Rain : હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી, જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-06-08 18:39:57

રાજ્યમાં વરસાદની પધરામણી ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.. ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક લઈ શકે છે.. ચોમાસું નજીક છે જેને કારણે અનેક ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 14-15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી ગયું હશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.

Image

વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ 

કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. રાત્રીના સમયે પણ ગરમીનો અનુભવ થતો હતો. વરસાદની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે થોડા દિવસોની અંદર ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ જશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે જેને કારણે કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે..

Image

   

આવતી કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે.

Image


આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ...  

10 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી,  ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે.. આવી જ આગાહી 11 જૂન માટે કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.