Gujaratમાં આવશે આફતનો વરસાદ! કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં આવશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-11-23 13:56:35

ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો તો ગગડી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચેનું નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો હતો. એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 24 નવેમ્બરે નવસારી, ડાંગ, દમણ, દાદા નગરી હવેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ 25 નવેમ્બરના રોજ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 

27 નવેમ્બરે અહીંયા માટે કરાઈ વરસાદની આગાહી

26 નવેમ્બરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે જૂનાગઢ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 


માવઠાની આગાહી થતાં વધી ખેડૂતોની ચિંતા 

મહત્વનું છે કે વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોની હાલત એમ પણ દયનિય છે ત્યારે આ આગાહીને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.