Rahul Gandhiએ Ram Mandir Pran Pratistha કાર્યક્રમને રાજનૈતિક કાર્યક્રમ ગણાવ્યો તો રામ જન્મભૂમિના મુખ્યપૂજારીએ કહ્યું... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-01-17 09:05:29

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય રામ મંદિરમાં થવાની છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે આ સમારોહના આયોજનમાં. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતાઓએ આ સમારોહને આરએસએસ તેમજ ભાજપની ઈવેન્ટ બતાવી છે. કોંગ્રેસ દ્વારા આ નિમંત્રણનો અસ્વીકાર કરવામાં આવતા કોંગ્રેસમાં અંદરોઅંદરો ડખા ચાલું થઈ ગયા હતા. આ બધા વચ્ચે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર પહેલી વખત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ સમારોહને લઈ પ્રતિક્રિયા આપી છે અને તે કેમ નથી જવાના તેનું કારણ પણ જણાવ્યું છે. પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ’22 જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં રસ નથી. જોકે, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી પણ કોઈ ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં જઈશું નહીં. વધુમાં તેમણે કહ્યું કે મને લાગે છે કે જે સાચા અર્થમાં ધર્મમાં માને છે તેનો તેની સાથે અંગત સંબંધ છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે યોગ્ય વર્તન કરું છું અને તેમનો આદર કરું છું. હું નફરત ફેલાવતો નથી.

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રતિક્રિયા આપી છે. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું કે આ રાજનીતિ નથી ધર્મનીતિ છે. કોંગ્રેસના નેતાઓ અહીંયા આવ્યા હતા અને અમે તે બધાનું સન્માન કર્યું. અમારે કોઈ પાર્ટીથી મતલબ નથી. અહીંયા જે આવે છે અમે તેને રામ ભક્ત સમજીએ છીએ.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.