આજે કયા જિલ્લાના લોકોએ રેઈનકૉટ લઈને નિકળવું પડશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 09:58:28

બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે આગામી દિવસો માટે ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ગઈકાલે જ વલસાડ, અમદાવાદ અને જૂનાગઢ સહિત અનેક જિલ્લામાં વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારે આજે જાણો કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે?


આજે આ જિલ્લાના લોકો રેઈનકૉટ લઈને કામે જજો

આજે હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના છ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયો છે એટલે કે આ છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદ પડવાની કોઈ આગાહી નથી કરી. 


આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે 

હવામાન વિભાગે આવતીકાલે રવિવારે નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સાત જિલ્લામાં યલો અલર્ટ એટલે કે ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી અને ડાંગના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી