ગુજરાત આવી રાહુલ ગાંધી કરશે કોંગ્રેસનો પ્રચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-06 15:37:44

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ પ્રચાર માટે કમરકસી લીધી છે. ગ્રાઉન્ડ લેવલ પર જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે પ્રચાર માટે પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ સિવાયની અન્ય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી પણ ગુજરાત આવવાના છે. 

Will he, will he not: Congress' Rahul Gandhi dilemma | Deccan Herald

10 નવેમ્બરના રોજ રાહુલ આવી શકે છે ગુજરાત

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. પરંતુ ગુજરાતમાંથી આ યાત્રા નથી નીકળવાની. પરંતુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાને કારણે તેઓ ભારત જોડો યાત્રાની વચ્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે. મળતી માહિતી મુજબ તે 10 નવેમ્બરના રોજ વલસાડ ખાતે આવી જનસભાને સંબોધી શકે છે. 

Priyanka Gandhi Vadra: For the fight now, Congress needs people with guts,  ideology and stamina: Priyanka Gandhi Vadra - The Economic Times

પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે નથી આવ્યા ગુજરાત  

ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ગાંધી પરિવાર આ ચૂંટણીથી દૂર રહેવા માગતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા નથી તો રાહુલ ગાંધી આવ્યા. બંને માંથી કોઈ નેતાએ ગુજરાતમાં રેલી નથી કરી. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવી રણનીતિ બનાવી શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે.   

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અશોક ગેહલોત 

ગુજરાતમાં પ્રચારની કમાન અશોક ગેહલોતે સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત તે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને સંબોધવાના છે.  




એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .