Rahul Gandhiએ કરી રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાત, 25 તારીખે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન..


  • Published By :
  • Published Date : 2024-06-22 18:24:26

રાજકોટ અગ્નિકાંડ દૂર્ઘટનાને એક મહિનો થવા આવ્યો... અનેક નાની માછલીઓને પકડી લેવામાં આવ્યા છે પરંતુ મોટા માછલાઓને નથી પકડવામાં આવી રહ્યા... નાના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા અધિકારીઓ બચીને જતા રહે છે. પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે. મૃતકોને ન્યાય મળે તેવી આશા છે પીડિત પરિવારોને.. ગુજરાતમાં વિપક્ષ એકદમ નબળું પડી ગયું હોય તેવું લાગતું પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવી છે. રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વાત કરી છે.  

પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 25મી તારીખે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે.... આ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પણ તેમની વહારે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ પીડિત પરિવારો સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પાસેથી વિગત મેળવી હતી.... આ ઘટનામાં ભાજપના નેતાઓની ચુપ્પી હજુ જનતાને અકળાવી રહી છે... 



માત્ર કહેવાથી કામ નથી થતું પરંતુ પગલા લેવા પડે..! 

મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઇક ભૂલ થઇ ગઇ છે.. મુખ્યમંત્રીએ કહી તો દીધું કે આપણી ભુલ છે પણ માત્ર બોલવાથી ભૂલ સુધરી જાય તો સારુ પણ એવુ થતુ નથી..... સવાલ એ છે કે શું માત્ર મુખ્યમંત્રીના બોલવાથી આ ઘટનાઓ અટકી જશે... હાઈકોર્ટ પણ કહી રહી છે કે આટલી બધી ઘટનાઓ બની પ્રશાસન યોગ્ય રીતે કામ કરતું જ નથી.. માત્ર કહેવાથી કામ નથી થતા પરંતુ તે પ્રમાણે કાર્યવાહી પણ કરવી પડે જેને લઈ ઉદાહરણ બેસે કે તપાસ સાચી દિશામાં આગળ વધી રહી છે. 



25 તારીખે કોંગ્રેસે આપ્યું છે બંધનું એલાન 

પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. રાજકોટ પોલીસ કમિશનર કચેરીને જ્યારે ઘેરવાનો પ્લાન કોંગ્રેસે કર્યો હતો તે દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ ત્યાં હાજર હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં પીડિત પરિવારના સભ્યો.. મહત્વનું છે કે 25 તારીખે રાજકોટવાસીઓ રાજકોટ બંધ એલાનમાં જોડાય તેવું આહ્વાહન કરવામાં આવ્યું છે.    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.