સ્વાતિ માલીવાલનો સ્મૃતિ ઈરાનીને ટોણો "ફ્લાઈંગ કિસથી આગ લાગે છે, વૃજભૂષણના જાતીય શોષણ પર ગુસ્સો નથી આવતો?"


  • Published By :
  • Published Date : 2023-08-10 19:16:26

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર લોકસભામાં કથિત રીતે ફ્લાઈગ કિસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે હવે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તેમની પ્રતિક્રિયા આપતા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. સ્વાતિ માલીવાલે કિસ કોન્ટ્રોવર્સીને મહિલા પહેલવાનો સાથે જોડીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર આકરા પ્રહારો કર્યા હતા.


યૌન શોષણ કરનારા પર ગુસ્સો નથી આવતો-સ્વાતિ માલીવાલ


રાહુલ ગાંધી પર કથિત ફ્લાઈંગ કિસ આપવાના આરોપને ભાજપા સાંસદ અને કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર લાગેલા યોન શોષણથી જોડતા સ્વાતિ માલીવાલને ટ્વીટ કરીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું ગુરૂવારે ટ્વીટ કરીને લખ્યું "હવામાં ફેંકવામાં આવેલી કથિત ફ્લાઈંગ કિસથી આટલી આગ લાગી ગઈ, 2 લાઈન પાછળ એક માણસ વૃજભૂષણ બેઠો છે, જેણે ઓલિમ્પિયન પહેલવાનોને રૂમમાં બોલાવીને છાતી પર હાથ રાખ્યો, કમર પર હાથ રાખ્યો અને યોન શોષણ કર્યું, તેના કુકર્મો પર ગુસ્સો કેમ નથી આવતો?


રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની પર લગાવ્યો હતો આરોપ


બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. તેમણે જવાબ આપ્યો ત્યાર બાદ બોલવા માટે ઉભી થયેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ભાષણ સમાપ્ત થયું ત્યાર બાદ તેઓ સંસદમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમણે અભદ્રતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે સંસંદમાં ફ્લાઈંગ કિસ આપી હતી. તેના કારણે સંસદમાં હાજર મહિલા સાંસદોનું અપમાન થયું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.