Rajasthan : કોટામાં વધુ એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-13 16:43:07

આત્મહત્યાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. રાજસ્થાનના કોટાથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે વિદ્યાર્થી 12માં ધોરણની સાથે જેઈઈની તૈયારી કરી રહ્યો હતો અને સવારે તેણે ફોન રિસિવ ન કર્યો. પરિવારજનની ચિંતા વધી અને તેમણે વોર્ડનનો સંપર્ક કર્યો. હોસ્ટેલના વોર્ડન રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે વિદ્યાર્થીને પંખાથી લટકેલી હાલતમાં જોયો. પોલીસ તેમજ પરિવારજનોને આ અંગેની માહિતી આપવામાં આવી. જે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે તે છત્તીસગઢનો રહેવાસી હતો. 



રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન! 

બાળકનું ભવિષ્ટ ઉજ્જવળ બને તેવી આશા મુખ્યત્વે દરેક માતા પિતાને હોય છે પરંતુ ઘણી વખત એ આશા બાળકને બોજા સમાન લાગે છે.! ભણવા માટે બાળકને બહાર મોકલે છે પરંતુ અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓ હારીને જીવન ટૂંકાવતા હોય છે. ભવિષ્યની ચિંતા બાળકોનો ભોગ લઈ રહી છે! રાજસ્થાનના કોટામાં અનેક બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે. ત્યાં રહીને અભ્યાસ કરતા હોય છે.


વિચારવું પડશે કે સમાજ કઈ દિશા તરફ લઈ આગળ વધી રહ્યો છે!

પરંતુ કોટાથી અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે જીવનથી હારીને વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ મોતને વ્હાલુ કર્યં છે તેવી માહિતી સામે આવી છે. ઉલ્લેખનિય છે કે 2024ના પ્રથમ મહિનામાં જ 3 જેટલા વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. વધતા આત્મહત્યાના કિસ્સાઓના કારણે આપણે વિચારવું પડશે કે આપણે સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."