Rajasthan : મૂર્તિ વિસર્જન દરમિયાન મધમાખીએ કર્યો હુમલો, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત જ્યારે દાદા બન્યા કાળનો કોળિયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-27 15:54:04

સામાન્ય રીતે આપણે જ્યારે મોતના સમાચાર સાંભળતા હોઈએ છીએ ત્યારે મનમાં થાય કે મોત હાર્ટ એટેકને કારણે થાય, એક્સિડન્ટને કારણે થાય, રખડતાં શ્વાનના હુમલાને કારણે થાય વગેરે વગેરે... પરંતુ આજે જે કિસ્સો, જે સમાચાર આપવા છે તેમાં એક વ્યક્તિનું મોત તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ મધમાખીના હુમલાને કારણે થયા છે. રાજસ્થાનના ભીલવાડામાં મધમાખીના હુમલાને કારણે એક ઉંમરલાયક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો પર મધમાખીઓએ હુમલો કર્યો તે લોકો ઠાકુરજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે તળાવમાં ગયા હતા. જે વડીલનું મોત આ હુમલાને કારણે થયું છે તેમના શરીર પર 50થી વધારે ડંખવાના નિશાન હતા.

rajasthan bhilwara bee attack

જ્યારે મૂર્તિ વિસર્જન કરવા ગયા ત્યારે મધમાખીઓએ કર્યો હુમલો 

મોત ક્યારે અને કેવી રીતે આવી જાય તે જાણી શકાતું નથી. ઘરેથી નિકળેલો માણસ ઘરે પાછો ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજસ્થાનના ભીલવાડાથી એક કિસ્સો સામે આવ્યો હતો તે આવો જ છે. 40 લોકો ઉપરાંત એક વ્યક્તિનું મોત મધમાખીના હુમલાને કારણે થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 25 સપ્ટેમ્બરની છે. બડલિયાસના જિત્યા માફી ગામમાં લોકો વાજતે-ગાજતે ઠાકુરજીની યાત્રા કાઢી હતી. યાત્રા ધર્મારૂ તળાવ પાસે પહોંચી. અહીંયા ચારભૂજા નાથ એટલે કે ઠાકુરજીની પ્રતિમાનું વિસર્જન થવાનું હતું. તળાવ પાસે જ્યારે લોકો પહોંચ્યા ત્યારે ત્યાં નજીક આવેલા ઝાડ પર બેઠેલી મધમાખીઓએ તેમની પર હુમલો કરી દીધો. 

મધમાખી ઉછેરનારાઓ માટે સારા સમાચાર ! મધને જલ્દી મળી શકે છે GI ટેગ, જાણો  સરકારની સંપૂર્ણ યોજના - Gujarati News | Agriculture Good News Beekeepers  honey may get GI tag soon, know


ભિલવાડામાં મધમાખી હુમલાને કારણે બે વ્યક્તિઓના થયા મોત

મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલાને કારણે 40 જેટલા લોકો ઘાયલ થયા છે, સ્થાનિક ડોક્ટરે તેમની સારવાર કરી પરંતુ એક વ્યક્તિને સારવાર માટે ભિલવાડા શિફ્ટ કરવામાં આવ્યા. જે વ્યક્તિને ભિલવાડા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેમનું નામ હતું રામનિવાસ શર્મા. તેમના શરીરમાંથી ડોક્ટરે 50થી વધારે ડંખ કાઠ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. મહત્વનું છે મધમાખીને કારણે કોઈનું મોત થયું હોય તે ઘટના પ્રથમ વાર ભિલવાડામાં નથી બની. આની પહેલા પણ એક ઉંમરલાયક વ્યક્તિનું મોત મધમાખી કરડવાને કારણે થયું છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.