Gujaratમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર અને.....


  • Published By :
  • Published Date : 2024-09-30 13:51:58

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.. છેલ્લા 24 કલાકમાં વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થઈ ગયા છે.. 90 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે ધબધબાટી વડોદરામાં તેમજ જુનાગઢમાં જોવા મળી છે.. વડોદરામાં તો થોડા સમય પહેલા જ વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી.. ભારે વરસાદ થતા લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે.. ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને કારણે લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જૂનાગઢમાં પણ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે..


વડોદરાને વરસાદે ઘમરોળ્યું

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જ્યારે અનેક ડેમો ફૂલ થઈ ગયા છે અને ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.. ભયાનક જળસપાટી પર નદીઓ વહી રહી છે.. વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સ્તરને વટાવી ચૂકી છે.. નદીની સપાટીમાં વધારો થયો છે.. શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.. મહત્વનું છે કે આની પહેલા પણ વરસાદે તબાહી મચાવી હતી.. આ વખતે સૌથી વધારે સંકટ, સૈથી વધારે ટેન્શન ગરબા આયોજકોને થવાનું છે.. એક તરફ ગરબાનું આયોજન અને એક તરફ વરસી રહેલો વરસાદ....


જૂનાગઢ પણ વરસાદને કારણે જળબંબાકાર!

ન માત્ર વડોદરામાં પરંતુ જૂનાગઢમાં પણ વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.. જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર બે કલાકમાં જ સાંબેલાધાર વરસાદ ખાબકતા ભવનાથ સહિતના અનેક વિસ્તારમાં પાણી પાણી ભરાય ગયા છે એવું કહેવાય કે જુનાગઢમાં આભ ફાટ્યું છે. જેના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 



શું કહે છે હવામાન વિભાગની આગાહી?

એક કહેવત છે કે ભાદરવો ભરપૂર હોય અને આ વખતે એ સાચી પણ પડી ભાદરવો જતાં જતાં ભૂકકા કાઢતો ગયો. એક તરફ હવે નવરાત્રિ શરૂ થવાને ત્રણ દિવસ બાકી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ કહેર બનીએ વરસી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી જશે. જો કે હજુ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે.એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું જેના કારણે વરસાદ વરસ્યો છે. . પરંતુ હવે આ સરક્યુલેશનની અસર ઓછી થશે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.