16 એપ્રિલ સુધી આ જિલ્લાઓ માટે કરાઈ માવઠાની આગાહી, ગરમીથી રાહત મળશે પરંતુ ખેડૂતોની વધી ચિંતા!


  • Published By :
  • Published Date : 2024-04-12 11:48:58

રાજ્યના અનેક ભાગોમાં આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો અનેક ભાગો એવા છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે માવઠું

કાળઝાળ ગરમીનો અહેસાસ થોડા દિવસોથી રાજ્યમાં થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ આ બધા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને  કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં પલટો આવે છે જેની સીધી અસર ખેડૂતો પર પડતી હોય છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે. મહેનતથી પકવેલા પાક પર પાણી ભરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ક્યારે ક્યાં વરસશે વરસાદ? 

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે જ્યારે અરવલ્લી અને ભરુચમાં પણ વરસાદ આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. 14 એપ્રિલ માટે કરેલી આગાહી અનુસાર નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદની શક્યતાઓ છે. અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં પણ આ તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબારકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. 16 એપ્રિલે પણ અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે હમણાં ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.  


હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે માવઠાની આગાહી 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત તો લોકોને મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. ખેડૂતોએ મહેનતથી પકવેલા પાક પર વરસાદી પાણી ફરી વળે છે.. કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીએ માવઠાને લઈ આગાહી કરી છે.  



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .