અમદાવાદમાં ફરી વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, વિઝિબિલિટી ઘટી


  • Published By :
  • Published Date : 2023-11-26 18:17:53

ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અમદાવાદના શહેરમાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. આજે બપોર બાદ અમદાવાદમાં ફરી કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના શિવરંજની, નહેરુનગર, એસ જી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદ શરૂ થયો છે. બોપલ, રિંગ રોડ વિસ્તારમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. કાળાડિબાંગ વાદળોના કારણે શહેરમાં અંધારપટ છવાયો છે. 


આ વિસ્તારોમાં વરસાદ


અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના માધુપુરા, સેટેલાઇટ, રાણીપ, બોપલ, રિંગ રોડ, મણિનગર, ચાંદખેડા, ઘુમા, સાયન્સ સિટી, બાપુનગર, વાડજ, એસ. જી હાઇવે પર ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઘનઘોર વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. વિઝિબિલિટી ઘટતા અને ભારે વરસાદના કારણે અમદાવાદના હાઇવે પર ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા છે. વિઝિબિલિટી ઘટતા દિવસે હેડ લાઇટ કરવાની ફરજ પડી છે.


ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ


અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બાવળા, ધોળકા, ધંધુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તેમજ બાવળા ,ધોળકા, ધંધુકા પંથકમાં માવઠાની જોરદાર અસર વાવાઝોડા સાથે પવન અને વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી