16 એપ્રિલ સુધી આ જિલ્લાઓ માટે કરાઈ માવઠાની આગાહી, ગરમીથી રાહત મળશે પરંતુ ખેડૂતોની વધી ચિંતા!


  • Published By :
  • Published Date : 2024-04-12 11:48:58

રાજ્યના અનેક ભાગોમાં આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો અનેક ભાગો એવા છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે માવઠું

કાળઝાળ ગરમીનો અહેસાસ થોડા દિવસોથી રાજ્યમાં થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ આ બધા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને  કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં પલટો આવે છે જેની સીધી અસર ખેડૂતો પર પડતી હોય છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે. મહેનતથી પકવેલા પાક પર પાણી ભરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ક્યારે ક્યાં વરસશે વરસાદ? 

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે જ્યારે અરવલ્લી અને ભરુચમાં પણ વરસાદ આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. 14 એપ્રિલ માટે કરેલી આગાહી અનુસાર નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદની શક્યતાઓ છે. અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં પણ આ તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબારકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. 16 એપ્રિલે પણ અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે હમણાં ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.  


હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે માવઠાની આગાહી 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત તો લોકોને મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. ખેડૂતોએ મહેનતથી પકવેલા પાક પર વરસાદી પાણી ફરી વળે છે.. કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીએ માવઠાને લઈ આગાહી કરી છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે