Rajasthan Assembly Election : 199 બેઠકો માટે શરૂ થયું મતદાન, PM Modiએ મતદાન કરવા મતદાતાઓને અપીલ કરી


  • Published By :
  • Published Date : 2023-11-25 10:44:47

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. બધા રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવવાના છે. રાજસ્થાનમાં આજે 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી છે.

 

સવારે 9.30 વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન 

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે. મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી લોકો મતદાન મથક મતદાન કરવા પહોંચી રહ્યા છે. દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારના 9.30 વાગ્યા સુધી 9.77 ટકા મતદાન નોંધાયું છે. 200 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોંગ્રેસના એ ક ઉમેદવારના નિધનને પગલે ત્યાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 199 બેઠકો પર મતદાન સવારના સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. વસુંધરા રાજે, સચિન પાયલોટ સહિતના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.  

 


મતાધિકારનો ઉપયોગ કરવા પીએમ મોદીએ કરી અપીલ  

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ અનેક સભાઓ, અનેક રેલી ગજવી. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં કોઈ કચાસ નથી છોડી. જનસભા દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે રાજનીતિ ગરમાઈ છે. રાજસ્થાનમાં મતદાતાઓને મતદાન કરવા માટે પીએમ મોદીએ અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે,‘રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મત નાખવામાં આવશે. તમામ મતદારોને મારૂ નિવેદન છે કે તે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મત આપવા જઇ રહેલા રાજ્યના તમામ યુવા સાથીઓને મારી શુભકામનાઓ.’ 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.