Vadodaraમાં વરસાદી પાણીએ જનજીવન અસ્ત વ્યસ્ત કર્યું, Jamawatનો Ground Zero Report, સ્થાનિકોનો આક્રોશ ચરમસીમા પર. જુઓ ત્યાંની કરૂણ પરિસ્થિતિ


  • Published By :
  • Published Date : 2024-08-30 13:11:21

વરસાદ ક્યારે આવશે એની રાહ આપણે જોતા હોઈએ છીએ.. વરસાદ આવે અને આપણને ઠંડકનો અહેસાસ થાય.. ગુજરાતમાં વરસાદ થયો પણ ખરો.. ક્યાંક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. જામનગર, દ્વારકા, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદી પાણી ભરાયા હોય તેવા અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગ્રાઉન્ડની પરિસ્થિતિ જાણવા માટે જમાવટ વડોદરા પહોંચ્યું હતું જ્યાં જનતાનો આક્રોશ ખુલ્લીને સામે આવતો હતો.

પાણી ભરાતા અનેક ઘરોની ડૂબી ઘર વખરી

વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હાલ ત્યાંની પરિસ્થિતિ જ્યારે જોઈએ ત્યારે દયા આવી જાય તેવી છે.. વડોદરામાં અનેક વખત પૂર આવ્યા છે પરંતુ દર વખતે પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાય છે. પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા નથી.. જ્યાં વરસાદી પાણી ભરાતા ના હતા ત્યાં હવે વરસાદી પાણી ભરાયા છે. લોકોનો આક્રોશ ચરમસીમા પર આવી પહોંચ્યો છે.. ઘર વખરી જાણે આખે આખી પાણીમાં વિનાશ પામી હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..અનેક ફ્લેટ એવા હતા જ્યાં પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા. 

 

સ્થાનિકોનો ગુસ્સો પહોંચ્યો ચરમસીમા પર!

અનેક સોસાયટીઓ એવી હતી જ્યાં ઘરો તો કરોડો રૂપિયાના હતા પરંતુ પીવા માટે પાણીના ફાંફા હતા. પાણી ન હતું, ભોજન ન હતું.. સ્થાનિક લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે તે કોઈની સાથે વાત કરવા માગતા ન હતા. ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.. જ્યારે દ્રશ્યો જોયા તે પછી તો તે લોકો કેવી રીતે આટલા દિવસો જીવ્યા હશે તેની કલ્પના પણ ના કરી શકીએ.. 


ગુજરાતના અનેક ભાગોમાં ભરાયા વરસાદી પાણી 

ના માત્ર વડોદરાથી પરંતુ ગુજરાતના અનેક ભાગોમાં પાણી ભરાયા છે.. રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના ભાગોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે આર્મીના જવાનો, એનડીઆરએફની ટીમ, પોલીસ. ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે. અનેક લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદે કેવો કહેર મચાવ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો.        



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.