Gujaratમાં વરસાદની જમાવટ, મોટા ભાગના વિસ્તારો માટે અપાયું એલર્ટ, મુખ્યમંત્રીએ બોલાવી બેઠક


  • Published By :
  • Published Date : 2024-08-26 15:28:10

ગુજરાતમાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. રવિવારથી મેઘો જોરદાર વરસી રહ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે..એટલો બધો વરસાદ વરસ્યો છે કે અનેક જિલ્લાઓમાં કે વરસાદી મહેર વરસાદી કહેરમાં બદલાઈ ગઈ છે.. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માત્ર થોડા જ જિલ્લાઓ એવા છે જ્યા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ગીર સોમનાથ તેમજ પોરબંદર માટે અપાયું ઓરેન્જ એલર્ટ, બાકી બધા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અનેક જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે..




મોટા ભાગના વિસ્તારો માટે અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વરસાદ સારો થશે તેની આગાહી કરવામાં આવી રહી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ રહી છે. જનમાષ્ટમીના દિવસે ગુજરાતને વરસાદ ઘમરોળી રહ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે.. રાજ્યમાં 244 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.    



મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક 

ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. અનેક ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે. વધારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સીએમ પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો મેળવી હતી. મહત્વનું છે કે અનેક જગ્યાઓથી વરસાદી વરસાદના તબાહીની તસવીર સામે આવી છે. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદી માહોલ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.