રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખમાં થયો ફેરફાર, રાજ્યમાં 25 નવેમ્બરે એક જ તબક્કામાં થશે મતદાન


  • Published By :
  • Published Date : 2023-10-11 18:07:54

ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી, જો કે હવે રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખ બદલવામાં આવી છે. પહેલા 23 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી થવાની હતી પરંતુ હવે તારીખ બદલીને 25 નવેમ્બરે આ ચૂંટણી થશે. જો કે મતદાન એક જ તબક્કામાં થશે. ચૂંટણીનું પરિણામ પણ 3 ડિસેમ્બરે જ આવશે. 


શા માટે ફેરફાર કરાયો?

 

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં ફેરફારનો મુખ્ય કારણ પૈકીનું એક તે  જ દિવસે એટલે કે 23 નવેમ્બરે દેવઉઠી એકાદશી છે. આ કારણે મોટી સંખ્યામાં વિવાહ સમારંભ અને માંગલિક તેમજ ધાર્મિક ઉત્સવ હોય છે જેથી મતદાન પર વિપરીત અસર થઈ શકે છે વળી લોકોને પણ અસુવિધા થશે. વાહનોની કટોકટી પણ જોવા મળશે જેની અસર વોટિંગ પર પડી શકે છે. આ કારણે રાજ્યના ઘણાં સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક સંગઠનોએ પોતાના પ્રતિનિધિત્વની મદદથી ચૂંટણી પંચને આ તારીખે મતદાન ટાળવાની વિનંતી કરી હતી. ચૂંટણી પંચે તે વાત પર વિચાર કર્યો અને મતદાનની તારીખમાં ફેરફાર કરતા હવે મતદાન 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરે શનિવારે સમગ્ર રાજ્યમાં મતદાન થશે.


આ પાંચ રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 


પાંચ રાજ્યોની 679 વિધાનસભા સીટ પર ચૂંટણીની તારીખ 9 ઓક્ટોબરે જાહેર કરાઈ હતી. તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાના, છત્તીસગઢ અને મિઝોરમ તે રાજ્ય છે જ્યાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. મધ્યપ્રદેશની 230, રાજસ્થાનની 200, તેલંગાનાની 119, છત્તીસગઢની 90 અને મિઝોરમની 40 વિધાનસભા બેઠક પર ચૂંટણી થશે. ઉલ્લેખનિય છે કે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટ સત્તા પર છે. જ્યારે તેલંગાનામાં BRSનું શાસન છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી જાહેરાત સાથે જ આ રાજ્યોમાં પ્રયાર અભિયાનનો પ્રારંભ શરુ થઈ ગયો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી