Gujaratમાં વરસાદે મચાવી તબાહી, લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવા માટે લેવાઈ સેનાની મદદ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 16:56:17

જ્યારે કોઈ કુદરતી આપદા આવતી હોય છે ત્યારે સેનાના જવાનો દેવદૂત બની લોકોના જીવ બચાવતા આપણને દેખાય છે. કેવી પણ વિષમ પરિસ્થિતિ કેમ ન હોય લોકોને બચાવવા માટે આર્મી જવાન પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. ત્યારે ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સેનાના જવાનની મદદથી અનેક લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 

કુદરતી આફત દરમિયાન પણ મદદરૂપ થાય છે સેનાના જવાન 

કહેવાય છે કે કુદરત આગળ માણસ લાચાર છે. કુદરતી આપદાઓ જ્યારે જ્યારે દેશ પર આવી છે ત્યારે ત્યારે દેશના જવાનો ખડેપગે, સેવા માટે તત્પર દેખાય છે. ભૂકંપ આવ્યો હોય, પૂર આવ્યું હોય કે નાના બાળકને ખાડામાંથી બહાર કાઢવાનો હોય ત્યારે ત્યારે સેનાના જવાનો તેમજ પોલીસ દેવદૂત સાબિત થયા છે. લોકોના જીવ સુરક્ષિત રહે તે માટે તેઓ પોતાના જીવને જોખમમાં નાખતા હોય છે. અનેક એવા કિસ્સાઓ હોય છે જેમાં કુદરતી આપદા સામે માણસ હારી જાય છે ત્યારે સેનાના જવાન મદદ માટે આગળ આવે છે. સેનાના જવાન સીમા પર તૈનાત રહી દેશની. દેશવાસીઓની રક્ષા તો કરે છે પરંતુ જ્યારે કોઈ પણ જગ્યા પર કુદરતી આફત આવે છે ત્યારે સેનાના જવાનો મદદ માટે આગળ આવે છે. 


ગુજરાતના મુખ્યમંત્રીએ વીડિયો કર્યો શેર 

હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે ગુજરાતની અનેક નદીઓ ગાંડીતૂર બની છે, બે કાંઠે વહી રહી છે. ડેમમાં જળસપાટી સતત વધતી જઈ રહી છે. અનેક તાલુકાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. નદીઓમાં નવા નીર આવતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. અનેક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં સેનાના જવાન દિલધડક રેસ્ક્યુ કરી રહ્યા છે. કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. સેનાના જવાનોને શત શત નમન....   



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .