Rajasthan : મૂર્તિ વિસર્જન દરમિયાન મધમાખીએ કર્યો હુમલો, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત જ્યારે દાદા બન્યા કાળનો કોળિયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-27 15:54:04

સામાન્ય રીતે આપણે જ્યારે મોતના સમાચાર સાંભળતા હોઈએ છીએ ત્યારે મનમાં થાય કે મોત હાર્ટ એટેકને કારણે થાય, એક્સિડન્ટને કારણે થાય, રખડતાં શ્વાનના હુમલાને કારણે થાય વગેરે વગેરે... પરંતુ આજે જે કિસ્સો, જે સમાચાર આપવા છે તેમાં એક વ્યક્તિનું મોત તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ મધમાખીના હુમલાને કારણે થયા છે. રાજસ્થાનના ભીલવાડામાં મધમાખીના હુમલાને કારણે એક ઉંમરલાયક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો પર મધમાખીઓએ હુમલો કર્યો તે લોકો ઠાકુરજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે તળાવમાં ગયા હતા. જે વડીલનું મોત આ હુમલાને કારણે થયું છે તેમના શરીર પર 50થી વધારે ડંખવાના નિશાન હતા.

rajasthan bhilwara bee attack

જ્યારે મૂર્તિ વિસર્જન કરવા ગયા ત્યારે મધમાખીઓએ કર્યો હુમલો 

મોત ક્યારે અને કેવી રીતે આવી જાય તે જાણી શકાતું નથી. ઘરેથી નિકળેલો માણસ ઘરે પાછો ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજસ્થાનના ભીલવાડાથી એક કિસ્સો સામે આવ્યો હતો તે આવો જ છે. 40 લોકો ઉપરાંત એક વ્યક્તિનું મોત મધમાખીના હુમલાને કારણે થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 25 સપ્ટેમ્બરની છે. બડલિયાસના જિત્યા માફી ગામમાં લોકો વાજતે-ગાજતે ઠાકુરજીની યાત્રા કાઢી હતી. યાત્રા ધર્મારૂ તળાવ પાસે પહોંચી. અહીંયા ચારભૂજા નાથ એટલે કે ઠાકુરજીની પ્રતિમાનું વિસર્જન થવાનું હતું. તળાવ પાસે જ્યારે લોકો પહોંચ્યા ત્યારે ત્યાં નજીક આવેલા ઝાડ પર બેઠેલી મધમાખીઓએ તેમની પર હુમલો કરી દીધો. 

મધમાખી ઉછેરનારાઓ માટે સારા સમાચાર ! મધને જલ્દી મળી શકે છે GI ટેગ, જાણો  સરકારની સંપૂર્ણ યોજના - Gujarati News | Agriculture Good News Beekeepers  honey may get GI tag soon, know


ભિલવાડામાં મધમાખી હુમલાને કારણે બે વ્યક્તિઓના થયા મોત

મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલાને કારણે 40 જેટલા લોકો ઘાયલ થયા છે, સ્થાનિક ડોક્ટરે તેમની સારવાર કરી પરંતુ એક વ્યક્તિને સારવાર માટે ભિલવાડા શિફ્ટ કરવામાં આવ્યા. જે વ્યક્તિને ભિલવાડા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેમનું નામ હતું રામનિવાસ શર્મા. તેમના શરીરમાંથી ડોક્ટરે 50થી વધારે ડંખ કાઠ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. મહત્વનું છે મધમાખીને કારણે કોઈનું મોત થયું હોય તે ઘટના પ્રથમ વાર ભિલવાડામાં નથી બની. આની પહેલા પણ એક ઉંમરલાયક વ્યક્તિનું મોત મધમાખી કરડવાને કારણે થયું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.