Gujaratમાં વરસાદની જમાવટ, મોટા ભાગના વિસ્તારો માટે અપાયું એલર્ટ, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2024-08-26 15:28:10

ગુજરાતમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. રવિવારથી મેઘો જોરદાર વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે..એટલો બધો વરસાદ વરસ્યો છે કે અનેક જિલ્લાઓમાં કે વરસાદી મહેર વરસાદી કહેરમાં બદલાઈ ગઈ છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માત્ર થોડા જ જિલ્લાઓ એવા છે જ્યા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ગીર સોમનાથ તેમજ પોરબંદર માટે અપાયું ઓરેન્જ એલર્ટ, બાકી બધા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે..




મોટા ભાગના વિસ્તારો માટે અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.. રાજ્યમાં 244 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.    



મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક 

ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. અનેક ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે. વધારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સીએમ પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો મેળવી હતી. મહત્વનું છે કે અનેક જગ્યાઓથી વરસાદી વરસાદના તબાહીની તસવીર સામે આવી છે. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદી માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.