Gujaratમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર અને.....


  • Published By :
  • Published Date : 2024-09-30 13:51:58

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.. છેલ્લા 24 કલાકમાં વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થઈ ગયા છે.. 90 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે ધબધબાટી વડોદરામાં તેમજ જુનાગઢમાં જોવા મળી છે.. વડોદરામાં તો થોડા સમય પહેલા જ વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી.. ભારે વરસાદ થતા લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે.. ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને કારણે લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જૂનાગઢમાં પણ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે..


વડોદરાને વરસાદે ઘમરોળ્યું

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જ્યારે અનેક ડેમો ફૂલ થઈ ગયા છે અને ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.. ભયાનક જળસપાટી પર નદીઓ વહી રહી છે.. વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સ્તરને વટાવી ચૂકી છે.. નદીની સપાટીમાં વધારો થયો છે.. શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.. મહત્વનું છે કે આની પહેલા પણ વરસાદે તબાહી મચાવી હતી.. આ વખતે સૌથી વધારે સંકટ, સૈથી વધારે ટેન્શન ગરબા આયોજકોને થવાનું છે.. એક તરફ ગરબાનું આયોજન અને એક તરફ વરસી રહેલો વરસાદ....


જૂનાગઢ પણ વરસાદને કારણે જળબંબાકાર!

ન માત્ર વડોદરામાં પરંતુ જૂનાગઢમાં પણ વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.. જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર બે કલાકમાં જ સાંબેલાધાર વરસાદ ખાબકતા ભવનાથ સહિતના અનેક વિસ્તારમાં પાણી પાણી ભરાય ગયા છે એવું કહેવાય કે જુનાગઢમાં આભ ફાટ્યું છે. જેના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 



શું કહે છે હવામાન વિભાગની આગાહી?

એક કહેવત છે કે ભાદરવો ભરપૂર હોય અને આ વખતે એ સાચી પણ પડી ભાદરવો જતાં જતાં ભૂકકા કાઢતો ગયો. એક તરફ હવે નવરાત્રિ શરૂ થવાને ત્રણ દિવસ બાકી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ કહેર બનીએ વરસી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી જશે. જો કે હજુ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે.એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું જેના કારણે વરસાદ વરસ્યો છે. . પરંતુ હવે આ સરક્યુલેશનની અસર ઓછી થશે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.