સ્વાતિ માલીવાલનો સ્મૃતિ ઈરાનીને ટોણો "ફ્લાઈંગ કિસથી આગ લાગે છે, વૃજભૂષણના જાતીય શોષણ પર ગુસ્સો નથી આવતો?"


  • Published By :
  • Published Date : 2023-08-10 19:16:26

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર લોકસભામાં કથિત રીતે ફ્લાઈગ કિસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે હવે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તેમની પ્રતિક્રિયા આપતા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. સ્વાતિ માલીવાલે કિસ કોન્ટ્રોવર્સીને મહિલા પહેલવાનો સાથે જોડીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર આકરા પ્રહારો કર્યા હતા.


યૌન શોષણ કરનારા પર ગુસ્સો નથી આવતો-સ્વાતિ માલીવાલ


રાહુલ ગાંધી પર કથિત ફ્લાઈંગ કિસ આપવાના આરોપને ભાજપા સાંસદ અને કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર લાગેલા યોન શોષણથી જોડતા સ્વાતિ માલીવાલને ટ્વીટ કરીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું ગુરૂવારે ટ્વીટ કરીને લખ્યું "હવામાં ફેંકવામાં આવેલી કથિત ફ્લાઈંગ કિસથી આટલી આગ લાગી ગઈ, 2 લાઈન પાછળ એક માણસ વૃજભૂષણ બેઠો છે, જેણે ઓલિમ્પિયન પહેલવાનોને રૂમમાં બોલાવીને છાતી પર હાથ રાખ્યો, કમર પર હાથ રાખ્યો અને યોન શોષણ કર્યું, તેના કુકર્મો પર ગુસ્સો કેમ નથી આવતો?


રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની પર લગાવ્યો હતો આરોપ


બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. તેમણે જવાબ આપ્યો ત્યાર બાદ બોલવા માટે ઉભી થયેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ભાષણ સમાપ્ત થયું ત્યાર બાદ તેઓ સંસદમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમણે અભદ્રતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે સંસંદમાં ફ્લાઈંગ કિસ આપી હતી. તેના કારણે સંસદમાં હાજર મહિલા સાંસદોનું અપમાન થયું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .