Rain : હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી, જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-06-08 18:39:57

રાજ્યમાં વરસાદની પધરામણી ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.. ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક લઈ શકે છે.. ચોમાસું નજીક છે જેને કારણે અનેક ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 14-15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી ગયું હશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે.

Image

વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ 

કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે ઘરની બહાર નિકળતા પહેલા લોકોને વિચાર કરવો પડતો હતો. રાત્રીના સમયે પણ ગરમીનો અનુભવ થતો હતો. વરસાદની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે થોડા દિવસોની અંદર ચોમાસાની શરૂઆત ગુજરાતમાં થઈ જશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે જેને કારણે કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે..

Image

   

આવતી કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? 

આગામી દિવસોમાં ક્યાં વરસાદ વરસશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ વરસી શકે છે.

Image


આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ...  

10 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ. ડાંગ, દમણ, નવસારી, તાપી,  ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદ વરસી શકે છે.. આવી જ આગાહી 11 જૂન માટે કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.