Bharuch અને Ankleshwarમાં વરસાદે મચાવી તબાહી, જાણો લોકોએ શું કહ્યું મંત્રીઓને જ્યારે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત? સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-21 17:19:49

ગુજરાતમાં ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પરિસ્થિતિ અત્યંત દયનિય થઈ ગઈ હતી. ભરૂચ તેમજ નર્મદામાં તો વરસાદે તબાહી મચાવી દીધી છે. ભરૂચમાં તો હાલત એટલી ખરાબ હતી કે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મંત્રીઓએ મુલાકાત લીધી હતી. મંત્રીઓ જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા ત્યારે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોએ મંત્રીને આડેહાથ લીધા હતા.  

સરદાર સરોવર ડેમમાં છોડાયું હતું પાણી 

17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું, મુખ્યમંત્રીએ નવા નીરના વધામણા કર્યા હતા. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા નદીના કાંઠે વસતા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ભરૂચમાં તેમજ અંકલેશ્વરમાં પાણી ભરાવવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પુરગ્રસ્ત વિસ્તારોની જ્યારે મંત્રીઓએ મુલાકાત લીધી હતી ત્યારે મંત્રીએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

અસરગ્રસ્ત લોકોએ મંત્રીઓ સામે ઠાલવ્યો રોષ 

પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા તો જોવા જેવી થઈ ગઈ ત્યાં જે સ્થાનિકો હતા એ બધાએ ભેગા થઈને નેતાજીનો ઉધડો લઈ લીધો હતો. લોકોએ કીધું હતું કે"તમારી ચાપલૂસી અમને ભારે પડી!" તે સિવાય આવી જ હાલત અંકલેશ્વરના ધારાસભ્યની થઈ હતી. 


મનસુખ વસાવા પાસે ન હતો જવાબ 

અંકલેશ્વરના MLA ઈશ્વર પટેલે જ્યારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બોરભાઠા ગામના લોકોએ ધારાસભ્યનો ઘેરાવો કર્યો હતો. લોકોએ કહ્યું કે "પાણી આવ્યું ત્યારે કોઈ ન આવ્યું અને હવે ફોટા પડાવવા આવ્યા... નીકળો ગામમાંથી". તે ઉપરાંત જ્યારે મનસુખ વસાવાને આ સ્થિતિને લઈ ફોન કરવામાં આવ્યો ત્યારે તે બોખલાઈ ગયા હતા.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.