Rajasthan : થોડા દિવસો પહેલા મંત્રી તરીકેના SurendraPalએ શપથ લીધા, પરિણામ આવતા ખબર પડી કે તેમની હાર થઈ છે...! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-01-08 20:43:00

વિચારો તમે ચૂંટણી લડી રહ્યા છો, મતદાન પણ થઈ ગયું, તમને મંત્રીપદ પણ આપી દેવામાં આવ્યું. મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા હોય અને પછી ખબર પડે કે તમે જે બેઠક પરથી ચૂંટણી લડ્યા છો ત્યાં તમે હારી ગયા છો! આ સાંભળ્યા બાદ કેવો ઝટકો લાગે નઈ... આવો જ ઝટકો રાજસ્થાનના મંત્રી સુરેન્દ્રપાલ સિંહ ટીટીને થયો હશે. જી હા, સોમવારે યોજાયેલી મત ગણતરીમાં ટીટીને હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનના કરણપુર બેઠક માટે થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર હારી ગયા છે. 

सुरेंद्र पाल सिंह टीटी ने उपचुनाव से पहले ही मंत्री पद की शपथ ली थी.


ભાજપના ઉમેદવારની થઈ હાર  

ગયા વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પરિણામ પણ આવી ગયા. રાજસ્થાનમાં બીજેપીની સરકાર બની. પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ રાજસ્થાનની કમાન કોને સોંપવી એટલે કે મુખ્યમંત્રી કોને બનાવવા તે અંગેનો નિર્ણય લેવાયો. ભજનલાલ શર્માએ નવા સીએમ તરીકે શપથ લીધી. રાજસ્થાનની બધી સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું હતું પરંતુ એક બેઠક માટે મતદાન બાકી હતું. એક સીટ માટે મતદાન પછી કરવામાં આવ્યું. કરણપુર ગંગાનગર બેઠક માટેની મતગણતરી પૂર્ણ થઈ અને પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થઈ જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. 


ખાતાની ફાળવણી બાદ ખબર પડી કે... 

તમને જાણીને આશ્ચર્ચ થશે કે જે ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે તેમને તો મંત્રી પણ બનાવાઈ દેવાયા છે. ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. પરિણામ જ્યારે આવ્યું ત્યારે ખબર પડી કે ભાજપના ઉમેદવાર હારી ગયા છે. કરણપુર વિધાનસભા સીટ માટે મતગણતરી સોમવારે હાથ ધરવામાં આવી. 



સુરેન્દ્રસિંહ પાલને ભજનલાલ શર્મા સરકારમાં મળ્યું સ્થાન  

કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા અને અંતે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ અને ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. સુરેન્દ્રપાલ ચૂંટણી જીતે એની પહેલા જ ભજનલાલ શર્માએ તેમને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી બનાવી દીધા હતા. ટીટીને ફાળે કૃષિ માર્કેટિંગ વિભાગ, કૃષિ સંચય વિભાગ અને પાણી ઉપયોગિતા વિભાગ, જેવા વિભાગોની ફાળવણી કરવામાં આવી છે.  


આ કારણોસર ન થઈ શક્યું હતું પહેલા મતદાન 

મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવી ગયું હતું. 25 ડિસેમ્બરના રોજ મતદાન હતું. પહેલા મતદાન 200 સીટો માટે થવાનું હતું પરંતુ કરણપુર વિધાનસભા બેઠકનું મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું કારણ કે કોંગ્રેસના ઉમેદવારનું નિધન થઈ ગયું હતું. નિધન થવાને કારણે મતદાન સ્થગિત રાખવામાં આવ્યું હતું. ભાજપે આ બેઠક માટે સુરેન્દ્રપાલ સિંહે મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસે ગુરમીતસિંહના પુત્ર રૂપિંદર સિંહને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.