કેન્દ્ર સરકાર રેલવેની જમીનો લાંબા ગાળાની લીઝ પર આપશે, 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:35:06

કેન્દ્ર સરકારે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની એક નીતિને મંજૂરી આપી છે,રેલવેની જમીનો લાંબા ગાળાના ધોરણે લીઝ પર અપાશે 5 વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે




પહેલા જાણો લીઝ એટલે શું ? 

ઉત્પાદક અથવા વિક્રેતાની માલિકીની મિલકત કોઈ વ્યક્તિને પસંદ પડે તો તેના વપરાશ અને કબજાના હકો મેળવવા માટે કરેલો કરાર. આવો કરાર ભાડાપટો લેનાર (lessee) અને ભાડાપટો આપનાર (lessor) વચ્ચે થતો હોય છે. લીઝના નાણાકીય લીઝ (financial lease) અને પરિચાલન લીઝ (operating lease) એવા બે પ્રકારો છે. નાણાકીય લીઝ હેઠળ ભાડાપટો આપનાર ભાડાપટો લેનારને મિલકતની ખરીદી માટે નાણાં પૂરાં પાડે છે; ભાડાપટો લેનાર મિલકતનો વર્ષોવર્ષ ઉપયોગ કરવાનું ભાડું ભાડાપટો આપનારને સરળ હપતામાં ચૂકવે છે અને ભાડાની રકમ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જ્યારે હપતા ભરવાની અવધિ પૂરી થાય ત્યારે ભાડાપટો આપનારને પોતે પૂરી પાડેલી મૂડી થોડા નફા સાથે પાછી મળે છે.


દેશમાં સૌથી વધારે જમીન રેલવે પાસે છે અને હવે કેન્દ્ર સરકારે રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ પર આપવાનો નિર્ણય લીધો છે અને તે માટેની એક નીતિને પણ મંજૂરી આપી દીધી છે.

બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવેની જમીન સંબંધિત એક મોટો નિર્ણય લેવાયો છે જેમાં પીએમ ગતિ શક્તિ યોજનાને વેગ આપવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવા સંબંધિત એક નીતિને મંજૂર કરવામાં આવી છે. 


90 દિવસમાં નીતિનો અમલ થશે 

કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કનો અમલ કરવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની નીતિનો આગામી 90 દિવસમાં અમલ કરવામાં આવશે.


પીએમ ગતિ શક્તિ યોજનાને ફંડ પુરુ પડાશે

રેલવેની જમીનને લીઝ પર આપીને જે પણ ફંડ આવશે તેનો ઉપયોગ પીએમ ગતિ શક્તિ યોજના માટે કરવામાં આવશે.


300 કાર્ગો ટર્મિનલ બનાવાશે, 1.2 લાખ નોકરીઓનોનું સર્જન થશે

સરકારે 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે અને આને કારણે 1.2 લાખ નવી નોકરીઓનું સર્જન થશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.