સ્વાતિ માલીવાલનો સ્મૃતિ ઈરાનીને ટોણો "ફ્લાઈંગ કિસથી આગ લાગે છે, વૃજભૂષણના જાતીય શોષણ પર ગુસ્સો નથી આવતો?"


  • Published By :
  • Published Date : 2023-08-10 19:16:26

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર લોકસભામાં કથિત રીતે ફ્લાઈગ કિસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે હવે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તેમની પ્રતિક્રિયા આપતા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. સ્વાતિ માલીવાલે કિસ કોન્ટ્રોવર્સીને મહિલા પહેલવાનો સાથે જોડીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર આકરા પ્રહારો કર્યા હતા.


યૌન શોષણ કરનારા પર ગુસ્સો નથી આવતો-સ્વાતિ માલીવાલ


રાહુલ ગાંધી પર કથિત ફ્લાઈંગ કિસ આપવાના આરોપને ભાજપા સાંસદ અને કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર લાગેલા યોન શોષણથી જોડતા સ્વાતિ માલીવાલને ટ્વીટ કરીને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું ગુરૂવારે ટ્વીટ કરીને લખ્યું "હવામાં ફેંકવામાં આવેલી કથિત ફ્લાઈંગ કિસથી આટલી આગ લાગી ગઈ, 2 લાઈન પાછળ એક માણસ વૃજભૂષણ બેઠો છે, જેણે ઓલિમ્પિયન પહેલવાનોને રૂમમાં બોલાવીને છાતી પર હાથ રાખ્યો, કમર પર હાથ રાખ્યો અને યોન શોષણ કર્યું, તેના કુકર્મો પર ગુસ્સો કેમ નથી આવતો?


રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની પર લગાવ્યો હતો આરોપ


બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજુ કર્યો હતો. તેમણે જવાબ આપ્યો ત્યાર બાદ બોલવા માટે ઉભી થયેલી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું ભાષણ સમાપ્ત થયું ત્યાર બાદ તેઓ સંસદમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમણે અભદ્રતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે સંસંદમાં ફ્લાઈંગ કિસ આપી હતી. તેના કારણે સંસદમાં હાજર મહિલા સાંસદોનું અપમાન થયું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.