Rajasthan Assembly Election : 199 બેઠકો માટે શરૂ થયું મતદાન, PM Modiએ મતદાન કરવા મતદાતાઓને અપીલ કરી


  • Published By :
  • Published Date : 2023-11-25 10:44:47

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. બધા રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવવાના છે. રાજસ્થાનમાં આજે 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી છે.

 

સવારે 9.30 વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન 

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે. મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી લોકો મતદાન મથક મતદાન કરવા પહોંચી રહ્યા છે. દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારના 9.30 વાગ્યા સુધી 9.77 ટકા મતદાન નોંધાયું છે. 200 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી પરંતુ કોંગ્રેસના એ ક ઉમેદવારના નિધનને પગલે ત્યાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 199 બેઠકો પર મતદાન સવારના સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે. વસુંધરા રાજે, સચિન પાયલોટ સહિતના નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.  

 


મતાધિકારનો ઉપયોગ કરવા પીએમ મોદીએ કરી અપીલ  

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ અનેક સભાઓ, અનેક રેલી ગજવી. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં કોઈ કચાસ નથી છોડી. જનસભા દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે રાજનીતિ ગરમાઈ છે. રાજસ્થાનમાં મતદાતાઓને મતદાન કરવા માટે પીએમ મોદીએ અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે,‘રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મત નાખવામાં આવશે. તમામ મતદારોને મારૂ નિવેદન છે કે તે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મત આપવા જઇ રહેલા રાજ્યના તમામ યુવા સાથીઓને મારી શુભકામનાઓ.’ 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.