આવતીકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 14:37:41

STORY BY SAMIR PARMAR

5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી ચૂંટણીના આયોજન માટે બુથ કાર્યકર્તાઓને સંબોધશે અને ચૂંટણી મામલે કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ 5 સપ્ટેમ્બરના રોજ મળશે. જોકે મહત્વની વાત છે ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ધ્યાન રાખવા માટે આવતીકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અશોક ગેહલોત કોંગ્રેસના બુથલેવલના કોંગ્રેસી કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ મામલે બેઠકો યોજશે. 

 

અત્યાર સુધી કેવી રહી કોંગ્રેસની કામગીરી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જમીની સ્તર પર મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજી હતી. અમદાવાદ વિસ્તારની 8 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે ગ્રાઉન્ડ પર જઈ પરિવર્તન સંકલ્પયાત્રાથી જનસંપર્ક કર્યો હતો.  ટૂંક સમય પહેલા કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત પણ બે દિવસીય પ્રવાસ માટે ગુજરાતઆવ્યા હતા અને કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે બેઠકો અને સંવાદો કર્યા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીની પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  


ગુજરાતમાં આ સમયે ત્રીપાંખીયો જંગ જામશે માટે કોંગ્રેસને બે પાર્ટીઓ સામે જંગ લડવી પડશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી શાસન છે અને આમ આદમી પાર્ટીના આગમન સાથે જ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા અને કામની ગેરંટીના કારણે વધી ગઈ છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે તે જોવાનું રહેશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.