Gujaratમાં વરસાદની જમાવટ, મોટા ભાગના વિસ્તારો માટે અપાયું એલર્ટ, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2024-08-26 15:28:10

ગુજરાતમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. રવિવારથી મેઘો જોરદાર વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે..એટલો બધો વરસાદ વરસ્યો છે કે અનેક જિલ્લાઓમાં કે વરસાદી મહેર વરસાદી કહેરમાં બદલાઈ ગઈ છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માત્ર થોડા જ જિલ્લાઓ એવા છે જ્યા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ગીર સોમનાથ તેમજ પોરબંદર માટે અપાયું ઓરેન્જ એલર્ટ, બાકી બધા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે..




મોટા ભાગના વિસ્તારો માટે અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.. રાજ્યમાં 244 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.    



મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક 

ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. અનેક ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે. વધારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સીએમ પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો મેળવી હતી. મહત્વનું છે કે અનેક જગ્યાઓથી વરસાદી વરસાદના તબાહીની તસવીર સામે આવી છે. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદી માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.