દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી, આગામી દિવસો આ રાજ્યો માટે ભારે! જાણો આગાહી


  • Published By :
  • Published Date : 2023-07-26 17:02:47

દેશમાં ચોમાસાની મજા સજામાં ફેરવાઈ રહી છે. અનેક રાજ્યોને વરસાદે ધમરોળી નાખ્યા છે. દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા,પંજાબ સહિતના રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદ તેમજ પૂર આવવાને કારણે જનજીવન એકદમ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વનું છે કે આગામી દિવસો દરમિયાન દેશના વિવિધ રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે આગાહી પણ જાહેર કરી છે.

ગુજરાતના જૂનાગઢમાં વરસાદે મચાવી તબાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. જૂનાગઢની હાલત એકદમ વિચલિત કરી દે તેવી થઈ ગઈ છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેક લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તે સિવાય પણ અનેક જિલ્લાઓ છે જ્યાં વરસાદે ધબધબાટી બોલાવી છે. ન માત્ર ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે પરંતુ દેશના બીજા અનેક એવા રાજ્યો છે જ્યાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહી. જેને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. અનેક રાજ્યોમાં શાળાઓ, કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર ભારે વરસાદને કારણે તેલંગાણાના મહબૂબનગરમાં બે કિશોરીઓ તણાઈ ગયા. આવી સરખી પરિસ્થિતિનું નિર્માણ રાજસ્થાનમાં થયુ હતું. નદીના પુલ પર બે યુવકો ફસાઈ ગયા હતા, તેમને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

આ રાજ્યોમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ 

ગુજરાતમાં ભલે વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી હોય, પરંતુ દેશના અનેર રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગોવા સહિત 22 જેટલા રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. મહત્વનું છે આગાહીને પગલે માછીમારોને દરીયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી થોડા કલાકો માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ, હરિયાણા, ઉત્તરાખંડ,ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ , આસામ, અરુણાચલ પ્રદેશ માટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

પાણીમાં તણાઈ અનેક ગાડીઓ 

દિલ્હીમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા યમુના નદીનું જળસ્તર વધ્યું હતું જેને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત નદીઓના જળસ્તર વધી રહ્યા છે. ઉત્તરપ્રદેશથી પણ એક વીડિયો સામે આવ્યો છે જેની પરથી અંદાજ લગાવાઈ શકાય છે કે ત્યાંની પરિસ્થિતિ કેવી હશે? વીડિયો સામે આવ્યો છે તેમાં ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. મહત્વનું છે કે વરસાદને લઈ રાજ્યોની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.