સર્વોચ્ચ અદાલતમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-04 21:25:02

સુપ્રીમ કોર્ટે આજે (4 ઓગસ્ટ, શુક્રવારે ) એક મોટો આદેશ આપતા મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકી દીધો છે. કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે. મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે કહ્યું કે સત્યની જીત થાય છે. મારો રસ્તો સાફ છે, મારે શું કરવાનું છે? કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે લોકોએ મદદ કરી અને જનતાનો તેમના સમર્થન માટે આભાર.


સત્યની જીત થઈ


સુપ્રીમ કોર્ટના આ ફેંસલા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું, "ભલે ગમે તે થાય, મારૂ કર્તવ્ય એ જ રહેશે. ભારતના વિચારની રક્ષા કરવી." રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતીકાલે સત્યની જીત થશે. પણ મારો રસ્તો સાફ છે. મારા મનમાં સ્પષ્ટતા છે. મને ખબર છે કે મારે શું કરવાનું છે.' 23 માર્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં દોષિત ઠેરવતા ગુજરાતની સુરતની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 


કોંગ્રેસે લોકસભા સ્પીકરને સાંસદ પદ યથાવત રાખવા  કરી માગ


સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમનું સભ્ય પદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને તેમને રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસે માંગ કરી છે કે રાહુલ ગાંધીની સદસ્યતા વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ, કોંગ્રેસ હેડ ક્વાર્ટર પહોંચેલા રાહુલ ગાંધીનું પાર્ટીના કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચતા રાહુલ ગાંધી તેમની બહેન અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. કાર્યકરોએ ઢોલ વગાડી અને ધ્વજ લહેરાવીને ઉજવણી કરી હતી.


રાહુલ ગાંધીને કેમ થઈ હતી સજા?


ભાજપ નેતા પુર્ણેશ મોદીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે બધા જ ચોરોની સરનેમ મોદી કેવી રીતે હોઈ શકે. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ સંસદનું સભ્ય પદ ગુમાવી દીધું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.