Rahul Gandhiએ Ram Mandir Pran Pratistha કાર્યક્રમને રાજનૈતિક કાર્યક્રમ ગણાવ્યો તો રામ જન્મભૂમિના મુખ્યપૂજારીએ કહ્યું... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-01-17 09:05:29

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય રામ મંદિરમાં થવાની છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે આ સમારોહના આયોજનમાં. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતાઓએ આ સમારોહને આરએસએસ તેમજ ભાજપની ઈવેન્ટ બતાવી છે. કોંગ્રેસ દ્વારા આ નિમંત્રણનો અસ્વીકાર કરવામાં આવતા કોંગ્રેસમાં અંદરોઅંદરો ડખા ચાલું થઈ ગયા હતા. આ બધા વચ્ચે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર પહેલી વખત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ સમારોહને લઈ પ્રતિક્રિયા આપી છે અને તે કેમ નથી જવાના તેનું કારણ પણ જણાવ્યું છે. પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ’22 જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં રસ નથી. જોકે, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી પણ કોઈ ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં જઈશું નહીં. વધુમાં તેમણે કહ્યું કે મને લાગે છે કે જે સાચા અર્થમાં ધર્મમાં માને છે તેનો તેની સાથે અંગત સંબંધ છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે યોગ્ય વર્તન કરું છું અને તેમનો આદર કરું છું. હું નફરત ફેલાવતો નથી.

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રતિક્રિયા આપી છે. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું કે આ રાજનીતિ નથી ધર્મનીતિ છે. કોંગ્રેસના નેતાઓ અહીંયા આવ્યા હતા અને અમે તે બધાનું સન્માન કર્યું. અમારે કોઈ પાર્ટીથી મતલબ નથી. અહીંયા જે આવે છે અમે તેને રામ ભક્ત સમજીએ છીએ.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.