Rahul Gandhiએ જનસભામાં વાપર્યો હતો પનોતી શબ્દ, ગરમાઈ રાજનીતિ, Digvijaya Singhએ BJPને પૂછ્યો આ સવાલ


  • Published By :
  • Published Date : 2023-11-22 13:42:54

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતને પરાજીત કરી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત જીત હાંસલ કરી છે. મેચ ભારત જીતશે તેવી આશા દરેક ભારતીયને હતી પરંતુ આ તો રમત છે, રમતમાં ગેમ ગમે ત્યારે પલટાઈ શકે છે. ભારતની હાર બાદ પીએમ મોદી ક્રિકેટરોના ડ્રેસિંગ રૂમમાં તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ બધા વચ્ચે ગઈકાલે રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધતા પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દને લઈ રાજકારણ ગરમાયું છે. પનોતી વાળી ટિપ્પણી પર ભાજપના રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે તેવી માહિતી સામે આવી છે જ્યારે આ મામલે દિગ્વિજય સિંહે પણ ઝંપલાવ્યું છે.


ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વાપર્યો હતો પનોતી શબ્દ

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જનસભામાં જે પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે રાજનેતાઓ દ્વારા તેને સાંભળીને અનુમાન લગાવાઈ શકાય છે કે રાજનીતિ કયા સ્તરે નીચે જતી રહી છે. ગઈકાલે જનસભા સંબોધતી વખતે રાહુલ ગાંધીએ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારથી ભારત મેચ હારી છે ત્યારથી સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ હતો. અનેક લોકોએ આ અંગે પોસ્ટ પણ કરી હતી. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આપણે વર્લ્ડકપ સરળતાથી જીત્યા હોત પણ પનોતીએ હરાવી દીધા.'  

દિગ્વિજયસિંહ અને રવિશંકર પ્રસાદે આ મામલામાં ઝંપલાવ્યું

રાહુલ ગાંધીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયું હતું. આ નિવેદનને લઈ રાજનીતિ પણ ગરમાઈ. ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે દેશના પીએમ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી અત્યંત શરમજનક, વખોડવાલાયક છે. તો આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે આ અંગે એક ટ્વિટ કર્યું છે. એક લાંબો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે લખ્યું છે વિશ્વકપનો પ્રારંભ થતાં જ સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ શબ્દ કોના માટે કહેવાયો? સ્ટેડિયમમાં હજારો લોકો હતા. ભાજપે મોદીજીને પનોતી કેમ માની લીધા? તે તો તેમની નજરમાં વિશ્વગુરૂ છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.