીડિત પરિવારના સભ્યો.. મહત્વનું છે કે 25 તારીખે રાજકોટવાસીઓ રાજકોટ બંધ એલાનમાં જોડાય તેવું આહ્વાહન કરવામાં આવ્યું છે.    



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.