Rahul Gandhiની સંસદમાં થશે વાપસી, અધિસૂચના કરાઈ જાહેર, કોંગ્રેસમાં છવાયો આનંદ


  • Published By :
  • Published Date : 2023-08-07 12:44:25

રાહુલ ગાંધીને મોટી રાહત સુપ્રીમ કોર્ટથી મળી હતી. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ રાહુલ ગાંધીને બે વર્ષની સજા મળી હતી. તેમને આપવામાં આવેલી સજાને કારણે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ્દ થઈ ગયું હતું. તેમની સદસ્યતા લેવાઈ હતી. ત્યારે થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને આ કેસને લઈ મોટી રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી હતી જેને કારણે તેમને સાંસદ તરીકેનું પદ પાછું મળી ગયું છે. 136 દિવસ પછી રાહુલ ગાંધીને પોતાનું પદ પાછું મળતા કોંગ્રેસના નેતાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાંસદ પદ અંગે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. સાંસદ પદ મળ્યા બાદ રાહુલ ગાંધી સાંસદ પહોંચ્યા હતા જ્યાં તેમનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. INDIA ગઠબંધનના સાંસદોએ નારા લગાવી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. 

રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસમાં આનંદની લહેર 

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓને લઈ અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આ વખતની સંસદમાં રાહુલ ગાંધી પોતાની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થવાને કારણે હાજર રહી શકતા ન હતા. પરંતુ મોદી સરનેમ કેસને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સજા પરના સ્ટેને કારણે તેમને પોતાનું સાંસદ પદ મળ્યું છે. રાહુલ ગાંધીને પોતાનું સાંસદ પદ પાછું મળતા કોંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી હતી. કોંગ્રેસ કાર્યાલયમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.


શું હતો સમગ્ર મામલો?

સમગ્ર મામલાની વાત કરીએ તો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવદેનને લઈ ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કરી દીધો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને સજા મળવાને કારણે તેમનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલા ચૂકાદાને કારણે રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે અને તેમનું સાંસદ તરીકેનું પદ તેમને પાછું મળ્યું  છે.  





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.