આજે કયા જિલ્લાના લોકોએ રેઈનકૉટ લઈને નિકળવું પડશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 09:58:28

બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે આગામી દિવસો માટે ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ગઈકાલે જ વલસાડ, અમદાવાદ અને જૂનાગઢ સહિત અનેક જિલ્લામાં વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારે આજે જાણો કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે?


આજે આ જિલ્લાના લોકો રેઈનકૉટ લઈને કામે જજો

આજે હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના છ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયો છે એટલે કે આ છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદ પડવાની કોઈ આગાહી નથી કરી. 


આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે 

હવામાન વિભાગે આવતીકાલે રવિવારે નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સાત જિલ્લામાં યલો અલર્ટ એટલે કે ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી અને ડાંગના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .