ગુજરાતમાં સરેરાશ 13.45 ટકા વરસાદ, 207 પૈકી 5 ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમની જળસપાટી 119.78 મીટરે પહોંચી


  • Published By :
  • Published Date : 2023-06-27 18:06:49

ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 13.45 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 67.33 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો 3.19 ટકા વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે.


207 ડેમમાં 39.97 ટકા પાણીનો જથ્થો


રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી બાદ જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે. ગુજરાતના 207 ડેમમાં 39.97 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. ઝોન પ્રમાણે ડેમની સ્થિતિ જોઇએ તો, કચ્છના 4, સૌરાષ્ટ્રનો 1 ડેમ સંપૂર્ણ ભરેલા છે. આ સાથે ઉત્તર ગુજરાતના 15 ડેમ 46.85 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.45 ટકા ભરેલા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ 33.41 ટકા ભરેલા છે. કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 48.48 ટકા ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 20.76 ટકા પાણીનો જથ્થો છે. 


નર્મદા ડેમની સપાટી 119.78 મીટરે પહોંચી


ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ રહી છે. જેના પગલે સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં તવા, મોટકકામાં વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક 19,446 ક્યુસેક થઈ રહી છે. જો કે હાલમાં પાણીની જાવક માત્ર 5027 ક્યુસેક છે. ત્યારે નર્મદા ડેમની સપાટી 119.78 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં હાલ 8,229 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.