આજે કયા જિલ્લાના લોકોએ રેઈનકૉટ લઈને નિકળવું પડશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 09:58:28

બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે આગામી દિવસો માટે ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ગઈકાલે જ વલસાડ, અમદાવાદ અને જૂનાગઢ સહિત અનેક જિલ્લામાં વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારે આજે જાણો કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે?


આજે આ જિલ્લાના લોકો રેઈનકૉટ લઈને કામે જજો

આજે હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને વલસાડના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના છ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયો છે એટલે કે આ છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદ પડવાની કોઈ આગાહી નથી કરી. 


આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે 

હવામાન વિભાગે આવતીકાલે રવિવારે નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સાત જિલ્લામાં યલો અલર્ટ એટલે કે ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી અને ડાંગના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"