ગુજરાત આવી રાહુલ ગાંધી કરશે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-06 15:37:44

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ પ્રચાર માટે કમરકસી લીધી છે. ગ્રાઉન્ડ લેવલ પર જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે પ્રચાર માટે પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ સિવાયની અન્ય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી પણ ગુજરાત આવવાના છે. 

Will he, will he not: Congress' Rahul Gandhi dilemma | Deccan Herald

10 નવેમ્બરના રોજ રાહુલ આવી શકે છે ગુજરાત

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. પરંતુ ગુજરાતમાંથી આ યાત્રા નથી નીકળવાની. પરંતુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાને કારણે તેઓ ભારત જોડો યાત્રાની વચ્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે. મળતી માહિતી મુજબ તે 10 નવેમ્બરના રોજ વલસાડ ખાતે આવી જનસભાને સંબોધી શકે છે. 

Priyanka Gandhi Vadra: For the fight now, Congress needs people with guts,  ideology and stamina: Priyanka Gandhi Vadra - The Economic Times

પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે નથી આવ્યા ગુજરાત  

ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ગાંધી પરિવાર આ ચૂંટણીથી દૂર રહેવા માગતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા નથી તો રાહુલ ગાંધી આવ્યા. બંને માંથી કોઈ નેતાએ ગુજરાતમાં રેલી નથી કરી. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવી રણનીતિ બનાવી શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે.   

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અશોક ગેહલોત 

ગુજરાતમાં પ્રચારની કમાન અશોક ગેહલોતે સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત તે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને સંબોધવાના છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.