રાજ્યમાં બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, કમોસમી વરસાદ થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 08:49:07

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એક તરફ શિયાળાને કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાળીમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં ભરેશિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદ થતા વાતાવરણમાં આવ્યો પલટો

પોતાનો પાક સફળ જાય અને સારૂ વળતર મળે તે માટે ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે. પોતાનું સર્વસ્વ ખેતી પાછળ લગાવી દેતા હોય છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. ગઈ કાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા લોકો સ્વેટર લઈને બહાર નીકળે કે પછી રેઈનકોર્ટ લઈને બહાર નિકળે તેને લઈ અસમંજસમાં છે. 


આજે પણ કરાઈ વરસાદની આગાહી 

બંગાળની ખાડીમાં જ્યારે પણ સિસ્ટમ સક્રિય થાય છે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. આ વખતે માગશર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં સાંજના સમયે વરસાદના છાંટા આવ્યા હતા. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદનો અનુભવ થયો હતો.


શિયાળું પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ડર  

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. ત્યારે કમોસમી વરસાદને લઈ હવામાને આગાહી કરી છે કે હજી એક-બે દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આવા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. શિયાળો પાક નિષ્ફળ જવાની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું તે અંગેનો રિપોર્ટ કૃષિમંત્રીએ મંગાવ્યો છે. તાત્કાલિક તપાસ કરીને આ રિપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.