કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસની ભારત જોડો યાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 12:15:56

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેક રાજકીય પાર્ટી હરકતમાં આવી ગઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ બની રહે તે માટે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજથી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ભારત જોડો યાત્રા શરૂ કરશે.


કેવી રીતે યોજાશે ભારત જોડો યાત્રા?

3570 કિલોમીટર ચાલનારી આ યાત્રામાં 12 રાજ્યો તેમજ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને જોડાશે. આશરે 5 મહિના સુધી ચાલનારી આ યાત્રાનો પ્રારંભ રાહુલ ગાંધી તમિલનાડુથી કરાવવાના છે. મળતી માહિતી મુજબ 300 લોકો આ યાત્રામાં ભાગ લેવાના છે. યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા તેમજ નેતા દરરોજ 6-7 કલાક ચાલશે. યાત્રા દરમિયાન વધતી જતી મોંધવારી, બેરોજગારી સહિતના મુદ્દાને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસો કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવશે. આ યાત્રામાં રાજસ્થાનના તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી પણ સામેલ થવાના છે. 


રાહુલ ગાંધીએ યાત્રા પહેલા પિતાના સ્મારકના આશિર્વાદ લીધા

પદયાત્રાની શરૂઆત પહેલા સવારે રાહુલ ગાંધી તમિલનાડુના શ્રીપેરૂમબુદુર શહેર ખાતે પહોંચ્યા હતા. કાંચીપુરમ ખાતે આવેલા પિતા રાજીવ ગાંધીના શહીદ સ્મારકે જઈ શ્રદ્ઘાંજલિ અર્પણ કરી તેમના આશીર્વાદ લીધા હતા. તે ઉપરાંત બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવારની પણ મુલાકાત લીધી હતી.


ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય, દરેક પાર્ટી જીત મેળવવા માટે પ્રયાસો કરી રહી છે. પોતાની રણનીતી પ્રમાણે પાર્ટી પોતાના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા વિવિધ કાર્યક્રમો તેમજ રેલીઓ કરી રહ્યા છે. સંગઠનના અભાવથી નબળી પડી રહેલી કોંગ્રેસમાં નવો જોમ ઉમેરવા રાહુલ ગાંધી મેદાનમાં ઉતરી પ્રચાર કરી રહ્યા છે. ક્યાંક કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે તો અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેને કારણે કોંગ્રેસમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. દેશમાંથી કોંગ્રેસનો દબદબો ઓછો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસને સીટો મેળવવાના ફાંફા પડી રહ્યા છે. જેને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ત્યારે ભારત જોડો યાત્રાથી નિરાશ કાર્યકર્તાઓમાં જુસ્સો રહેશે તે જોવાનું રહેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.