Kedarnath પહોંચેલા Rahul Gandhiએ શ્રદ્ધાળુઓને વેચી ચા! લોકો સાથે માણી ચાની મજા


  • Published By :
  • Published Date : 2023-11-06 16:50:44

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે ઉપરાંત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એક તરફ ચૂંટણી પ્રચારનો ધમધમાટ છે તો બીજી તરફ રાહુલ ગાંધી એકાંતવાસ ભોગવવા માટે કેદારનાથ ધામ પહોંચ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાબા કેદારનાથને શરણે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના અનેક ફોટો તેમજ વીડિયો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ફોટાને શેર કરવામાં આવ્યા છે. પ્રસાદનું વિતરણ કરતા તેઓ દેખાઈ રહ્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ચાની ચૂકસી લેતા જોવા મળે છે. ચા પીરસતા રાહુલ ગાંધી દેખાયા હતા.

કેદારનાથમાં રાહુલ ગાંધી

સ્થાનિક લોકોની રાહુલ ગાંધીએ કરી મુલાકાત 

બાબા કેદારનાથના દર્શનાર્થે લાખો લોકો આવે છે. લાખો ભક્તો ચારધામની યાત્રાએ ગયા હતા અને ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. અનેક બોલિવુડ એક્ટર તેમજ નેતાઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કેદારનાથના શરણે પહોંચ્યા હતા અને શીશ ઝુકાવ્યું હતું. હેલિપેડથી સામાન્ય માણસની જેમ તેમણે મુસાફરી કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક લોકોની સાથે પણ વાતચીત તેમ જ મુલાકાત કરી હતી.


લાઈનમાં ઉભા રહેલા લોકોને રાહુલ ગાંધીએ પિરસી ચા!

આ યાત્રાને લઈ કહેવામાં આવી રહ્યું છે કે આ તેમની ધાર્મિક યાત્રા છે. રાહુલ ગાંધીની સાદગી જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા અનેક વીડિયો તેમજ ફોટો શેર કરવામાં આવ્યા છે. પ્રસાદનું વિતરણ કરતા તેઓ દેખાઈ રહ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ લાઈનમાં ઉભા રેહલા મુસાફરોને ચા વેચી રહ્યા છે. રાહુલ ગાંધી રવિવાર બપોરે કેદારનાથ પહોંચ્યા હતા. આ યાત્રા 3 દિવસ સુધી ચાલવાની છે. કેદારનાથ ધામમાં જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


આ યાત્રાને કોંગ્રેસે ગણાવી રાહુલ ગાંધીની અંગત યાત્રા 

ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીની આ યાત્રાને લઈ રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થઈ રહી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી રાજકીય નિવેદનો આપવાથી બચી રહ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને સંપૂર્ણ રીતે વ્યક્તિગત અને આધ્યાત્મિક મુલાકાત ગણાવવામાં આવી રહી છે, ઉત્તરાખંડ કોંગ્રેસ દ્વારા આ અંગે કોઈ ઔપચારિક રીતે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ઉત્તરાખંડ કોંગ્રેસના અધિકારીએ કહ્યું કે આ રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા છે અને કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ યાત્રાને રાહુલ ગાંધીની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રાનું સન્માન કરે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે