Gujaratમાં વરસાદની જમાવટ, મોટા ભાગના વિસ્તારો માટે અપાયું એલર્ટ, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2024-08-26 15:28:10

ગુજરાતમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. રવિવારથી મેઘો જોરદાર વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે..એટલો બધો વરસાદ વરસ્યો છે કે અનેક જિલ્લાઓમાં કે વરસાદી મહેર વરસાદી કહેરમાં બદલાઈ ગઈ છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માત્ર થોડા જ જિલ્લાઓ એવા છે જ્યા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ગીર સોમનાથ તેમજ પોરબંદર માટે અપાયું ઓરેન્જ એલર્ટ, બાકી બધા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે..




મોટા ભાગના વિસ્તારો માટે અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.. રાજ્યમાં 244 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.    



મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક 

ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. અનેક ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે. વધારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સીએમ પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો મેળવી હતી. મહત્વનું છે કે અનેક જગ્યાઓથી વરસાદી વરસાદના તબાહીની તસવીર સામે આવી છે. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદી માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.