Rahul Gandhiએ જનસભામાં વાપર્યો હતો પનોતી શબ્દ, ગરમાઈ રાજનીતિ, Digvijaya Singhએ BJPને પૂછ્યો આ સવાલ


  • Published By :
  • Published Date : 2023-11-22 13:42:54

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતને પરાજીત કરી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત જીત હાંસલ કરી છે. મેચ ભારત જીતશે તેવી આશા દરેક ભારતીયને હતી પરંતુ આ તો રમત છે, રમતમાં ગેમ ગમે ત્યારે પલટાઈ શકે છે. ભારતની હાર બાદ પીએમ મોદી ક્રિકેટરોના ડ્રેસિંગ રૂમમાં તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ બધા વચ્ચે ગઈકાલે રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધતા પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દને લઈ રાજકારણ ગરમાયું છે. પનોતી વાળી ટિપ્પણી પર ભાજપના રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે તેવી માહિતી સામે આવી છે જ્યારે આ મામલે દિગ્વિજય સિંહે પણ ઝંપલાવ્યું છે.


ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વાપર્યો હતો પનોતી શબ્દ

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જનસભામાં જે પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે રાજનેતાઓ દ્વારા તેને સાંભળીને અનુમાન લગાવાઈ શકાય છે કે રાજનીતિ કયા સ્તરે નીચે જતી રહી છે. ગઈકાલે જનસભા સંબોધતી વખતે રાહુલ ગાંધીએ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારથી ભારત મેચ હારી છે ત્યારથી સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ હતો. અનેક લોકોએ આ અંગે પોસ્ટ પણ કરી હતી. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આપણે વર્લ્ડકપ સરળતાથી જીત્યા હોત પણ પનોતીએ હરાવી દીધા.'  

દિગ્વિજયસિંહ અને રવિશંકર પ્રસાદે આ મામલામાં ઝંપલાવ્યું

રાહુલ ગાંધીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયું હતું. આ નિવેદનને લઈ રાજનીતિ પણ ગરમાઈ. ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપી છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે દેશના પીએમ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી અત્યંત શરમજનક, વખોડવાલાયક છે. તો આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે આ અંગે એક ટ્વિટ કર્યું છે. એક લાંબો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે લખ્યું છે વિશ્વકપનો પ્રારંભ થતાં જ સોશિયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ શબ્દ કોના માટે કહેવાયો? સ્ટેડિયમમાં હજારો લોકો હતા. ભાજપે મોદીજીને પનોતી કેમ માની લીધા? તે તો તેમની નજરમાં વિશ્વગુરૂ છે.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે