ગુજરાત આવી રાહુલ ગાંધી કરશે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-06 15:37:44

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ પ્રચાર માટે કમરકસી લીધી છે. ગ્રાઉન્ડ લેવલ પર જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે પ્રચાર માટે પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ સિવાયની અન્ય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી પણ ગુજરાત આવવાના છે. 

Will he, will he not: Congress' Rahul Gandhi dilemma | Deccan Herald

10 નવેમ્બરના રોજ રાહુલ આવી શકે છે ગુજરાત

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. પરંતુ ગુજરાતમાંથી આ યાત્રા નથી નીકળવાની. પરંતુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાને કારણે તેઓ ભારત જોડો યાત્રાની વચ્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે. મળતી માહિતી મુજબ તે 10 નવેમ્બરના રોજ વલસાડ ખાતે આવી જનસભાને સંબોધી શકે છે. 

Priyanka Gandhi Vadra: For the fight now, Congress needs people with guts,  ideology and stamina: Priyanka Gandhi Vadra - The Economic Times

પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે નથી આવ્યા ગુજરાત  

ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ગાંધી પરિવાર આ ચૂંટણીથી દૂર રહેવા માગતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા નથી તો રાહુલ ગાંધી આવ્યા. બંને માંથી કોઈ નેતાએ ગુજરાતમાં રેલી નથી કરી. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવી રણનીતિ બનાવી શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે.   

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અશોક ગેહલોત 

ગુજરાતમાં પ્રચારની કમાન અશોક ગેહલોતે સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત તે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને સંબોધવાના છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.