Rahul Gandhiની સંસદમાં થશે વાપસી, અધિસૂચના કરાઈ જાહેર, કોંગ્રેસમાં છવાયો આનંદ


  • Published By :
  • Published Date : 2023-08-07 12:44:25

રાહુલ ગાંધીને મોટી રાહત સુપ્રીમ કોર્ટથી મળી હતી. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ રાહુલ ગાંધીને બે વર્ષની સજા મળી હતી. તેમને આપવામાં આવેલી સજાને કારણે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ્દ થઈ ગયું હતું. તેમની સદસ્યતા લેવાઈ હતી. ત્યારે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને આ કેસને લઈ મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી હતી જેને કારણે તેમને સાંસદ તરીકેનું પદ પાછું મળી ગયું છે. 136 દિવસ પછી રાહુલ ગાંધીને પોતાનું પદ પાછું મળતા કોંગ્રેસના નેતાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાંસદ પદ અંગે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. સાંસદ પદ મળ્યા બાદ રાહુલ ગાંધી સાંસદ પહોંચ્યા હતા જ્યાં તેમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. INDIA ગઠબંધનના સાંસદોએ નારા લગાવી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. 

રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસમાં આનંદની લહેર 

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ વખતની સંસદમાં રાહુલ ગાંધી પોતાની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થવાને કારણે હાજર રહી શકતા ન હતા. પરંતુ મોદી સરનેમ કેસને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સજા પરના સ્ટેને કારણે તેમને પોતાનું સાંસદ પદ મળ્યું છે. રાહુલ ગાંધીને પોતાનું સાંસદ પદ પાછું મળતા કોંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી હતી. કોંગ્રેસ કાર્યાલયમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.


શું હતો સમગ્ર મામલો?

સમગ્ર મામલાની વાત કરીએ તો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવદેનને લઈ ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કરી દીધો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા મળવાને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચૂકાદાને કારણે રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે અને તેમનું સાંસદ તરીકેનું પદ તેમને પાછું મળ્યું  છે.  





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .