Rajasthan : મૂર્તિ વિસર્જન દરમિયાન મધમાખીએ કર્યો હુમલો, અનેક લોકો થયા ઈજાગ્રસ્ત જ્યારે દાદા બન્યા કાળનો કોળિયો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-27 15:54:04

સામાન્ય રીતે આપણે જ્યારે મોતના સમાચાર સાંભળતા હોઈએ છીએ ત્યારે મનમાં થાય કે મોત હાર્ટ એટેકને કારણે થાય, એક્સિડન્ટને કારણે થાય, રખડતાં શ્વાનના હુમલાને કારણે થાય વગેરે વગેરે... પરંતુ આજે જે કિસ્સો, જે સમાચાર આપવા છે તેમાં એક વ્યક્તિનું મોત તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ મધમાખીના હુમલાને કારણે થયા છે. રાજસ્થાનના ભીલવાડામાં મધમાખીના હુમલાને કારણે એક ઉંમરલાયક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 40 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે લોકો પર મધમાખીઓએ હુમલો કર્યો તે લોકો ઠાકુરજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે તળાવમાં ગયા હતા. જે વડીલનું મોત આ હુમલાને કારણે થયું છે તેમના શરીર પર 50થી વધારે ડંખવાના નિશાન હતા.

rajasthan bhilwara bee attack

જ્યારે મૂર્તિ વિસર્જન કરવા ગયા ત્યારે મધમાખીઓએ કર્યો હુમલો 

મોત ક્યારે અને કેવી રીતે આવી જાય તે જાણી શકાતું નથી. ઘરેથી નિકળેલો માણસ ઘરે પાછો ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજસ્થાનના ભીલવાડાથી એક કિસ્સો સામે આવ્યો હતો તે આવો જ છે. 40 લોકો ઉપરાંત એક વ્યક્તિનું મોત મધમાખીના હુમલાને કારણે થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના 25 સપ્ટેમ્બરની છે. બડલિયાસના જિત્યા માફી ગામમાં લોકો વાજતે-ગાજતે ઠાકુરજીની યાત્રા કાઢી હતી. યાત્રા ધર્મારૂ તળાવ પાસે પહોંચી. અહીંયા ચારભૂજા નાથ એટલે કે ઠાકુરજીની પ્રતિમાનું વિસર્જન થવાનું હતું. તળાવ પાસે જ્યારે લોકો પહોંચ્યા ત્યારે ત્યાં નજીક આવેલા ઝાડ પર બેઠેલી મધમાખીઓએ તેમની પર હુમલો કરી દીધો. 

મધમાખી ઉછેરનારાઓ માટે સારા સમાચાર ! મધને જલ્દી મળી શકે છે GI ટેગ, જાણો  સરકારની સંપૂર્ણ યોજના - Gujarati News | Agriculture Good News Beekeepers  honey may get GI tag soon, know


ભિલવાડામાં મધમાખી હુમલાને કારણે બે વ્યક્તિઓના થયા મોત

મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલાને કારણે 40 જેટલા લોકો ઘાયલ થયા છે, સ્થાનિક ડોક્ટરે તેમની સારવાર કરી પરંતુ એક વ્યક્તિને સારવાર માટે ભિલવાડા શિફ્ટ કરવામાં આવ્યા. જે વ્યક્તિને ભિલવાડા ટ્રાન્સફર કરવામાં આવ્યા તેમનું નામ હતું રામનિવાસ શર્મા. તેમના શરીરમાંથી ડોક્ટરે 50થી વધારે ડંખ કાઠ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. મહત્વનું છે મધમાખીને કારણે કોઈનું મોત થયું હોય તે ઘટના પ્રથમ વાર ભિલવાડામાં નથી બની. આની પહેલા પણ એક ઉંમરલાયક વ્યક્તિનું મોત મધમાખી કરડવાને કારણે થયું છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.