જૂનમાં ફરી આવશે આંધી વંટોળ સાથે વરસાદ! જાણો ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-16 15:16:38

ઉનાળામાં આવી રહેલા કમોસમી વરસાદને કારણે એવું લાગે કે જાણે ચોમાસું આવી ગયું હોય.. પ્રતિદિન વરસાદને લઈ આગાહી કરવામા આવી રહી છે.. આજે અહીંયા વરસાદની શક્યતા છે આ જગ્યા પર માવઠું આવી શકે છે વગેરે વગેરે...કમોસમી વરસાદને લઈ એક તરફ વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જ્યારે આ વખતનું ચોમાસું કેવું રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 17 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે. 


17 તારીખ બાદ કરાઈ છે હીટવેવની આગાહી 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે... એક તરફ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે.. 17 તારીખ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો એકદમ વધી જશે જેને કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે તેની ભીતિ સેવાઈ રહી છે આ બધા વચ્ચે ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસું જલદી આવશે. 


અંબાલાલ કાકાએ ચોમાસાને લઈ કરી આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષનું ચોમાસું સારૂં રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે 7 જૂનની આસપાસ પવન બદલાશે. ઉપરાંત સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થશે. તારીખ 7થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક ભાગમાં 18થી 25 જૂન દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આંધી વંટોળની સાથે આ વર્ષે ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. ગાજવીજ તેમજ આંધી અને વંટોળ આ સિઝનમાં વધારે જોવા મળી શકે છે તેવી વાત તેમણે કરી હતી.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.