આજે કયા જિલ્લાના લોકોએ રેઈનકૉટ લઈને નિકળવું પડશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 09:58:28

બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે આગામી દિવસો માટે ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ગઈકાલે જ વલસાડ, અમદાવાદ અને જૂનાગઢ સહિત અનેક જિલ્લામાં વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારે આજે જાણો કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે?


આજે આ જિલ્લાના લોકો રેઈનકૉટ લઈને કામે જજો

આજે હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના છ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયો છે એટલે કે આ છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદ પડવાની કોઈ આગાહી નથી કરી. 


આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે 

હવામાન વિભાગે આવતીકાલે રવિવારે નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સાત જિલ્લામાં યલો અલર્ટ એટલે કે ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી અને ડાંગના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.