Rajasthan : કોટામાં વધુ એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-13 16:43:07

આત્મહત્યાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. રાજસ્થાનના કોટાથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે વિદ્યાર્થી 12માં ધોરણની સાથે જેઈઈની તૈયારી કરી રહ્યો હતો અને સવારે તેણે ફોન રિસિવ ન કર્યો. પરિવારજનની ચિંતા વધી અને તેમણે વોર્ડનનો સંપર્ક કર્યો. હોસ્ટેલના વોર્ડન રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે વિદ્યાર્થીને પંખાથી લટકેલી હાલતમાં જોયો. પોલીસ તેમજ પરિવારજનોને આ અંગેની માહિતી આપવામાં આવી. જે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે તે છત્તીસગઢનો રહેવાસી હતો. 



રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન! 

બાળકનું ભવિષ્ટ ઉજ્જવળ બને તેવી આશા મુખ્યત્વે દરેક માતા પિતાને હોય છે પરંતુ ઘણી વખત એ આશા બાળકને બોજા સમાન લાગે છે.! ભણવા માટે બાળકને બહાર મોકલે છે પરંતુ અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓ હારીને જીવન ટૂંકાવતા હોય છે. ભવિષ્યની ચિંતા બાળકોનો ભોગ લઈ રહી છે! રાજસ્થાનના કોટામાં અનેક બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે. ત્યાં રહીને અભ્યાસ કરતા હોય છે.


વિચારવું પડશે કે સમાજ કઈ દિશા તરફ લઈ આગળ વધી રહ્યો છે!

પરંતુ કોટાથી અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે જીવનથી હારીને વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ મોતને વ્હાલુ કર્યં છે તેવી માહિતી સામે આવી છે. ઉલ્લેખનિય છે કે 2024ના પ્રથમ મહિનામાં જ 3 જેટલા વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. વધતા આત્મહત્યાના કિસ્સાઓના કારણે આપણે વિચારવું પડશે કે આપણે સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.