Rahul Gandhiએ Ram Mandir Pran Pratistha કાર્યક્રમને રાજનૈતિક કાર્યક્રમ ગણાવ્યો તો રામ જન્મભૂમિના મુખ્યપૂજારીએ કહ્યું... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-01-17 09:05:29

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય રામ મંદિરમાં થવાની છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે આ સમારોહના આયોજનમાં. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતાઓએ આ સમારોહને આરએસએસ તેમજ ભાજપની ઈવેન્ટ બતાવી છે. કોંગ્રેસ દ્વારા આ નિમંત્રણનો અસ્વીકાર કરવામાં આવતા કોંગ્રેસમાં અંદરોઅંદરો ડખા ચાલું થઈ ગયા હતા. આ બધા વચ્ચે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર પહેલી વખત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ સમારોહને લઈ પ્રતિક્રિયા આપી છે અને તે કેમ નથી જવાના તેનું કારણ પણ જણાવ્યું છે. પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ’22 જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં રસ નથી. જોકે, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી પણ કોઈ ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં જઈશું નહીં. વધુમાં તેમણે કહ્યું કે મને લાગે છે કે જે સાચા અર્થમાં ધર્મમાં માને છે તેનો તેની સાથે અંગત સંબંધ છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે યોગ્ય વર્તન કરું છું અને તેમનો આદર કરું છું. હું નફરત ફેલાવતો નથી.

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રતિક્રિયા આપી છે. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું કે આ રાજનીતિ નથી ધર્મનીતિ છે. કોંગ્રેસના નેતાઓ અહીંયા આવ્યા હતા અને અમે તે બધાનું સન્માન કર્યું. અમારે કોઈ પાર્ટીથી મતલબ નથી. અહીંયા જે આવે છે અમે તેને રામ ભક્ત સમજીએ છીએ.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.