Rajasthan : થોડા દિવસો પહેલા મંત્રી તરીકેના SurendraPalએ શપથ લીધા, પરિણામ આવતા ખબર પડી કે તેમની હાર થઈ છે...! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-01-08 20:43:00

વિચારો તમે ચૂંટણી લડી રહ્યા છો, મતદાન પણ થઈ ગયું, તમને મંત્રીપદ પણ આપી દેવામાં આવ્યું. મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા હોય અને પછી ખબર પડે કે તમે જે બેઠક પરથી ચૂંટણી લડ્યા છો ત્યાં તમે હારી ગયા છો! આ સાંભળ્યા બાદ કેવો ઝટકો લાગે નઈ... આવો જ ઝટકો રાજસ્થાનના મંત્રી સુરેન્દ્રપાલ સિંહ ટીટીને થયો હશે. જી હા, સોમવારે યોજાયેલી મત ગણતરીમાં ટીટીને હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનના કરણપુર બેઠક માટે થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર હારી ગયા છે. 

सुरेंद्र पाल सिंह टीटी ने उपचुनाव से पहले ही मंत्री पद की शपथ ली थी.


ભાજપના ઉમેદવારની થઈ હાર  

ગયા વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પરિણામ પણ આવી ગયા. રાજસ્થાનમાં બીજેપીની સરકાર બની. પરિણામ આવ્યાના અનેક દિવસો બાદ રાજસ્થાનની કમાન કોને સોંપવી એટલે કે મુખ્યમંત્રી કોને બનાવવા તે અંગેનો નિર્ણય લેવાયો. ભજનલાલ શર્માએ નવા સીએમ તરીકે શપથ લીધી. રાજસ્થાનની બધી સીટો પર મતદાન પૂર્ણ થઈ ગયું હતું પરંતુ એક બેઠક માટે મતદાન બાકી હતું. એક સીટ માટે મતદાન પછી કરવામાં આવ્યું. કરણપુર ગંગાનગર બેઠક માટેની મતગણતરી પૂર્ણ થઈ અને પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થઈ જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. 


ખાતાની ફાળવણી બાદ ખબર પડી કે... 

તમને જાણીને આશ્ચર્ચ થશે કે જે ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે તેમને તો મંત્રી પણ બનાવાઈ દેવાયા છે. ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. પરિણામ જ્યારે આવ્યું ત્યારે ખબર પડી કે ભાજપના ઉમેદવાર હારી ગયા છે. કરણપુર વિધાનસભા સીટ માટે મતગણતરી સોમવારે હાથ ધરવામાં આવી. 



સુરેન્દ્રસિંહ પાલને ભજનલાલ શર્મા સરકારમાં મળ્યું સ્થાન  

કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હતા અને અંતે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ અને ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. સુરેન્દ્રપાલ ચૂંટણી જીતે એની પહેલા જ ભજનલાલ શર્માએ તેમને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી બનાવી દીધા હતા. ટીટીને ફાળે કૃષિ માર્કેટિંગ વિભાગ, કૃષિ સંચય વિભાગ અને પાણી ઉપયોગિતા વિભાગ, જેવા વિભાગોની ફાળવણી કરવામાં આવી છે.  


આ કારણોસર ન થઈ શક્યું હતું પહેલા મતદાન 

મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરે આવી ગયું હતું. 25 ડિસેમ્બરના રોજ મતદાન હતું. પહેલા મતદાન 200 સીટો માટે થવાનું હતું પરંતુ કરણપુર વિધાનસભા બેઠકનું મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું કારણ કે કોંગ્રેસના ઉમેદવારનું નિધન થઈ ગયું હતું. નિધન થવાને કારણે મતદાન સ્થગિત રાખવામાં આવ્યું હતું. ભાજપે આ બેઠક માટે સુરેન્દ્રપાલ સિંહે મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસે ગુરમીતસિંહના પુત્ર રૂપિંદર સિંહને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.