Rahul Gandhiએ PM Modi પર સાધ્યું નિશાન, Bharat Jodo Nyay Yatra દરમિયાન કહ્યું કે પીએમ મોદી ઈચ્છે છે કે જય શ્રી રામ બોલો અને ભૂખે...


  • Published By :
  • Published Date : 2024-03-06 15:50:32

મણિપુરથી રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આવતીકાલે રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં આવવાની છે. ભારત જોડો ન્યાય યાત્રા મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં ગઈકાલે પહોંચી હતી. ત્યારે રાહુલ ગાંધી ફરી એક વાર એવું કઈંક બોલ્યા જે ચર્ચાનો વિષય બન્યું છે.  મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં રામ મંદિર અને ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું મોદીજી ઈચ્છે છે કે તમે જય શ્રી રામ બોલો અને ભૂખે મરો. તેમણે કહ્યું આજે દેશમાં 50% સંપત્તિ 22 લોકો પાસે છે. તેમણે કહ્યું, “પીએમએ આ ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી, પરંતુ ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી."

ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીને આપ્યા બટાકા!

થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી જેમાં લોકોનું સારૂં એવું સમર્થન મળ્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા નીકળી રહી છે. આવતીકાલે આ યાત્રાનો પ્રવેશ ગુજરાતમાં થવાનો છે પરંતુ ગઈકાલે આ યાત્રા મધ્યપ્રદેશમાં હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચાનો વિષય બનતા હોય છે.ગઈકાલે મધ્યપ્રદેશમાં જ્યારે રાહુલ ગાંધી હતા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓએ તેમને બટાકા આપ્યા હતા. આ વાતની ચર્ચાઓ પૂર્ણ ના થઈ હતી ત્યારે તો રાહુલ ગાંધીએ પીએમ મોદીને લઈ નિવેદન આપ્યું.


રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઈચ્છે છે કે.... 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિની મંદિરમાં સ્થાપના થઈ. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો. જે ક્ષણનો અનેક દાયકાઓ સુધી લોકોએ પ્રતિક્ષા કરી હતી અને તે ક્ષણ 22 જાન્યુઆરીએ આવી. અયોધ્યા રામ મંદિરને લઈ કોંગ્રેસ દ્વારા અનેક વખત પ્રતિક્રિયા આપવામાં આવી ત્યારે પીએમ મોદી અને રામ ભગવાનને લઈ રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા છે. લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી ઈચ્છે છે કે તમે તમારો મોબાઈલ જુઓ, જય શ્રી રામ બોલો અને ભૂખે મરો,..  

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન શું થાય છે તે પર નજર!

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શાજાપુર શહેરમાં પહોંચે તે પહેલા ભાજપના કેટલાક કાર્યકરો ભાજપના ઝંડા લઈને યાત્રા શરૂ થાય ત્યાં પહોંચ્યા હતા અને પછી મોદી મોદીના નારા લગાવ્યા હતા સાથે સાથે જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા  રાહુલ ગાંધીની યાત્રા 12 માર્ચે તેના અંતિમ મુકામ મહારાષ્ટ્રમાં પહોંચશે. રાહુલ ગાંધીની યાત્રા 6 દિવસ મહારાષ્ટ્રમાં રહેશે, જ્યાં તેઓ 400 કિમીની યાત્રા કરશે એ પહેલા એ ગુજરાત પણ આવવાના છે પણ ગુજરાત આવે એ પહેલા ગુજરાત કોંગ્રેસ ખાલી થતું દેખાય છે! હવે ન્યાય યાત્રા ગુજરાત પહોંચે તે પહેલા શું થાય તે જોવાનું રહ્યું 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.