Rahul Gandhiએ જનસભામાં વાપર્યો હતો પનોતી શબ્દ, ગરમાઈ રાજનીતિ, Digvijaya Singhએ BJPને પૂછ્યો આ સવાલ


  • Published By :
  • Published Date : 2023-11-22 13:42:54

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતને પરાજીત કરી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત જીત હાંસલ કરી છે. મેચ ભારત જીતશે તેવી આશા દરેક ભારતીયને હતી પરંતુ આ તો રમત છે, રમતમાં ગેમ ગમે ત્યારે પલટાઈ શકે છે. ભારતની હાર બાદ પીએમ મોદી ક્રિકેટરોના ડ્રેસિંગ રૂમમાં તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ બધા વચ્ચે ગઈકાલે રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધતા પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દને લઈ રાજકારણ ગરમાયું છે. પનોતી વાળી ટિપ્પણી પર ભાજપના રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે તેવી માહિતી સામે આવી છે જ્યારે આ મામલે દિગ્વિજય સિંહે પણ ઝંપલાવ્યું છે.


ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વાપર્યો હતો પનોતી શબ્દ

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જનસભામાં જે પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે રાજનેતાઓ દ્વારા તેને સાંભળીને અનુમાન લગાવાઈ શકાય છે કે રાજનીતિ કયા સ્તરે નીચે જતી રહી છે. ગઈકાલે જનસભા સંબોધતી વખતે રાહુલ ગાંધીએ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારથી ભારત મેચ હારી છે ત્યારથી સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ હતો. અનેક લોકોએ આ અંગે પોસ્ટ પણ કરી હતી. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આપણે વર્લ્ડકપ સરળતાથી જીત્યા હોત પણ પનોતીએ હરાવી દીધા.'  

દિગ્વિજયસિંહ અને રવિશંકર પ્રસાદે આ મામલામાં ઝંપલાવ્યું

રાહુલ ગાંધીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયું હતું. આ નિવેદનને લઈ રાજનીતિ પણ ગરમાઈ. ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે દેશના પીએમ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી અત્યંત શરમજનક, વખોડવાલાયક છે. તો આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે આ અંગે એક ટ્વિટ કર્યું છે. એક લાંબો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે લખ્યું છે વિશ્વકપનો પ્રારંભ થતાં જ સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ શબ્દ કોના માટે કહેવાયો? સ્ટેડિયમમાં હજારો લોકો હતા. ભાજપે મોદીજીને પનોતી કેમ માની લીધા? તે તો તેમની નજરમાં વિશ્વગુરૂ છે.. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .