ગુજરાત આવી રાહુલ ગાંધી કરશે કોંગ્રેસનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-06 15:37:44

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ પ્રચાર માટે કમરકસી લીધી છે. ગ્રાઉન્ડ લેવલ પર જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે પ્રચાર માટે પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ સિવાયની અન્ય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી પણ ગુજરાત આવવાના છે. 

Will he, will he not: Congress' Rahul Gandhi dilemma | Deccan Herald

10 નવેમ્બરના રોજ રાહુલ આવી શકે છે ગુજરાત

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. પરંતુ ગુજરાતમાંથી આ યાત્રા નથી નીકળવાની. પરંતુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાને કારણે તેઓ ભારત જોડો યાત્રાની વચ્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે. મળતી માહિતી મુજબ તે 10 નવેમ્બરના રોજ વલસાડ ખાતે આવી જનસભાને સંબોધી શકે છે. 

Priyanka Gandhi Vadra: For the fight now, Congress needs people with guts,  ideology and stamina: Priyanka Gandhi Vadra - The Economic Times

પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે નથી આવ્યા ગુજરાત  

ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ગાંધી પરિવાર આ ચૂંટણીથી દૂર રહેવા માગતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા નથી તો રાહુલ ગાંધી આવ્યા. બંને માંથી કોઈ નેતાએ ગુજરાતમાં રેલી નથી કરી. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવી રણનીતિ બનાવી શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે.   

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અશોક ગેહલોત 

ગુજરાતમાં પ્રચારની કમાન અશોક ગેહલોતે સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત તે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને સંબોધવાના છે.  




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."