Rahul Gandhiએ કરી રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવાર સાથે વાત, 25 તારીખે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન..


  • Published By :
  • Published Date : 2024-06-22 18:24:26

રાજકોટ અગ્નિકાંડ દૂર્ઘટનાને એક મહિનો થવા આવ્યો... અનેક નાની માછલીઓને પકડી લેવામાં આવ્યા છે પરંતુ મોટા માછલાઓને નથી પકડવામાં આવી રહ્યા... નાના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા અધિકારીઓ બચીને જતા રહે છે. પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે. મૃતકોને ન્યાય મળે તેવી આશા છે પીડિત પરિવારોને.. ગુજરાતમાં વિપક્ષ એકદમ નબળું પડી ગયું હોય તેવું લાગતું પરંતુ પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવી છે. રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે વાત કરી છે.  

પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 25મી તારીખે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે.... આ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પણ તેમની વહારે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ પીડિત પરિવારો સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પાસેથી વિગત મેળવી હતી.... આ ઘટનામાં ભાજપના નેતાઓની ચુપ્પી હજુ જનતાને અકળાવી રહી છે... 



માત્ર કહેવાથી કામ નથી થતું પરંતુ પગલા લેવા પડે..! 

મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઇક ભૂલ થઇ ગઇ છે.. મુખ્યમંત્રીએ કહી તો દીધું કે આપણી ભુલ છે પણ માત્ર બોલવાથી ભૂલ સુધરી જાય તો સારુ પણ એવુ થતુ નથી..... સવાલ એ છે કે શું માત્ર મુખ્યમંત્રીના બોલવાથી આ ઘટનાઓ અટકી જશે... હાઈકોર્ટ પણ કહી રહી છે કે આટલી બધી ઘટનાઓ બની પ્રશાસન યોગ્ય રીતે કામ કરતું જ નથી.. માત્ર કહેવાથી કામ નથી થતા પરંતુ તે પ્રમાણે કાર્યવાહી પણ કરવી પડે જેને લઈ ઉદાહરણ બેસે કે તપાસ સાચી દિશામાં આગળ વધી રહી છે. 



25 તારીખે કોંગ્રેસે આપ્યું છે બંધનું એલાન 

પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. વિપક્ષ દ્વારા આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. રાજકોટ પોલીસ કમિશનર કચેરીને જ્યારે ઘેરવાનો પ્લાન કોંગ્રેસે કર્યો હતો તે દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ ત્યાં હાજર હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં પીડિત પરિવારના સભ્યો.. મહત્વનું છે કે 25 તારીખે રાજકોટવાસીઓ રાજકોટ બંધ એલાનમાં જોડાય તેવું આહ્વાહન કરવામાં આવ્યું છે.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .