Rahul Gandhiએ Ram Mandir Pran Pratistha કાર્યક્રમને રાજનૈતિક કાર્યક્રમ ગણાવ્યો તો રામ જન્મભૂમિના મુખ્યપૂજારીએ કહ્યું... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-01-17 09:05:29

22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય રામ મંદિરમાં થવાની છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે આ સમારોહના આયોજનમાં. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતાઓએ આ સમારોહને આરએસએસ તેમજ ભાજપની ઈવેન્ટ બતાવી છે. કોંગ્રેસ દ્વારા આ નિમંત્રણનો અસ્વીકાર કરવામાં આવતા કોંગ્રેસમાં અંદરોઅંદરો ડખા ચાલું થઈ ગયા હતા. આ બધા વચ્ચે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર પહેલી વખત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ? 

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ સમારોહને લઈ પ્રતિક્રિયા આપી છે અને તે કેમ નથી જવાના તેનું કારણ પણ જણાવ્યું છે. પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ’22 જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં રસ નથી. જોકે, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી પણ કોઈ ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં જઈશું નહીં. વધુમાં તેમણે કહ્યું કે મને લાગે છે કે જે સાચા અર્થમાં ધર્મમાં માને છે તેનો તેની સાથે અંગત સંબંધ છે. હું મારું જીવન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરું છું. હું લોકો સાથે યોગ્ય વર્તન કરું છું અને તેમનો આદર કરું છું. હું નફરત ફેલાવતો નથી.

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ આપી પ્રતિક્રિયા 

રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રતિક્રિયા આપી છે. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું કે આ રાજનીતિ નથી ધર્મનીતિ છે. કોંગ્રેસના નેતાઓ અહીંયા આવ્યા હતા અને અમે તે બધાનું સન્માન કર્યું. અમારે કોઈ પાર્ટીથી મતલબ નથી. અહીંયા જે આવે છે અમે તેને રામ ભક્ત સમજીએ છીએ.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે