Rain : હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી, જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-06-08 18:39:57

રાજ્યમાં વરસાદની પધરામણી ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.. ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક લઈ શકે છે.. ચોમાસું નજીક છે જેને કારણે અનેક ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 14-15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી ગયું હશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.

Image

વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ 

કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. રાત્રીના સમયે પણ ગરમીનો અનુભવ થતો હતો. વરસાદની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે થોડા દિવસોની અંદર ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ જશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે જેને કારણે કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે..

Image

   

આવતી કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે.

Image


આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ...  

10 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી,  ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે.. આવી જ આગાહી 11 જૂન માટે કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.