Maharastraમાં વરસાદે મચાવી તબાહી, Nagpurમાં વરસાદી પાણી ભરાતા કરાયું લોકોનું રેસ્ક્યુ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-23 17:02:17

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. ગુજરાતમાં પણ વરસાદે તારાજી સર્જી છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસ્યો છે ત્યારે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદી માહોલ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે નાગપુરમાં તો વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. નાગપુરમાં પડેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે જેને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે.

    

નાગપુરમાં વરસાદને કારણે સર્જાઈ તારાજી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે ભારે વિનાશ સર્જાયો છે. વરસાદને કારણે ખેડૂતોને તો નુકસાન થયું છે પરંતુ ઘરવકરી સહિતની વસ્તુઓને પણ ભારે નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં તો વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગઈકાલ રાત્રે નાગપુરમાં મૂશળાધાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નાગપુરમાં 106 મીમી વરસાદ નોંધાયો હતો. રાત્રીના સમયે વરસાદ ખાબક્યો હતો જેને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરમાં ઘૂસી ગયા છે વરસાદી પાણી.   


લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવા એનડીઆરએફની ટીમ સજ્જા 

વરસાદે અનેક જગ્યાઓ પર મહેર કરી છે તો અનેક જગ્યાઓ પર કહેર બનીને વરસ્યો છે. અનેક રાજ્યોમાં પાણી ભરાયા હોવાના સમાચારો સતત સામે આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ મેહુલો મન મૂકીને વરસ્યો છે. ભારે વરસાદ થવાને કારણે સૌથી વધારે જનજીવન પ્રભાવિત થયું છે. લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. અનેક લોકોનો બચાવ કરી લેવામાં આવ્યો છે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરી કરી રહી છે.

દેશના અનેક રાજ્યોમાં વરસાદે મચાવી છે તબાહી 

મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. બિહારના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં તો વરસાદનો કોટા પૂર્ણ થઈ ગયો છે. ગુજરાતમાં સરેરાશ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્યપ્રદેશમાં 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સરેરાશ 923 મીમી વરસાદ નોંધાયો છે. 927.5 મીમી વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં 531.3 મીમી વરસાદ પડવો જોઈતો હતો. 22 સપ્ટેમ્બર સુધીમાં 532.3 મીમી વરસાદ પડ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.