સ્વાતિ માલીવાલનો સ્મૃતિ ઈરાનીને ટોણો "ફ્લાઈંગ કિસથી આગ લાગે છે, વૃજભૂષણના જાતીય શોષણ પર ગુસ્સો નથી આવતો?"


  • Published By :
  • Published Date : 2023-08-10 19:16:26

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર લોકસભામાં કથિત રીતે ફ્લાઈગ કિસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે હવે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તેમની પ્રતિક્રિયા આપતા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. સ્વાતિ માલીવાલે કિસ કોન્ટ્રોવર્સીને મહિલા પહેલવાનો સાથે જોડીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર આકરા પ્રહારો કર્યા હતા.


યૌન શોષણ કરનારા પર ગુસ્સો નથી આવતો-સ્વાતિ માલીવાલ


રાહુલ ગાંધી પર કથિત ફ્લાઈંગ કિસ આપવાના આરોપને ભાજપા સાંસદ અને કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર લાગેલા યોન શોષણથી જોડતા સ્વાતિ માલીવાલને ટ્વીટ કરીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું ગુરૂવારે ટ્વીટ કરીને લખ્યું "હવામાં ફેંકવામાં આવેલી કથિત ફ્લાઈંગ કિસથી આટલી આગ લાગી ગઈ, 2 લાઈન પાછળ એક માણસ વૃજભૂષણ બેઠો છે, જેણે ઓલિમ્પિયન પહેલવાનોને રૂમમાં બોલાવીને છાતી પર હાથ રાખ્યો, કમર પર હાથ રાખ્યો અને યોન શોષણ કર્યું, તેના કુકર્મો પર ગુસ્સો કેમ નથી આવતો?


રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની પર લગાવ્યો હતો આરોપ


બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. તેમણે જવાબ આપ્યો ત્યાર બાદ બોલવા માટે ઉભી થયેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ભાષણ સમાપ્ત થયું ત્યાર બાદ તેઓ સંસદમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમણે અભદ્રતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે સંસંદમાં ફ્લાઈંગ કિસ આપી હતી. તેના કારણે સંસદમાં હાજર મહિલા સાંસદોનું અપમાન થયું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.