Rajasthan : મૂર્તિ વિસર્જન દરમિયાન મધમાખીએ કર્યો હુમલો, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત જ્યારે દાદા બન્યા કાળનો કોળિયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-27 15:54:04

સામાન્ય રીતે આપણે જ્યારે મોતના સમાચાર સાંભળતા હોઈએ છીએ ત્યારે મનમાં થાય કે મોત હાર્ટ એટેકને કારણે થાય, એક્સિડન્ટને કારણે થાય, રખડતાં શ્વાનના હુમલાને કારણે થાય વગેરે વગેરે... પરંતુ આજે જે કિસ્સો, જે સમાચાર આપવા છે તેમાં એક વ્યક્તિનું મોત તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ મધમાખીના હુમલાને કારણે થયા છે. રાજસ્થાનના ભીલવાડામાં મધમાખીના હુમલાને કારણે એક ઉંમરલાયક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો પર મધમાખીઓએ હુમલો કર્યો તે લોકો ઠાકુરજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે તળાવમાં ગયા હતા. જે વડીલનું મોત આ હુમલાને કારણે થયું છે તેમના શરીર પર 50થી વધારે ડંખવાના નિશાન હતા.

rajasthan bhilwara bee attack

જ્યારે મૂર્તિ વિસર્જન કરવા ગયા ત્યારે મધમાખીઓએ કર્યો હુમલો 

મોત ક્યારે અને કેવી રીતે આવી જાય તે જાણી શકાતું નથી. ઘરેથી નિકળેલો માણસ ઘરે પાછો ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજસ્થાનના ભીલવાડાથી એક કિસ્સો સામે આવ્યો હતો તે આવો જ છે. 40 લોકો ઉપરાંત એક વ્યક્તિનું મોત મધમાખીના હુમલાને કારણે થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 25 સપ્ટેમ્બરની છે. બડલિયાસના જિત્યા માફી ગામમાં લોકો વાજતે-ગાજતે ઠાકુરજીની યાત્રા કાઢી હતી. યાત્રા ધર્મારૂ તળાવ પાસે પહોંચી. અહીંયા ચારભૂજા નાથ એટલે કે ઠાકુરજીની પ્રતિમાનું વિસર્જન થવાનું હતું. તળાવ પાસે જ્યારે લોકો પહોંચ્યા ત્યારે ત્યાં નજીક આવેલા ઝાડ પર બેઠેલી મધમાખીઓએ તેમની પર હુમલો કરી દીધો. 

મધમાખી ઉછેરનારાઓ માટે સારા સમાચાર ! મધને જલ્દી મળી શકે છે GI ટેગ, જાણો  સરકારની સંપૂર્ણ યોજના - Gujarati News | Agriculture Good News Beekeepers  honey may get GI tag soon, know


ભિલવાડામાં મધમાખી હુમલાને કારણે બે વ્યક્તિઓના થયા મોત

મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલાને કારણે 40 જેટલા લોકો ઘાયલ થયા છે, સ્થાનિક ડોક્ટરે તેમની સારવાર કરી પરંતુ એક વ્યક્તિને સારવાર માટે ભિલવાડા શિફ્ટ કરવામાં આવ્યા. જે વ્યક્તિને ભિલવાડા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેમનું નામ હતું રામનિવાસ શર્મા. તેમના શરીરમાંથી ડોક્ટરે 50થી વધારે ડંખ કાઠ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. મહત્વનું છે મધમાખીને કારણે કોઈનું મોત થયું હોય તે ઘટના પ્રથમ વાર ભિલવાડામાં નથી બની. આની પહેલા પણ એક ઉંમરલાયક વ્યક્તિનું મોત મધમાખી કરડવાને કારણે થયું છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .