Share Marketમાં આવેલા ઘોવાણને લઈ Rahul Gandhiએ ઘેર્યા પીએમ મોદી અને અમિત શાહને! સવાલ પૂછ્યો કે PM नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह ने...


  • Published By :
  • Published Date : 2024-06-06 19:01:34

લોકસભા ચૂંટણીના પરિણામ જે દિવસે આવ્યા તે દિવસે ઉમેદવારોના જેમ શ્વાસ અધ્ધર હતા તેવી જ રીતે શેર માર્કેટમાં નિવેશ કરતા લોકોના પણ શ્વાસ અધ્ધર હતા.. એક તરફ પાર્ટીને મળતી સીટોમાં ફેરફાર આવતો રહ્યો તેમ તેમ શેર માર્કેટના આંકડામાં પણ ઘટાડો થતો ગયો.. શેરમાર્કેટમાં મોટો કડાકો એ દિવસે જોવા મળ્યો હતો.. પ્રચાર દરમિયાન પીએમ મોદી તેમજ અમિત શાહ દ્વારા શેર માર્કેટને લઈ નિવેદન આપવામાં આવતું હતું.. તેમના નિવેદન બાદ શેર માર્કેટમાં ઘણો બદલાવ જોવા મળ્યો. ત્યારે આ વાતને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે નેતાઓની ટિપ્પણીને કારણે લાખો નિવેશકોને મોટા પાયે નુકસાન થયું છે..

એક્ઝિટ પોલ આવ્યા બાદ માર્કેટમાં જોવા મળ્યો હતો ઉછાળો

શેર માર્કેટમાં અનેક લોકોના પૈસા ડૂબી જતા હોય છે.. શેર ઉંચા ભાવમાં લીધો હોય પરંતુ અનેક વખત એવું જોવા મળે છે કે શેરના ભાવમાં ઘટાળો થઈ જાય છે અને નિવેશકને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે.. અનેક વખત બજારમાં કંપની માટે વહેતી અફવાઓને કારણે પણ કંપનીના શેર મોટા પાયે તૂટી જતા હોય છે.. થોડા દિવસો પહેલા જ્યારે એક્ઝિટ પોલ આવ્યો હતો તે બાદ સેન્સેક્સમાં મોટા પાયે ઉછાડો જોવા મળ્યો.. એક્ઝિટ પોલમાં ભાજપને સારી એવી સીટો મળી રહી છે તેવી વાત કરવામાં આવી. એક્ઝિટ પોલને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું પરંતુ શેર માર્કેટમાં આવેલા ડોઉનફોલને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે. 

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ માટે કહી આ વાત.. 

શેર માર્કેટને લઈ અનેક વખત પીએમ મોદી દ્વારા તેમજ અમિત શાહ દ્વારા ટિપ્પણી કરવામાં આવી. રોકાણકારોને તેમણે કહ્યું કે શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ.. નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોની સીધી અસર શેર માર્કેટ પર જોવા મળતી હતી. રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે સ્ટોક માર્કેટને લઈ વાત કરી.. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ સ્ટોક માર્કેટની વધવાની વાત કરી, ગૃહમંત્રીએ કહ્યું કે ચાર જૂન પહેલા લોકોએ શેર ખરીદી લેવા જોઈએ.. પરંતુ ચોથી જૂને બજાર પડતું ગયું અને અંદાજે 30 લાખ કરોડનું નુકસાન થઈ ગયું. આ ઘોટાડો છે, આ ઘોટાળાની તપાસ કરવામાં આવે. અમે જેસીપી તપાસની માગ કરી રહ્યા છીએ.

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

તે સિવાય તેમણે કહ્યું કે 1. પીએમ અને ગૃહમંત્રીએ શેરબજારમાં રોકાણ કરનારા 5 કરોડ પરિવારોને રોકાણની ચોક્કસ સલાહ કેમ આપી? શું લોકોને રોકાણની સલાહ આપવાનું તેમનું કામ છે? 2. શા માટે બંને ઇન્ટરવ્યુ એક જ બિઝનેસ ગ્રુપની માલિકીના એક જ મીડિયા હાઉસને આપવામાં આવ્યા હતા, જે શેરબજારમાં હેરાફેરી કરવા માટે સેબીની તપાસ હેઠળ પણ છે? 3. ભાજપ, નકલી એક્ઝિટ પોલસ્ટર અને શંકાસ્પદ વિદેશી રોકાણકારો વચ્ચે શું કનેક્શન છે, જેમણે એક્ઝિટ પોલ જાહેર થયાના એક દિવસ પહેલા રોકાણ કર્યું અને 5 કરોડ પરિવારોના ખર્ચે મોટો નફો કર્યો? ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી