Rain : હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી, જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-06-08 18:39:57

રાજ્યમાં વરસાદની પધરામણી ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.. ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક લઈ શકે છે.. ચોમાસું નજીક છે જેને કારણે અનેક ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 14-15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી ગયું હશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.

Image

વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ 

કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. રાત્રીના સમયે પણ ગરમીનો અનુભવ થતો હતો. વરસાદની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે થોડા દિવસોની અંદર ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ જશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે જેને કારણે કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે..

Image

   

આવતી કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે.

Image


આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ...  

10 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી,  ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે.. આવી જ આગાહી 11 જૂન માટે કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.