Vadodaraમાં વરસાદી પાણીએ જનજીવન અસ્ત વ્યસ્ત કર્યું, Jamawatનો Ground Zero Report, સ્થાનિકોનો આક્રોશ ચરમસીમા પર. જુઓ ત્યાંની કરૂણ પરિસ્થિતિ


  • Published By :
  • Published Date : 2024-08-30 13:11:21

વરસાદ ક્યારે આવશે એની રાહ આપણે જોતા હોઈએ છીએ.. વરસાદ આવે અને આપણને ઠંડકનો અહેસાસ થાય.. ગુજરાતમાં વરસાદ થયો પણ ખરો.. ક્યાંક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. જામનગર, દ્વારકા, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદી પાણી ભરાયા હોય તેવા અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગ્રાઉન્ડની પરિસ્થિતિ જાણવા માટે જમાવટ વડોદરા પહોંચ્યું હતું જ્યાં જનતાનો આક્રોશ ખુલ્લીને સામે આવતો હતો.

પાણી ભરાતા અનેક ઘરોની ડૂબી ઘર વખરી

વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હાલ ત્યાંની પરિસ્થિતિ જ્યારે જોઈએ ત્યારે દયા આવી જાય તેવી છે.. વડોદરામાં અનેક વખત પૂર આવ્યા છે પરંતુ દર વખતે પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાય છે. પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા નથી.. જ્યાં વરસાદી પાણી ભરાતા ના હતા ત્યાં હવે વરસાદી પાણી ભરાયા છે. લોકોનો આક્રોશ ચરમસીમા પર આવી પહોંચ્યો છે.. ઘર વખરી જાણે આખે આખી પાણીમાં વિનાશ પામી હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..અનેક ફ્લેટ એવા હતા જ્યાં પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા. 

 

સ્થાનિકોનો ગુસ્સો પહોંચ્યો ચરમસીમા પર!

અનેક સોસાયટીઓ એવી હતી જ્યાં ઘરો તો કરોડો રૂપિયાના હતા પરંતુ પીવા માટે પાણીના ફાંફા હતા. પાણી ન હતું, ભોજન ન હતું.. સ્થાનિક લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે તે કોઈની સાથે વાત કરવા માગતા ન હતા. ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.. જ્યારે દ્રશ્યો જોયા તે પછી તો તે લોકો કેવી રીતે આટલા દિવસો જીવ્યા હશે તેની કલ્પના પણ ના કરી શકીએ.. 


ગુજરાતના અનેક ભાગોમાં ભરાયા વરસાદી પાણી 

ના માત્ર વડોદરાથી પરંતુ ગુજરાતના અનેક ભાગોમાં પાણી ભરાયા છે.. રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના ભાગોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે આર્મીના જવાનો, એનડીઆરએફની ટીમ, પોલીસ. ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે. અનેક લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદે કેવો કહેર મચાવ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો.        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.