કેન્દ્ર સરકાર રેલવેની જમીનો લાંબા ગાળાની લીઝ પર આપશે, 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 17:35:06

કેન્દ્ર સરકારે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની એક નીતિને મંજૂરી આપી છે,રેલવેની જમીનો લાંબા ગાળાના ધોરણે લીઝ પર અપાશે 5 વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે




પહેલા જાણો લીઝ એટલે શું ? 

ઉત્પાદક અથવા વિક્રેતાની માલિકીની મિલકત કોઈ વ્યક્તિને પસંદ પડે તો તેના વપરાશ અને કબજાના હકો મેળવવા માટે કરેલો કરાર. આવો કરાર ભાડાપટો લેનાર (lessee) અને ભાડાપટો આપનાર (lessor) વચ્ચે થતો હોય છે. લીઝના નાણાકીય લીઝ (financial lease) અને પરિચાલન લીઝ (operating lease) એવા બે પ્રકારો છે. નાણાકીય લીઝ હેઠળ ભાડાપટો આપનાર ભાડાપટો લેનારને મિલકતની ખરીદી માટે નાણાં પૂરાં પાડે છે; ભાડાપટો લેનાર મિલકતનો વર્ષોવર્ષ ઉપયોગ કરવાનું ભાડું ભાડાપટો આપનારને સરળ હપતામાં ચૂકવે છે અને ભાડાની રકમ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જ્યારે હપતા ભરવાની અવધિ પૂરી થાય ત્યારે ભાડાપટો આપનારને પોતે પૂરી પાડેલી મૂડી થોડા નફા સાથે પાછી મળે છે.


દેશમાં સૌથી વધારે જમીન રેલવે પાસે છે અને હવે કેન્દ્ર સરકારે રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ પર આપવાનો નિર્ણય લીધો છે અને તે માટેની એક નીતિને પણ મંજૂરી આપી દીધી છે.

બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવેની જમીન સંબંધિત એક મોટો નિર્ણય લેવાયો છે જેમાં પીએમ ગતિ શક્તિ યોજનાને વેગ આપવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવા સંબંધિત એક નીતિને મંજૂર કરવામાં આવી છે. 


90 દિવસમાં નીતિનો અમલ થશે 

કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કનો અમલ કરવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની નીતિનો આગામી 90 દિવસમાં અમલ કરવામાં આવશે.


પીએમ ગતિ શક્તિ યોજનાને ફંડ પુરુ પડાશે

રેલવેની જમીનને લીઝ પર આપીને જે પણ ફંડ આવશે તેનો ઉપયોગ પીએમ ગતિ શક્તિ યોજના માટે કરવામાં આવશે.


300 કાર્ગો ટર્મિનલ બનાવાશે, 1.2 લાખ નોકરીઓનોનું સર્જન થશે

સરકારે 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે અને આને કારણે 1.2 લાખ નવી નોકરીઓનું સર્જન થશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.