Gujaratમાં જામ્યો વરસાદી માહોલ, વડોદરા અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર અને.....


  • Published By :
  • Published Date : 2024-09-30 13:51:58

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.. છેલ્લા 24 કલાકમાં વરસાદની ધમાકેદાર બેટિંગને કારણે ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થઈ ગયા છે.. 90 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે ધબધબાટી વડોદરામાં તેમજ જુનાગઢમાં જોવા મળી છે.. વડોદરામાં તો થોડા સમય પહેલા જ વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી.. ભારે વરસાદ થતા લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે.. ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને કારણે લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જૂનાગઢમાં પણ વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે..


વડોદરાને વરસાદે ઘમરોળ્યું

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જ્યારે અનેક ડેમો ફૂલ થઈ ગયા છે અને ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.. ભયાનક જળસપાટી પર નદીઓ વહી રહી છે.. વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સ્તરને વટાવી ચૂકી છે.. નદીની સપાટીમાં વધારો થયો છે.. શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.. અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.. મહત્વનું છે કે આની પહેલા પણ વરસાદે તબાહી મચાવી હતી.. આ વખતે સૌથી વધારે સંકટ, સૈથી વધારે ટેન્શન ગરબા આયોજકોને થવાનું છે.. એક તરફ ગરબાનું આયોજન અને એક તરફ વરસી રહેલો વરસાદ....


જૂનાગઢ પણ વરસાદને કારણે જળબંબાકાર!

ન માત્ર વડોદરામાં પરંતુ જૂનાગઢમાં પણ વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.. જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર બે કલાકમાં જ સાંબેલાધાર વરસાદ ખાબકતા ભવનાથ સહિતના અનેક વિસ્તારમાં પાણી પાણી ભરાય ગયા છે એવું કહેવાય કે જુનાગઢમાં આભ ફાટ્યું છે. જેના પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 



શું કહે છે હવામાન વિભાગની આગાહી?

એક કહેવત છે કે ભાદરવો ભરપૂર હોય અને આ વખતે એ સાચી પણ પડી ભાદરવો જતાં જતાં ભૂકકા કાઢતો ગયો. એક તરફ હવે નવરાત્રિ શરૂ થવાને ત્રણ દિવસ બાકી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ કહેર બનીએ વરસી રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી જશે. જો કે હજુ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે.એક ટ્રફ સાઉથ ઈસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. જેને લેસમાર્ક કરી દેવામાં આવ્યું છે. એક નવું સરક્યુલેશન દક્ષિણ ગુજરાતમાં હતું જેના કારણે વરસાદ વરસ્યો છે. . પરંતુ હવે આ સરક્યુલેશનની અસર ઓછી થશે. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .