રાહુલ ગાંધીને 12 તુગલક લેનનો બંગલો ફરી મળ્યો, કહ્યું 'આખું હિંદુસ્તાન મારૂ ઘર છે'


  • Published By :
  • Published Date : 2023-08-08 18:22:14

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સંસદનું સભ્યપદ પુનઃ પ્રાપ્ત થયા બાદ હવે તેમને બીજા સારા સમાચાર મળ્યા છે. સંસદની હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને ફરી બંગલો ફાળવ્યો છે. રાહુલ ગાંધીને ફરીથી 12 તુગલક લેન પરનો બંગલો  ફાળવવામાં આવ્યો છે. બંગાળ મળ્યા બાદ રાહુલ ગાંધી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે સમગ્ર ભારત મારું ઘર છે. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે રાહુલ ગાંધીને દિલ્હીમાં સાંસદ તરીકે બંગલો ફાળવવા માટે એસ્ટેટ ઓફિસ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ છે. હાલમાં, તેમને 12, તુગલક લેન ખાતેનું તેમનું અગાઉનું નિવાસસ્થાન ઓફર કરવામાં આવ્યું છે.


રાહુલ ગાંધીએ નિવાસસ્થાન ખાલી કર્યું હતું


માર્ચ મહિનામાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ સમાપ્ત થયા બાદ તેમણે એપ્રિલમાં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરતી વખતે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સત્ય બોલવા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને હવે તેઓ આ ઘરમાં રહેવા માંગતા નથી કારણ કે ભારતના લોકો દ્વારા તેમને આપવામાં આવેલો બંગલો "છીનવી લેવામાં આવ્યો હતો".



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.