વરસાદનું વેકેશન પૂરૂ? રાજ્યમાં આ તારીખથી ફરી જામશે વરસાદી માહોલ, જાણો શું કહે છે Ambalal Patel અને Paresh Goswamiની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-09-20 09:12:26

રાજ્યમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેને કારણે એવું લાગતું હતું કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે... ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે.. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે.. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે.. 

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે.. સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની શક્યતાઓ છે.. 24 તેમજ 25 તારીખની આસપાસ વરસાદનો એક મોટો રાઉન્ટ આવી શકે છે.. અમુક જગ્યાઓ પર ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે... મહત્વનું છે કે હાલ વરસાદ નથી જેને કારણે ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. તાપમાન સામાન્ય કરતા ઉંચું છે. બપોરના સમયે ઉનાળાની ગરમીનો અહેસાસ થતો હોય તેવું લાગે.. આજે છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ નોંધાઇ શકે છે. ભારે વરસાદ વલસાડ, વાપી, નવસારી, ડાંગ અને આહ્વામાં નોંધાઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી છે.  

નવરાત્રીમાં આવશે વરસાદ?

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાનો અનુભવ થશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન. નવરાત્રી દરમિયાન પણ અનેક જગ્યાઓ પર વરસાદ આવી શકે છે જેને કારણે વરસાદ ગરબાની મોજ બગાડી શકે છે.. મહત્વનું છે કે આ વર્ષે કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.