રાજ્યમાં ફરી માવઠાની આગાહી, 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-05-28 22:10:39

કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરરસાદની આગાહી કરવામાં આવી છે. તા 28 અને 29મી મેના રોજ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તેમજ  કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  


ક્યા પડશે વરસાદ?


સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. તા 28 અને 29મી મેના રોજ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. 28મી તારીખે અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, પાટણ, મહેસાણા, ભરૂચ, આણંદ, અમરેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. 30મી મેના રોજ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. આ દિવસે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને  કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  


પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો


હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે.   બપોર બાદ એકા-એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. હારીજમાં ફરી એકવાર કમોસમી માવઠાની શરૂઆત થઈ છે. હારીજ, કુકરાણા,બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે.   ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે.  


ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ


ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરુઆત થઈ છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાણોદર, ભંડારીયા, તણસા  સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સિંહોર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી ગઈ છે.


અમદાવાદમાં જળબંબાકાર


આજે દિવસભરના ભારે ઉકળાટ વચ્ચે આજે મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.આજે સાંજે 5 વાગ્યાની આસપાસ અચાનક વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તોફાની પવન સાથે વરસેલા વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર વૃક્ષ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. આજે શહેરના ચાંદખેડા, મોટેરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, નવા વાડજ, રાણિપ, રાયપુર, પાલડી, વસ્ત્રાપુર, એસજી હાઈવે અને બોપલ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આજે ભારે વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો રસ્તામાં અટવાયા હતા.





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.