રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખમાં થયો ફેરફાર, રાજ્યમાં 25 નવેમ્બરે એક જ તબક્કામાં થશે મતદાન


  • Published By :
  • Published Date : 2023-10-11 18:07:54

ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી, જો કે હવે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે. પહેલા 23 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી થવાની હતી પરંતુ હવે તારીખ બદલીને 25 નવેમ્બરે આ ચૂંટણી થશે. જો કે મતદાન એક જ તબક્કામાં થશે. ચૂંટણીનું પરિણામ પણ 3 ડિસેમ્બરે જ આવશે. 


શા માટે ફેરફાર કરાયો?

 

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં ફેરફારનો મુખ્ય કારણ પૈકીનું એક તે  જ દિવસે એટલે કે 23 નવેમ્બરે દેવઉઠી એકાદશી છે. આ કારણે મોટી સંખ્યામાં વિવાહ સમારંભ અને માંગલિક તેમજ ધાર્મિક ઉત્સવ હોય છે જેથી મતદાન પર વિપરીત અસર થઈ શકે છે વળી લોકોને પણ અસુવિધા થશે. વાહનોની કટોકટી પણ જોવા મળશે જેની અસર વોટિંગ પર પડી શકે છે. આ કારણે રાજ્યના ઘણાં સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક સંગઠનોએ પોતાના પ્રતિનિધિત્વની મદદથી ચૂંટણી પંચને આ તારીખે મતદાન ટાળવાની વિનંતી કરી હતી. ચૂંટણી પંચે તે વાત પર વિચાર કર્યો અને મતદાનની તારીખમાં ફેરફાર કરતા હવે મતદાન 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરે શનિવારે સમગ્ર રાજ્યમાં મતદાન થશે.


આ પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 


પાંચ રાજ્યોની 679 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખ 9 ઓક્ટોબરે જાહેર કરાઈ હતી. તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાના, છત્તીસગઢ અને મિઝોરમ તે રાજ્ય છે જ્યાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. મધ્યપ્રદેશની 230, રાજસ્થાનની 200, તેલંગાનાની 119, છત્તીસગઢની 90 અને મિઝોરમની 40 વિધાનસભા બેઠક પર ચૂંટણી થશે. ઉલ્લેખનિય છે કે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટ સત્તા પર છે. જ્યારે તેલંગાનામાં BRSનું શાસન છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી જાહેરાત સાથે જ આ રાજ્યોમાં પ્રયાર અભિયાનનો પ્રારંભ શરુ થઈ ગયો છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.