16 એપ્રિલ સુધી આ જિલ્લાઓ માટે કરાઈ માવઠાની આગાહી, ગરમીથી રાહત મળશે પરંતુ ખેડૂતોની વધી ચિંતા!


  • Published By :
  • Published Date : 2024-04-12 11:48:58

રાજ્યના અનેક ભાગોમાં આકાશમાંથી આગ વરસી રહી હોય તેવી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો અનેક ભાગો એવા છે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે માવઠું

કાળઝાળ ગરમીનો અહેસાસ થોડા દિવસોથી રાજ્યમાં થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ આ બધા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને  કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં પલટો આવે છે જેની સીધી અસર ખેડૂતો પર પડતી હોય છે. કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે. મહેનતથી પકવેલા પાક પર પાણી ભરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. 16 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


ક્યારે ક્યાં વરસશે વરસાદ? 

હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે જ્યારે અરવલ્લી અને ભરુચમાં પણ વરસાદ આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. 14 એપ્રિલ માટે કરેલી આગાહી અનુસાર નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદની શક્યતાઓ છે. અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં પણ આ તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબારકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. 16 એપ્રિલે પણ અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે હમણાં ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.  


હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે માવઠાની આગાહી 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત તો લોકોને મળશે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે. ખેડૂતોએ મહેનતથી પકવેલા પાક પર વરસાદી પાણી ફરી વળે છે.. કમોસમી વરસાદની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે. અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીએ માવઠાને લઈ આગાહી કરી છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.