વરસાદનું વેકેશન પૂરૂ? રાજ્યમાં આ તારીખથી ફરી જામશે વરસાદી માહોલ, જાણો શું કહે છે Ambalal Patel અને Paresh Goswamiની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-09-20 09:12:26

રાજ્યમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેને કારણે એવું લાગતું હતું કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે... ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે.. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે.. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે.. 

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે.. સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતાઓ છે.. 24 તેમજ 25 તારીખની આસપાસ વરસાદનો એક મોટો રાઉન્ટ આવી શકે છે.. અમુક જગ્યાઓ પર ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે... મહત્વનું છે કે હાલ વરસાદ નથી જેને કારણે ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. તાપમાન સામાન્ય કરતા ઉંચું છે. બપોરના સમયે ઉનાળાની ગરમીનો અહેસાસ થતો હોય તેવું લાગે.. આજે છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ નોંધાઇ શકે છે. ભારે વરસાદ વલસાડ, વાપી, નવસારી, ડાંગ અને આહ્વામાં નોંધાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી છે.  

નવરાત્રીમાં આવશે વરસાદ?

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાનો અનુભવ થશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન. નવરાત્રી દરમિયાન પણ અનેક જગ્યાઓ પર વરસાદ આવી શકે છે જેને કારણે વરસાદ ગરબાની મોજ બગાડી શકે છે.. મહત્વનું છે કે આ વર્ષે કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી