Gujaratમાં આવશે આફતનો વરસાદ! કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં આવશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-11-23 13:56:35

ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો તો ગગડી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચેનું નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો હતો. એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 24 નવેમ્બરે નવસારી, ડાંગ, દમણ, દાદા નગરી હવેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ 25 નવેમ્બરના રોજ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 

27 નવેમ્બરે અહીંયા માટે કરાઈ વરસાદની આગાહી

26 નવેમ્બરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે જૂનાગઢ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 


માવઠાની આગાહી થતાં વધી ખેડૂતોની ચિંતા 

મહત્વનું છે કે વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોની હાલત એમ પણ દયનિય છે ત્યારે આ આગાહીને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી