જૂનમાં ફરી આવશે આંધી વંટોળ સાથે વરસાદ! જાણો ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-16 15:16:38

ઉનાળામાં આવી રહેલા કમોસમી વરસાદને કારણે એવું લાગે કે જાણે ચોમાસું આવી ગયું હોય.. પ્રતિદિન વરસાદને લઈ આગાહી કરવામા આવી રહી છે.. આજે અહીંયા વરસાદની શક્યતા છે આ જગ્યા પર માવઠું આવી શકે છે વગેરે વગેરે...કમોસમી વરસાદને લઈ એક તરફ વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જ્યારે આ વખતનું ચોમાસું કેવું રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 17 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે. 


17 તારીખ બાદ કરાઈ છે હીટવેવની આગાહી 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે... એક તરફ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે.. 17 તારીખ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો એકદમ વધી જશે જેને કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે તેની ભીતિ સેવાઈ રહી છે આ બધા વચ્ચે ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસું જલદી આવશે. 


અંબાલાલ કાકાએ ચોમાસાને લઈ કરી આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષનું ચોમાસું સારૂં રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે 7 જૂનની આસપાસ પવન બદલાશે. ઉપરાંત સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થશે. તારીખ 7થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક ભાગમાં 18થી 25 જૂન દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આંધી વંટોળની સાથે આ વર્ષે ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. ગાજવીજ તેમજ આંધી અને વંટોળ આ સિઝનમાં વધારે જોવા મળી શકે છે તેવી વાત તેમણે કરી હતી.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.