Vadodaraમાં વરસાદી પાણીએ જનજીવન અસ્ત વ્યસ્ત કર્યું, Jamawatનો Ground Zero Report, સ્થાનિકોનો આક્રોશ ચરમસીમા પર. જુઓ ત્યાંની કરૂણ પરિસ્થિતિ


  • Published By :
  • Published Date : 2024-08-30 13:11:21

વરસાદ ક્યારે આવશે એની રાહ આપણે જોતા હોઈએ છીએ.. વરસાદ આવે અને આપણને ઠંડકનો અહેસાસ થાય.. ગુજરાતમાં વરસાદ થયો પણ ખરો.. ક્યાંક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. જામનગર, દ્વારકા, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદી પાણી ભરાયા હોય તેવા અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગ્રાઉન્ડની પરિસ્થિતિ જાણવા માટે જમાવટ વડોદરા પહોંચ્યું હતું જ્યાં જનતાનો આક્રોશ ખુલ્લીને સામે આવતો હતો.

પાણી ભરાતા અનેક ઘરોની ડૂબી ઘર વખરી

વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હાલ ત્યાંની પરિસ્થિતિ જ્યારે જોઈએ ત્યારે દયા આવી જાય તેવી છે.. વડોદરામાં અનેક વખત પૂર આવ્યા છે પરંતુ દર વખતે પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાય છે. પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા નથી.. જ્યાં વરસાદી પાણી ભરાતા ના હતા ત્યાં હવે વરસાદી પાણી ભરાયા છે. લોકોનો આક્રોશ ચરમસીમા પર આવી પહોંચ્યો છે.. ઘર વખરી જાણે આખે આખી પાણીમાં વિનાશ પામી હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..અનેક ફ્લેટ એવા હતા જ્યાં પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા. 

 

સ્થાનિકોનો ગુસ્સો પહોંચ્યો ચરમસીમા પર!

અનેક સોસાયટીઓ એવી હતી જ્યાં ઘરો તો કરોડો રૂપિયાના હતા પરંતુ પીવા માટે પાણીના ફાંફા હતા. પાણી ન હતું, ભોજન ન હતું.. સ્થાનિક લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે તે કોઈની સાથે વાત કરવા માગતા ન હતા. ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.. જ્યારે દ્રશ્યો જોયા તે પછી તો તે લોકો કેવી રીતે આટલા દિવસો જીવ્યા હશે તેની કલ્પના પણ ના કરી શકીએ.. 


ગુજરાતના અનેક ભાગોમાં ભરાયા વરસાદી પાણી 

ના માત્ર વડોદરાથી પરંતુ ગુજરાતના અનેક ભાગોમાં પાણી ભરાયા છે.. રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના ભાગોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે આર્મીના જવાનો, એનડીઆરએફની ટીમ, પોલીસ. ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે. અનેક લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદે કેવો કહેર મચાવ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો.        



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .