Bharuch અને Ankleshwarમાં વરસાદે મચાવી તબાહી, જાણો લોકોએ શું કહ્યું મંત્રીઓને જ્યારે અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત? સાંભળો


  • Published By :
  • Published Date : 2023-09-21 17:19:49

ગુજરાતમાં ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પરિસ્થિતિ અત્યંત દયનિય થઈ ગઈ હતી. ભરૂચ તેમજ નર્મદામાં તો વરસાદે તબાહી મચાવી દીધી છે. ભરૂચમાં તો હાલત એટલી ખરાબ હતી કે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મંત્રીઓએ મુલાકાત લીધી હતી. મંત્રીઓ જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા ત્યારે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોએ મંત્રીને આડેહાથ લીધા હતા.  

સરદાર સરોવર ડેમમાં છોડાયું હતું પાણી 

17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું, મુખ્યમંત્રીએ નવા નીરના વધામણા કર્યા હતા. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા નદીના કાંઠે વસતા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ભરૂચમાં તેમજ અંકલેશ્વરમાં પાણી ભરાવવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પુરગ્રસ્ત વિસ્તારોની જ્યારે મંત્રીઓએ મુલાકાત લીધી હતી ત્યારે મંત્રીએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

અસરગ્રસ્ત લોકોએ મંત્રીઓ સામે ઠાલવ્યો રોષ 

પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા તો જોવા જેવી થઈ ગઈ ત્યાં જે સ્થાનિકો હતા એ બધાએ ભેગા થઈને નેતાજીનો ઉધડો લઈ લીધો હતો. લોકોએ કીધું હતું કે"તમારી ચાપલૂસી અમને ભારે પડી!" તે સિવાય આવી જ હાલત અંકલેશ્વરના ધારાસભ્યની થઈ હતી. 


મનસુખ વસાવા પાસે ન હતો જવાબ 

અંકલેશ્વરના MLA ઈશ્વર પટેલે જ્યારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બોરભાઠા ગામના લોકોએ ધારાસભ્યનો ઘેરાવો કર્યો હતો. લોકોએ કહ્યું કે "પાણી આવ્યું ત્યારે કોઈ ન આવ્યું અને હવે ફોટા પડાવવા આવ્યા... નીકળો ગામમાંથી". તે ઉપરાંત જ્યારે મનસુખ વસાવાને આ સ્થિતિને લઈ ફોન કરવામાં આવ્યો ત્યારે તે બોખલાઈ ગયા હતા.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.