દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી, આગામી દિવસો આ રાજ્યો માટે ભારે! જાણો આગાહી


  • Published By :
  • Published Date : 2023-07-26 17:02:47

દેશમાં ચોમાસાની મજા સજામાં ફેરવાઈ રહી છે. અનેક રાજ્યોને વરસાદે ધમરોળી નાખ્યા છે. દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા,પંજાબ સહિતના રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદ તેમજ પૂર આવવાને કારણે જનજીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વનું છે કે આગામી દિવસો દરમિયાન દેશના વિવિધ રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે આગાહી પણ જાહેર કરી છે.

ગુજરાતના જૂનાગઢમાં વરસાદે મચાવી તબાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. જૂનાગઢની હાલત એકદમ વિચલિત કરી દે તેવી થઈ ગઈ છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેક લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તે સિવાય પણ અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદે ધબધબાટી બોલાવી છે. ન માત્ર ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે પરંતુ દેશના બીજા અનેક એવા રાજ્યો છે જ્યાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહી. જેને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. અનેક રાજ્યોમાં શાળાઓ, કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભારે વરસાદને કારણે તેલંગાણાના મહબૂબનગરમાં બે કિશોરીઓ તણાઈ ગયા. આવી સરખી પરિસ્થિતિનું નિર્માણ રાજસ્થાનમાં થયુ હતું. નદીના પુલ પર બે યુવકો ફસાઈ ગયા હતા, તેમને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ રાજ્યોમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ 

ગુજરાતમાં ભલે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી હોય, પરંતુ દેશના અનેર રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા સહિત 22 જેટલા રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. મહત્વનું છે આગાહીને પગલે માછીમારોને દરીયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી થોડા કલાકો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, હરિયાણા, ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ , આસામ, અરુણાચલ પ્રદેશ માટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

પાણીમાં તણાઈ અનેક ગાડીઓ 

દિલ્હીમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા યમુના નદીનું જળસ્તર વધ્યું હતું જેને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત નદીઓના જળસ્તર વધી રહ્યા છે. ઉત્તરપ્રદેશથી પણ એક વીડિયો સામે આવ્યો છે જેની પરથી અંદાજ લગાવાઈ શકાય છે કે ત્યાંની પરિસ્થિતિ કેવી હશે? વીડિયો સામે આવ્યો છે તેમાં ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. મહત્વનું છે કે વરસાદને લઈ રાજ્યોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.