Rajasthan : કોટામાં વધુ એક વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-13 16:43:07

આત્મહત્યાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે. રાજસ્થાનના કોટાથી અનેક વખત એવા સમાચાર સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે વિદ્યાર્થી 12માં ધોરણની સાથે જેઈઈની તૈયારી કરી રહ્યો હતો અને સવારે તેણે ફોન રિસિવ ન કર્યો. પરિવારજનની ચિંતા વધી અને તેમણે વોર્ડનનો સંપર્ક કર્યો. હોસ્ટેલના વોર્ડન રૂમમાં પહોંચ્યા ત્યારે તેમણે વિદ્યાર્થીને પંખાથી લટકેલી હાલતમાં જોયો. પોલીસ તેમજ પરિવારજનોને આ અંગેની માહિતી આપવામાં આવી. જે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે તે છત્તીસગઢનો રહેવાસી હતો. 



રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ ટૂંકાવ્યું જીવન! 

બાળકનું ભવિષ્ટ ઉજ્જવળ બને તેવી આશા મુખ્યત્વે દરેક માતા પિતાને હોય છે પરંતુ ઘણી વખત એ આશા બાળકને બોજા સમાન લાગે છે.! ભણવા માટે બાળકને બહાર મોકલે છે પરંતુ અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં વિદ્યાર્થીઓ હારીને જીવન ટૂંકાવતા હોય છે. ભવિષ્યની ચિંતા બાળકોનો ભોગ લઈ રહી છે! રાજસ્થાનના કોટામાં અનેક બાળકો સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે. ત્યાં રહીને અભ્યાસ કરતા હોય છે.


વિચારવું પડશે કે સમાજ કઈ દિશા તરફ લઈ આગળ વધી રહ્યો છે!

પરંતુ કોટાથી અનેક વખત સમાચાર સામે આવતા હોય છે કે જીવનથી હારીને વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે વધુ એક વિદ્યાર્થીએ મોતને વ્હાલુ કર્યં છે તેવી માહિતી સામે આવી છે. ઉલ્લેખનિય છે કે 2024ના પ્રથમ મહિનામાં જ 3 જેટલા વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે. વધતા આત્મહત્યાના કિસ્સાઓના કારણે આપણે વિચારવું પડશે કે આપણે સમાજને કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.