Rahul Gandhiએ PM Modi પર સાધ્યું નિશાન, Bharat Jodo Nyay Yatra દરમિયાન કહ્યું કે પીએમ મોદી ઈચ્છે છે કે જય શ્રી રામ બોલો અને ભૂખે...


  • Published By :
  • Published Date : 2024-03-06 15:50:32

મણિપુરથી રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આવતીકાલે રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં આવવાની છે. ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં ગઈકાલે પહોંચી હતી. ત્યારે રાહુલ ગાંધી ફરી એક વાર એવું કઈંક બોલ્યા જે ચર્ચાનો વિષય બન્યું છે.  મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં રામ મંદિર અને ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું મોદીજી ઈચ્છે છે કે તમે જય શ્રી રામ બોલો અને ભૂખે મરો. તેમણે કહ્યું આજે દેશમાં 50% સંપત્તિ 22 લોકો પાસે છે. તેમણે કહ્યું, “પીએમએ આ ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી, પરંતુ ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી."

ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને આપ્યા બટાકા!

થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી જેમાં લોકોનું સારૂં એવું સમર્થન મળ્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા નીકળી રહી છે. આવતીકાલે આ યાત્રાનો પ્રવેશ ગુજરાતમાં થવાનો છે પરંતુ ગઈકાલે આ યાત્રા મધ્યપ્રદેશમાં હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચાનો વિષય બનતા હોય છે.ગઈકાલે મધ્યપ્રદેશમાં જ્યારે રાહુલ ગાંધી હતા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓએ તેમને બટાકા આપ્યા હતા. આ વાતની ચર્ચાઓ પૂર્ણ ના થઈ હતી ત્યારે તો રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઈ નિવેદન આપ્યું.


રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઈચ્છે છે કે.... 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની મંદિરમાં સ્થાપના થઈ. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો. જે ક્ષણનો અનેક દાયકાઓ સુધી લોકોએ પ્રતિક્ષા કરી હતી અને તે ક્ષણ 22 જાન્યુઆરીએ આવી. અયોધ્યા રામ મંદિરને લઈ કોંગ્રેસ દ્વારા અનેક વખત પ્રતિક્રિયા આપવામાં આવી ત્યારે પીએમ મોદી અને રામ ભગવાનને લઈ રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા છે. લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી ઈચ્છે છે કે તમે તમારો મોબાઈલ જુઓ, જય શ્રી રામ બોલો અને ભૂખે મરો,..  

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન શું થાય છે તે પર નજર!

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શાજાપુર શહેરમાં પહોંચે તે પહેલા ભાજપના કેટલાક કાર્યકરો ભાજપના ઝંડા લઈને યાત્રા શરૂ થાય ત્યાં પહોંચ્યા હતા અને પછી મોદી મોદીના નારા લગાવ્યા હતા સાથે સાથે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા  રાહુલ ગાંધીની યાત્રા 12 માર્ચે તેના અંતિમ મુકામ મહારાષ્ટ્રમાં પહોંચશે. રાહુલ ગાંધીની યાત્રા 6 દિવસ મહારાષ્ટ્રમાં રહેશે, જ્યાં તેઓ 400 કિમીની યાત્રા કરશે એ પહેલા એ ગુજરાત પણ આવવાના છે પણ ગુજરાત આવે એ પહેલા ગુજરાત કોંગ્રેસ ખાલી થતું દેખાય છે! હવે ન્યાય યાત્રા ગુજરાત પહોંચે તે પહેલા શું થાય તે જોવાનું રહ્યું 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.