Rajasthan Assembly Election : 199 બેઠકો માટે શરૂ થયું મતદાન, PM Modiએ મતદાન કરવા મતદાતાઓને અપીલ કરી


  • Published By :
  • Published Date : 2023-11-25 10:44:47

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. બધા રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવવાના છે. રાજસ્થાનમાં આજે 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી છે.

 

સવારે 9.30 વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન 

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે. મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી લોકો મતદાન મથક મતદાન કરવા પહોંચી રહ્યા છે. દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારના 9.30 વાગ્યા સુધી 9.77 ટકા મતદાન નોંધાયું છે. 200 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોંગ્રેસના એ ક ઉમેદવારના નિધનને પગલે ત્યાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 199 બેઠકો પર મતદાન સવારના સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. વસુંધરા રાજે, સચિન પાયલોટ સહિતના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.  

 


મતાધિકારનો ઉપયોગ કરવા પીએમ મોદીએ કરી અપીલ  

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ અનેક સભાઓ, અનેક રેલી ગજવી. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં કોઈ કચાસ નથી છોડી. જનસભા દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે રાજનીતિ ગરમાઈ છે. રાજસ્થાનમાં મતદાતાઓને મતદાન કરવા માટે પીએમ મોદીએ અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે,‘રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મત નાખવામાં આવશે. તમામ મતદારોને મારૂ નિવેદન છે કે તે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મત આપવા જઇ રહેલા રાજ્યના તમામ યુવા સાથીઓને મારી શુભકામનાઓ.’ 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે