રાજ્યમાં બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, કમોસમી વરસાદ થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 08:49:07

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એક તરફ શિયાળાને કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ બંગાળની ખાળીમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં ભરેશિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદ થતા વાતાવરણમાં આવ્યો પલટો

પોતાનો પાક સફળ જાય અને સારૂ વળતર મળે તે માટે ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે. પોતાનું સર્વસ્વ ખેતી પાછળ લગાવી દેતા હોય છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. ગઈ કાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા લોકો સ્વેટર લઈને બહાર નીકળે કે પછી રેઈનકોર્ટ લઈને બહાર નિકળે તેને લઈ અસમંજસમાં છે. 


આજે પણ કરાઈ વરસાદની આગાહી 

બંગાળની ખાડીમાં જ્યારે પણ સિસ્ટમ સક્રિય થાય છે તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. આ વખતે માગશર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં સાંજના સમયે વરસાદના છાંટા આવ્યા હતા. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વરસાદનો અનુભવ થયો હતો.


શિયાળું પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ડર  

હવામાન વિભાગે માવઠાને લઈ આગાહી કરી હતી. ત્યારે કમોસમી વરસાદને લઈ હવામાને આગાહી કરી છે કે હજી એક-બે દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આવા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. શિયાળો પાક નિષ્ફળ જવાની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું તે અંગેનો રિપોર્ટ કૃષિમંત્રીએ મંગાવ્યો છે. તાત્કાલિક તપાસ કરીને આ રિપોર્ટ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.