Gujaratમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર અને.....


  • Published By :
  • Published Date : 2024-09-30 13:51:58

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.. છેલ્લા 24 કલાકમાં વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થઈ ગયા છે.. 90 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે ધબધબાટી વડોદરામાં તેમજ જુનાગઢમાં જોવા મળી છે.. વડોદરામાં તો થોડા સમય પહેલા જ વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી.. ભારે વરસાદ થતા લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે.. ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને કારણે લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જૂનાગઢમાં પણ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે..


વડોદરાને વરસાદે ઘમરોળ્યું

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જ્યારે અનેક ડેમો ફૂલ થઈ ગયા છે અને ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.. ભયાનક જળસપાટી પર નદીઓ વહી રહી છે.. વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સ્તરને વટાવી ચૂકી છે.. નદીની સપાટીમાં વધારો થયો છે.. શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.. મહત્વનું છે કે આની પહેલા પણ વરસાદે તબાહી મચાવી હતી.. આ વખતે સૌથી વધારે સંકટ, સૈથી વધારે ટેન્શન ગરબા આયોજકોને થવાનું છે.. એક તરફ ગરબાનું આયોજન અને એક તરફ વરસી રહેલો વરસાદ....


જૂનાગઢ પણ વરસાદને કારણે જળબંબાકાર!

ન માત્ર વડોદરામાં પરંતુ જૂનાગઢમાં પણ વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.. જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર બે કલાકમાં જ સાંબેલાધાર વરસાદ ખાબકતા ભવનાથ સહિતના અનેક વિસ્તારમાં પાણી પાણી ભરાય ગયા છે એવું કહેવાય કે જુનાગઢમાં આભ ફાટ્યું છે. જેના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 



શું કહે છે હવામાન વિભાગની આગાહી?

એક કહેવત છે કે ભાદરવો ભરપૂર હોય અને આ વખતે એ સાચી પણ પડી ભાદરવો જતાં જતાં ભૂકકા કાઢતો ગયો. એક તરફ હવે નવરાત્રિ શરૂ થવાને ત્રણ દિવસ બાકી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ કહેર બનીએ વરસી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી જશે. જો કે હજુ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે.એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું જેના કારણે વરસાદ વરસ્યો છે. . પરંતુ હવે આ સરક્યુલેશનની અસર ઓછી થશે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.