Rajasthan : થોડા દિવસો પહેલા મંત્રી તરીકેના SurendraPalએ શપથ લીધા, પરિણામ આવતા ખબર પડી કે તેમની હાર થઈ છે...! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-01-08 20:43:00

વિચારો તમે ચૂંટણી લડી રહ્યા છો, મતદાન પણ થઈ ગયું, તમને મંત્રીપદ પણ આપી દેવામાં આવ્યું. મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા હોય અને પછી ખબર પડે કે તમે જે બેઠક પરથી ચૂંટણી લડ્યા છો ત્યાં તમે હારી ગયા છો! આ સાંભળ્યા બાદ કેવો ઝટકો લાગે નઈ... આવો જ ઝટકો રાજસ્થાનના મંત્રી સુરેન્દ્રપાલ સિંહ ટીટીને થયો હશે. જી હા, સોમવારે યોજાયેલી મત ગણતરીમાં ટીટીને હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનના કરણપુર બેઠક માટે થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર હારી ગયા છે. 

सुरेंद्र पाल सिंह टीटी ने उपचुनाव से पहले ही मंत्री पद की शपथ ली थी.


ભાજપના ઉમેદવારની થઈ હાર  

ગયા વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પરિણામ પણ આવી ગયા. રાજસ્થાનમાં બીજેપીની સરકાર બની. પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ રાજસ્થાનની કમાન કોને સોંપવી એટલે કે મુખ્યમંત્રી કોને બનાવવા તે અંગેનો નિર્ણય લેવાયો. ભજનલાલ શર્માએ નવા સીએમ તરીકે શપથ લીધી. રાજસ્થાનની બધી સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું હતું પરંતુ એક બેઠક માટે મતદાન બાકી હતું. એક સીટ માટે મતદાન પછી કરવામાં આવ્યું. કરણપુર ગંગાનગર બેઠક માટેની મતગણતરી પૂર્ણ થઈ અને પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થઈ જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. 


ખાતાની ફાળવણી બાદ ખબર પડી કે... 

તમને જાણીને આશ્ચર્ચ થશે કે જે ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે તેમને તો મંત્રી પણ બનાવાઈ દેવાયા છે. ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. પરિણામ જ્યારે આવ્યું ત્યારે ખબર પડી કે ભાજપના ઉમેદવાર હારી ગયા છે. કરણપુર વિધાનસભા સીટ માટે મતગણતરી સોમવારે હાથ ધરવામાં આવી. 



સુરેન્દ્રસિંહ પાલને ભજનલાલ શર્મા સરકારમાં મળ્યું સ્થાન  

કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા અને અંતે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ અને ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. સુરેન્દ્રપાલ ચૂંટણી જીતે એની પહેલા જ ભજનલાલ શર્માએ તેમને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી બનાવી દીધા હતા. ટીટીને ફાળે કૃષિ માર્કેટિંગ વિભાગ, કૃષિ સંચય વિભાગ અને પાણી ઉપયોગિતા વિભાગ, જેવા વિભાગોની ફાળવણી કરવામાં આવી છે.  


આ કારણોસર ન થઈ શક્યું હતું પહેલા મતદાન 

મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવી ગયું હતું. 25 ડિસેમ્બરના રોજ મતદાન હતું. પહેલા મતદાન 200 સીટો માટે થવાનું હતું પરંતુ કરણપુર વિધાનસભા બેઠકનું મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું કારણ કે કોંગ્રેસના ઉમેદવારનું નિધન થઈ ગયું હતું. નિધન થવાને કારણે મતદાન સ્થગિત રાખવામાં આવ્યું હતું. ભાજપે આ બેઠક માટે સુરેન્દ્રપાલ સિંહે મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસે ગુરમીતસિંહના પુત્ર રૂપિંદર સિંહને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.  



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..