કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસની ભારત જોડો યાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 12:15:56

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેક રાજકીય પાર્ટી હરકતમાં આવી ગઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ બની રહે તે માટે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજથી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ભારત જોડો યાત્રા શરૂ કરશે.


કેવી રીતે યોજાશે ભારત જોડો યાત્રા?

3570 કિલોમીટર ચાલનારી આ યાત્રામાં 12 રાજ્યો તેમજ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને જોડાશે. આશરે 5 મહિના સુધી ચાલનારી આ યાત્રાનો પ્રારંભ રાહુલ ગાંધી તમિલનાડુથી કરાવવાના છે. મળતી માહિતી મુજબ 300 લોકો આ યાત્રામાં ભાગ લેવાના છે. યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા તેમજ નેતા દરરોજ 6-7 કલાક ચાલશે. યાત્રા દરમિયાન વધતી જતી મોંધવારી, બેરોજગારી સહિતના મુદ્દાને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસો કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવશે. આ યાત્રામાં રાજસ્થાનના તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી પણ સામેલ થવાના છે. 


રાહુલ ગાંધીએ યાત્રા પહેલા પિતાના સ્મારકના આશિર્વાદ લીધા

પદયાત્રાની શરૂઆત પહેલા સવારે રાહુલ ગાંધી તમિલનાડુના શ્રીપેરૂમબુદુર શહેર ખાતે પહોંચ્યા હતા. કાંચીપુરમ ખાતે આવેલા પિતા રાજીવ ગાંધીના શહીદ સ્મારકે જઈ શ્રદ્ઘાંજલિ અર્પણ કરી તેમના આશીર્વાદ લીધા હતા. તે ઉપરાંત બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવારની પણ મુલાકાત લીધી હતી.


ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય, દરેક પાર્ટી જીત મેળવવા માટે પ્રયાસો કરી રહી છે. પોતાની રણનીતી પ્રમાણે પાર્ટી પોતાના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા વિવિધ કાર્યક્રમો તેમજ રેલીઓ કરી રહ્યા છે. સંગઠનના અભાવથી નબળી પડી રહેલી કોંગ્રેસમાં નવો જોમ ઉમેરવા રાહુલ ગાંધી મેદાનમાં ઉતરી પ્રચાર કરી રહ્યા છે. ક્યાંક કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે તો અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેને કારણે કોંગ્રેસમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. દેશમાંથી કોંગ્રેસનો દબદબો ઓછો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસને સીટો મેળવવાના ફાંફા પડી રહ્યા છે. જેને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ત્યારે ભારત જોડો યાત્રાથી નિરાશ કાર્યકર્તાઓમાં જુસ્સો રહેશે તે જોવાનું રહેશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.