Narmada Damમાંથી પાણી છોડાતા અનેક ગામોમાં ભરાયા પાણી,છવાયો અંધારપટ! ShaktiSinh Gohilએ ભાજપ પર કર્યા ગંભીર આરોપ, સાંભળો....


  • Published By :
  • Published Date : 2023-09-18 14:57:57

ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. માત્ર થોડા દિવસોમાં વરસેલા વરસાદે ગુજરાતના અનેક જિલ્લામાં તબાહી મચાવી છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જળસપાટીમાં વધારો થવાને કારણે અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા , ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 158 જેટલા ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અનેક ગામોમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

 

પીએમ મોદીના જન્મદિવસ પર છોડાયું પાણી!

ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીમાં નવા નીરની આવક થઈ રહી છે. નદીમાં નવા નીરની આવક થતાં ડેમનું જળસ્તર વધ્યું છે. ગઈકાલે પીએમ મોદીનો જન્મ દિવસ હતો. મુખ્યમંત્રીએ નવા નીરના વધામણ કર્યા હતા. ત્યારે અચાનક ડેમમાંથી આટલું બધુ પાણી છોડવામાં આવતા અનેક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં તો પાણી વહી રહ્યું છે પરંતુ એક સાથે આટલું બધું પાણી છોડાવવાને કારણે રસ્તાઓ પર પાણી વહી રહ્યા હતા. રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે અચાનક પાણી પીએમ મોદીના જન્મદિવસ પર છોડવામાં આવતા રાજકારણ ગરમાયું છે.


કોંગ્રેસે ભાજપની સરકાર પર લગાવ્યા આરોપ 

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. સરદાર સરોવરમાં 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે. એક સાથે આટલું બધુ પાણી છોડવામાં આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે. 

જન્મદિવસની ઉજવણી માટે સરદાર સરોવર ડેમમાં પાણી છોડાયું 

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો છે. ઉજવણીના ભાગરૂપે એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડીની જમીનો ધોવાઈ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ભાજપની આ નૌટંકી સરકારે વડાપ્રધાનને વ્હાલા થવા માટે આ પગલું લીધું હતું. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.  


અનેક જિલ્લાઓ માટે કરાયું છે એલર્ટ જાહેર   

મહત્વનું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ થવાને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .