ગુજરાતમાં સરેરાશ 13.45 ટકા વરસાદ, 207 પૈકી 5 ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમની જળસપાટી 119.78 મીટરે પહોંચી


  • Published By :
  • Published Date : 2023-06-27 18:06:49

ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13.45 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 67.33 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો 3.19 ટકા વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે.


207 ડેમમાં 39.97 ટકા પાણીનો જથ્થો


રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી બાદ જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે. ગુજરાતના 207 ડેમમાં 39.97 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. ઝોન પ્રમાણે ડેમની સ્થિતિ જોઇએ તો, કચ્છના 4, સૌરાષ્ટ્રનો 1 ડેમ સંપૂર્ણ ભરેલા છે. આ સાથે ઉત્તર ગુજરાતના 15 ડેમ 46.85 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.45 ટકા ભરેલા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ 33.41 ટકા ભરેલા છે. કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 48.48 ટકા ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 20.76 ટકા પાણીનો જથ્થો છે. 


નર્મદા ડેમની સપાટી 119.78 મીટરે પહોંચી


ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં તવા, મોટકકામાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક 19,446 ક્યુસેક થઈ રહી છે. જો કે હાલમાં પાણીની જાવક માત્ર 5027 ક્યુસેક છે. ત્યારે નર્મદા ડેમની સપાટી 119.78 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં હાલ 8,229 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.