જૂનમાં ફરી આવશે આંધી વંટોળ સાથે વરસાદ! જાણો ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-05-16 15:16:38

ઉનાળામાં આવી રહેલા કમોસમી વરસાદને કારણે એવું લાગે કે જાણે ચોમાસું આવી ગયું હોય.. પ્રતિદિન વરસાદને લઈ આગાહી કરવામા આવી રહી છે.. આજે અહીંયા વરસાદની શક્યતા છે આ જગ્યા પર માવઠું આવી શકે છે વગેરે વગેરે...કમોસમી વરસાદને લઈ એક તરફ વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરાઈ છે જ્યારે આ વખતનું ચોમાસું કેવું રહેશે તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 17 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે. 


17 તારીખ બાદ કરાઈ છે હીટવેવની આગાહી 

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે... એક તરફ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે.. 17 તારીખ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો એકદમ વધી જશે જેને કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે તેની ભીતિ સેવાઈ રહી છે આ બધા વચ્ચે ચોમાસાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસું જલદી આવશે. 


અંબાલાલ કાકાએ ચોમાસાને લઈ કરી આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષનું ચોમાસું સારૂં રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે 7 જૂનની આસપાસ પવન બદલાશે. ઉપરાંત સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થશે. તારીખ 7થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક ભાગમાં 18થી 25 જૂન દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. આંધી વંટોળની સાથે આ વર્ષે ચોમાસાનું આગમન થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. ગાજવીજ તેમજ આંધી અને વંટોળ આ સિઝનમાં વધારે જોવા મળી શકે છે તેવી વાત તેમણે કરી હતી.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે