આવતીકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 14:37:41

STORY BY SAMIR PARMAR

5 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી ચૂંટણીના આયોજન માટે બુથ કાર્યકર્તાઓને સંબોધશે અને ચૂંટણી મામલે કોંગ્રેસના કાર્યકરોને માર્ગદર્શન આપશે. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક પણ 5 સપ્ટેમ્બરના રોજ મળશે. જોકે મહત્વની વાત છે ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે ધ્યાન રાખવા માટે આવતીકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અશોક ગેહલોત કોંગ્રેસના બુથલેવલના કોંગ્રેસી કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ સાથે ચૂંટણી રણનીતિ મામલે બેઠકો યોજશે. 

 

અત્યાર સુધી કેવી રહી કોંગ્રેસની કામગીરી?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જમીની સ્તર પર મહેનત કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજી હતી. અમદાવાદ વિસ્તારની 8 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે ગ્રાઉન્ડ પર જઈ પરિવર્તન સંકલ્પયાત્રાથી જનસંપર્ક કર્યો હતો.  ટૂંક સમય પહેલા કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત પણ બે દિવસીય પ્રવાસ માટે ગુજરાતઆવ્યા હતા અને કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે બેઠકો અને સંવાદો કર્યા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીની પ્રવાસની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  


ગુજરાતમાં આ સમયે ત્રીપાંખીયો જંગ જામશે માટે કોંગ્રેસને બે પાર્ટીઓ સામે જંગ લડવી પડશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી શાસન છે અને આમ આદમી પાર્ટીના આગમન સાથે જ અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા અને કામની ગેરંટીના કારણે વધી ગઈ છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડશે તે જોવાનું રહેશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .