રાજ્યમાં બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, કમોસમી વરસાદ થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 08:49:07

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એક તરફ શિયાળાને કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાળીમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં ભરેશિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદ થતા વાતાવરણમાં આવ્યો પલટો

પોતાનો પાક સફળ જાય અને સારૂ વળતર મળે તે માટે ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે. પોતાનું સર્વસ્વ ખેતી પાછળ લગાવી દેતા હોય છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. ગઈ કાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા લોકો સ્વેટર લઈને બહાર નીકળે કે પછી રેઈનકોર્ટ લઈને બહાર નિકળે તેને લઈ અસમંજસમાં છે. 


આજે પણ કરાઈ વરસાદની આગાહી 

બંગાળની ખાડીમાં જ્યારે પણ સિસ્ટમ સક્રિય થાય છે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. આ વખતે માગશર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં સાંજના સમયે વરસાદના છાંટા આવ્યા હતા. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદનો અનુભવ થયો હતો.


શિયાળું પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ડર  

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. ત્યારે કમોસમી વરસાદને લઈ હવામાને આગાહી કરી છે કે હજી એક-બે દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આવા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. શિયાળો પાક નિષ્ફળ જવાની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું તે અંગેનો રિપોર્ટ કૃષિમંત્રીએ મંગાવ્યો છે. તાત્કાલિક તપાસ કરીને આ રિપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.