ભાજપનો આઇટી સેલ ખેંચવા ગયો રાહુલની, લોકોએ કૉમેન્ટમાં BJPને જ અરીસો દેખાડી દીધો.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 10:21:03

    • રાહુલ-મોદીના વસ્ત્ર પર ભાજપ-કોંગ્રેસનુ "ટ્વીટર વોર"

    • રાહુલ ગાંધી ૪૧ હજારની ટી-શર્ટ પહેરી ભારત જોડો યાત્રાએ નિકળ્યા : ભાજપ

    • ભાજપ કહે છે કે રાહુલ ગાંધીની ટી-શર્ટની કિંમત 41 હજાર રૂપિયા છે

    • કોંગ્રેસે પીએમના 10 લાખ રૂપિયાના સૂટ પર વાત કરી છે

    • ભાજપે રાહુલ ગાંધીનો ડિઝાઇનર ટી-શર્ટ પહેરેલો ફોટો શેર કર્યો છે જેની કિંમત 41,000 રૂપિયા છે



    ભાજપે રાહુલ ગાંધીનો 41 હજાર રૂપિયાની બરબેરી ટી-શર્ટ પહેરેલ ફોટો ટ્વિટ કર્યો 

    કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર નિશાન સાધતા ભાજપે ફોટોનું કેપ્શન આપ્યું "ભારત જુઓ"


    કોંગ્રેસે વળતો જવાબ આપ્યો કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની કિંમત 10 લાખ રૂપિયા છે



    રાહુલ ગાંધીએ બરબેરી ટી-શર્ટ પહેરી હતી જેની કિંમત રૂ. 41,000 થી વધુ હતી અને તે કપડા પર ભાજપે પ્રહાર કર્યા હતા 

    એક ટ્વિટમાં, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર પ્રહારો કર્યા, જેઓ હાલમાં પાર્ટીની 'ભારત જોડો યાત્રા' પર છે. ભાજપે સફેદ બરબેરી ટી-શર્ટમાં રાહુલ ગાંધીની તસવીર શેર કરી અને સાથે સાથે ટી-શર્ટની કિંમત કેપ્શન સાથે પોસ્ટ કરી






    રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

    ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

    દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

    સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.