Gujaratમાં આવશે આફતનો વરસાદ! કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં આવશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-11-23 13:56:35

ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો તો ગગડી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચેનું નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો હતો. એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 24 નવેમ્બરે નવસારી, ડાંગ, દમણ, દાદા નગરી હવેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છના અનેક ભાગોમાં વરસાદ 25 નવેમ્બરના રોજ વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વલસાડ, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 

27 નવેમ્બરે અહીંયા માટે કરાઈ વરસાદની આગાહી

26 નવેમ્બરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આગાહી મુજબ અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, પાટણ, સાબરકાંઠા, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે જૂનાગઢ, નવસારી, ભાવનગર, ડાંગ, અમરેલી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. 


માવઠાની આગાહી થતાં વધી ખેડૂતોની ચિંતા 

મહત્વનું છે કે વરસાદની આગાહી કરતા જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતોની હાલત એમ પણ દયનિય છે ત્યારે આ આગાહીને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. પાક બગડવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.