Himachal Pradesh અને Uttrakhandમાં વરસાદે મચાવી તબાહી, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક ફાટ્યું વાદળ, જુઓ વિનાશકારી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-17 11:10:10

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે, જ્યારે અનેક લોકો આ તબાહીમાં ભોગ લેવાયા છે. વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છે. અનેક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિવમંદિરનો કાટમાળ તૂટી પડ્યો હતો. આ કાટમાળ તૂટી પડવાને કારણે તેની નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. મૃતદેહો બહાર કાઢવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે પણ અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.   

હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે થયું મોટું નુકસાન  

હિમાચલ પ્રદેશમાં તો સ્થિતિ ખરાબ છે પરંતુ તેની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. ત્યાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં ભૂસ્ખલન તેમજ વાદળો ફાટવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બંને રાજ્યોના કુલ મળીને 80 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે આવનારા 24 કલાક વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


ભૂસ્ખલનને કારણે થયા છે અનેક લોકોના થયા છે મોત 

મહત્વનું છે કે સેનાના જવાન દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકો ફસાયા છે તેમને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. સેના તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. ભૂસ્ખલન થવાને કારણે સંપત્તિને નુકસાન થાય છે પરંતુ લોકોના જીવ પણ જાય છે. કુદરતી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વનું છે કે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે ત્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવું તેમજ વાદળ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ  ઘટનાને કુદરતી આફત ગણવી કે માનવસર્જિત ગણવી તે તમારી ઉપર છે. ક્લાઈમેટ ચેન્જ આપણા દ્વારા કરવામાં આવતા વિકાસને કારણે થઈ રહ્યા છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.