Himachal Pradesh અને Uttrakhandમાં વરસાદે મચાવી તબાહી, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક ફાટ્યું વાદળ, જુઓ વિનાશકારી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-17 11:10:10

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે, જ્યારે અનેક લોકો આ તબાહીમાં ભોગ લેવાયા છે. વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છે. અનેક દિવસોથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિવમંદિરનો કાટમાળ તૂટી પડ્યો હતો. આ કાટમાળ તૂટી પડવાને કારણે તેની નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. મૃતદેહો બહાર કાઢવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે પણ અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.   

હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે થયું મોટું નુકસાન  

હિમાચલ પ્રદેશમાં તો સ્થિતિ ખરાબ છે પરંતુ તેની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. ત્યાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં ભૂસ્ખલન તેમજ વાદળો ફાટવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર બંને રાજ્યોના કુલ મળીને 80 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે આવનારા 24 કલાક વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


ભૂસ્ખલનને કારણે થયા છે અનેક લોકોના થયા છે મોત 

મહત્વનું છે કે સેનાના જવાન દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકો ફસાયા છે તેમને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. સેના તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ડરાવી દે તેવા છે. ભૂસ્ખલન થવાને કારણે સંપત્તિને નુકસાન થાય છે પરંતુ લોકોના જીવ પણ જાય છે. કુદરતી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહત્વનું છે કે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન આવે છે ત્યારે ત્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવું તેમજ વાદળ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ  ઘટનાને કુદરતી આફત ગણવી કે માનવસર્જિત ગણવી તે તમારી ઉપર છે. ક્લાઈમેટ ચેન્જ આપણા દ્વારા કરવામાં આવતા વિકાસને કારણે થઈ રહ્યા છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.   




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.