Gujaratમાં વરસાદે મચાવી તબાહી, લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવા માટે લેવાઈ સેનાની મદદ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 16:56:17

જ્યારે કોઈ કુદરતી આપદા આવતી હોય છે ત્યારે સેનાના જવાનો દેવદૂત બની લોકોના જીવ બચાવતા આપણને દેખાય છે. કેવી પણ વિષમ પરિસ્થિતિ કેમ ન હોય લોકોને બચાવવા માટે આર્મી જવાન પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. ત્યારે ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સેનાના જવાનની મદદથી અનેક લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 

કુદરતી આફત દરમિયાન પણ મદદરૂપ થાય છે સેનાના જવાન 

કહેવાય છે કે કુદરત આગળ માણસ લાચાર છે. કુદરતી આપદાઓ જ્યારે જ્યારે દેશ પર આવી છે ત્યારે ત્યારે દેશના જવાનો ખડેપગે, સેવા માટે તત્પર દેખાય છે. ભૂકંપ આવ્યો હોય, પૂર આવ્યું હોય કે નાના બાળકને ખાડામાંથી બહાર કાઢવાનો હોય ત્યારે ત્યારે સેનાના જવાનો તેમજ પોલીસ દેવદૂત સાબિત થયા છે. લોકોના જીવ સુરક્ષિત રહે તે માટે તેઓ પોતાના જીવને જોખમમાં નાખતા હોય છે. અનેક એવા કિસ્સાઓ હોય છે જેમાં કુદરતી આપદા સામે માણસ હારી જાય છે ત્યારે સેનાના જવાન મદદ માટે આગળ આવે છે. સેનાના જવાન સીમા પર તૈનાત રહી દેશની. દેશવાસીઓની રક્ષા તો કરે છે પરંતુ જ્યારે કોઈ પણ જગ્યા પર કુદરતી આફત આવે છે ત્યારે સેનાના જવાનો મદદ માટે આગળ આવે છે. 


ગુજરાતના મુખ્યમંત્રીએ વીડિયો કર્યો શેર 

હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે ગુજરાતની અનેક નદીઓ ગાંડીતૂર બની છે, બે કાંઠે વહી રહી છે. ડેમમાં જળસપાટી સતત વધતી જઈ રહી છે. અનેક તાલુકાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. નદીઓમાં નવા નીર આવતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. અનેક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં સેનાના જવાન દિલધડક રેસ્ક્યુ કરી રહ્યા છે. કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. સેનાના જવાનોને શત શત નમન....   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.